SearchBrowseAboutContactDonate
Page Preview
Page 959
Loading...
Download File
Download File
Page Text
________________ આસ્રવ–અધિકાર.. [ પ્રતીય વિશેષમાં લગ્ન એ પણ કેવળ વિષયસુખ મેળવવા માટે યોજાયેલ નથી. ફક્ત વૈષયિક સુખ ભોગવવા માટે જે પરણે છે તે પશુ કરતાં પણ હીન છે. કેવળ પ્રજાની ઉત્પત્તિની ખાતર સેવાતુ મિથુન લૌકિક દ્રષ્ટિએ કથંચિત્ સહ્ય છે. અંતમાં એ ઉમેરવું અનાવશ્યક નહિ ગણાય કે હીરને મેળવતાં પૃથ્વીનાં આંતરડાંમાં હજારે મજુરને ગંધાઈ રહેવું પડે છે અને ત્યાર પછી પણ પર્વત જેટલી કાંકરીઓમાંથી એક મુઠ્ઠી જેટલા હીરા હાથ આવે છે તે બ્રહ્મચર્ય પાળનારા હીરાને શોધવાને સારૂ કેટલે પ્રયત્ન કર પડે તેને જવાબ ત્રિરાશી માંડીને વિચારી લેવું. આ ઉપરથી જણાશે કે બ્રહ્મચારીઓ વિરલ છે અને એથી જ હું આ વિરલ વિભૂતિઓને પૂર્ણ ભાવથી અનેકશઃ વંદન કરું છું. સ્વદારતેષ પરસ્ત્રીના ત્યાગ પૂર્વક પોતાની પત્નીથી સંતુષ્ટ રહેવું એ છે કે આને સામાન્ય અર્થ છે, છતાં તેને વિશિષ્ટ અર્થ એ છે કે સ્વસ્ત્રીમાં પણ અત્યંત આસક્તિ રાખવા પૂર્વકનું તેનું સેવન ગૃહસ્થને કલંકરૂપ છે. સ્ત્રી સાથે પણ મર્યાદા પૂર્વક વ્યવહાર કરવો જોઈએ અર્થાત તે રજસ્વલા, સગર્ભા કે રોગગ્રસ્ત હોય ત્યારે પણ તેના તરફ ધસવું અને તેની ઈચ્છા વિરુદ્ધ તેના ઉપર બળાત્કાર ગુજારો એ ગૃહસ્થચિત બ્રહ્મચર્યના શિખર ઉપરથી ગબડી પડવા બરાબર છે. વળી ગૃહસ્થ ઋતુકાળમાં સ્ત્રીને સમાગમ કરો ત્યારબાદ નહિ. તેમાં પણ એકાદશી, ચતુશી, અમાવાસ્યા, પૂર્ણિમા, પંચમી વગેરે તિથિએ તે ખાસ કરીને વિષયસેવનથી વેગળા રહેવું. વિશેષમાં ઓછામાં ઓછું એક દિવસનું તે આંતરું રાખવું જ જોઈએ. જે દિવસે પણ વિષયસેવનથી વિમુખ રહી શકતા નથી તેઓ ખરેખર પિતાની જાતના કટ્ટર દુશ્મન છે. જેઓ એક જ રાતમાં એકથી વિશેષ વાર સ્વપત્ની સાથે પણ વિષયસેવનમાં પ્રવર્તે છે તેવા માનવપિશા માટે ક્યાં સુધી દિલગીરી દર્શાવી શકાય? ટૂંકમાં ગૃહસ્થ વિષય સેવનની પ્રવૃત્તિને બહુ જ નિયમિત બનાવવી કે જેથી વીર્ય પુષ્ટ થાય અને તેના ફળ તરીકે ઉદ્ભવતું સંતાન તેજસ્વી, બુદ્ધિશાળી અને મજબુત બને તેમજ દુનિયા ઉપર ભારરૂપ નિર્માલ્ય પ્રજા વધતી અટકે. ૧ જે દિવસથી ગર્ભ રહે તે દિવસથી માંડીને સંતાનોત્પત્તિ થાય અને તે સંતાન સ્તનપાન છોડીને ખોરાક ખાવાની શરૂઆત કરે ત્યાં સુધી પુરુષે બ્રહ્મચર્ય પાળવું જ જોઇએ. ૨ ઋતુસ્ત્રાવના દિવસથી સોળ રાત્રિ પર્વતના સમયને “ ઋતુકાળ' કહેવામાં આવે છે. તેમાં પ્રથમ ત્રણ દિવસ તે વિષયસેવન માટે સર્વથા વજનીય છે. એ દિવસોમાં પણ બ્રહ્મચર્ય નહિ પાળનારના દુષ્કૃત્ય જેવું એકે નિત્વ કૃત્ય નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy