________________
૮૮૧
ઉલાસ ]
આહત દર્શન દીપિકા. દેશથી પરિગ્રહવિરતિનું લક્ષણ–
___ धनधान्यादिकद्रव्याणां परिमाणकरणं देशतः परिग्रहविरतेઢંક્ષન્ (૪૭) અર્થાત પૈસો ટકે, અનાજ ઇત્યાદિ વસ્તુઓનું પરિમાણ કરવું–અમુક સંખ્યા પર્યત જ તેનું ગ્રહણ કરવું તે “પરિગ્રહવિરમગુરૂપ દેશવિરતિ ” છે. પરિગ્રહ એટલે મૂચ્છ યાને આસક્તિ. વસ્તુ નાની કે મોટી હોય, કિંમતી હોય કે નજીવી હોય, જડ હોય કે ચેતન હોય, બાહ્ય હોય કે અત્યંતર હોય, તેમાં આસક્ત થઈ જવું અને વિવેકને ઠોકરે મારીને તેની પાછળ તણાઈ જવું તે “પરિગ્રહ” છે. સત્યશોધક તેમ અહિંસક પરિગ્રહધારી ન બને. તે તે ખ૫ જેટલી જ વસ્તુ રાખે, નાહકને સંચય ન કરે, વળી ખરા સુધારાનું લક્ષણ પણ એ જ છે કે જેમ બને તેમ સાદું જીવન ગાળવું. ખરી સભ્યતાના અભિલાષીએ પરિગ્રહને ઘટાડે કરવું જોઈએ. એ સાચી વાત છે કે અભ્યાસથી માણસ પોતાની હાજતેમાં ઘટાડે કરી શકે છે. જેમ જેમ પરિગ્રહ એ છે કરાય તેમ તેમ સુખ, સંતોષ અને આરોગ્યની વૃદ્ધિ થાય છે. વિશેષમાં કેવળ કાયિક જ પરિગ્રહને ત્યાગ કરવાનું નથી, પરંતુ વાચિક અને માનસિક પરિગ્રહ પણ ત્યાજય જ છે. જે વિચાર આપણને ઈશ્વરથી વિમુખ રાખે અને સન્માર્ગે જતાં વિદનરૂપ બને તે અજ્ઞાન છે અને તેને મગજમાં સ્થાન આપવું તે પણ “પરિગ્રહ” છે. સર્વવિરતિનું લક્ષણ–
हिंसाऽसत्यस्तेयाब्रह्मपरिग्रहलक्षणानां पश्चानामाश्रवाणां सर्वथा વર્નને સવિતેર્તક્ષાત્ (૨૮) અર્થાત હિંસા, અસત્ય, ચોરી, અબ્રા અને પરિગ્રહ એ પાંચ આ ને સર્વથા ત્યાગ તે “સર્વવિરતિ છે. આ પાંચ આશ્રના સર્વથા ત્યાગને અહિંસા વગેરે પાંચ મહાવ્રત પણ કહેવામાં આવે છે. અર્થાત્ અહિંસાની સર્વીશે વિરતિ તે અહિંસારૂપ મહાવત છે ઇત્યાદિ. આ પાંચ
૧ અજ્ઞાનના સ્વરૂપ પરત્વે ભગવદ્ગીતા (અ. ૧૩ )નું કહેવું એ છે કે
* મગારમજ્ઞાનનિરાલં, સરયજ્ઞાનાર્થરાજ પત પરિમિતિ રોજ-મજ્ઞાનં વસતો થા છે
?
”
૨ અહિંસા વિષે યથામતિ ઊહાપેહ આપણે પૃ. ૮૫૭-૮૭૫ માં કરી ગયા છીએ એટલે અત્ર એટલું જ ઉમેરીશું કે ન્યાયકુસુમાંજલિ (રૂ. ૪, પૃ. ૨૩૨-'૩૫)માં આની ધૂળ રૂપરેખા અંગ્રેજી ભાષામાં મેં આલેખી છે. વિશેષમાં દરેક ધર્મ કે સંપ્રદાય અહિંસા યાને દયાની તારીફ કરે છે, પરંતુ નિર્મળ દયાના સ્વરૂપથી કાણુ સારી અને સાચી રીતે પરિચિત છે તેનું દિગ્દર્શન કરાવવા શ્રીવીરસ્તુતિ (પૃ. ૨૪૬-૨૪૭)માં મેં પ્રયાસ કર્યો છે,
111.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org