SearchBrowseAboutContactDonate
Page Preview
Page 957
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૭૮ આસ્રવ-અધિકાર [ પ્રતીય અબ્રાહમનું દિગ્દર્શન કરવું આવશ્યક સમજાય છે. અબ્રહ્મ કહે કે મૈથુન કહે તે એક જ છે. મૈથુન એટલે મિથુનની પ્રવૃત્તિ અને મિથુન એટલે સામાન્ય રીતે પુરુષ અને પ્રમદાનું યુગલ. અહીં આનાથી વિસ્તૃત અર્થ કરવાની જરૂર છે. યુગલ એટલે કેવળ પુરુષ અને પ્રમદાનું જ જેડું નહિ, કિન્તુ વનિતા વનિતાનું, પુરુષ પુરુષનું અને તે પણ સજાતીય કે વિજાતીય એટલે પશુ, પક્ષી વગેરે ભિન્ન ભિન્ન જાતિનું પણ સમજવું. આવા યુગલમાં કામવિકાર ઉત્પન્ન થતાં તેનાથી થતી માનસિક, વાચિક કે કાયિક પ્રવૃત્તિ તે “મથુન” યાને “અબ્રહ્મ છે. આ સંબંધમાં સૂક્ષ્મ વિચાર કરીશું તે સમજાશે કે જ્યાં યુગલ ન હોય, પરંતુ કેવળ સ્ત્રી કે પુરુષ જાતિની એકલી એક જ વ્યક્તિ હોય અને જો તે વ્યક્તિ કામરાગના આવેશને વશ બની જડ વસ્તુના આલંબનથી કે પિતાના હસ્તાદિ અવયની મદદથી અશુદ્ધ આચરણ કરે છે તે પણ “મથુન' જ છે અર્થાત કામરાગથી ઉદ્ભવતી કઈ પણ ચેષ્ટા તે “મૈથુન ” છે. આને “અબ્રહ્મ” કહેવાનું કારણ છે કે એના સેવનથી સદગુણને વિકાસ અટકી જાય છે, એટલું જ નહિ પણ સગુણોને હાસ થવા સાથે દેને પુષ્ટિ મળે છે, કેમકે બ્રહ્મને ફલિતાર્થ એ છે કે એના પાલન અને અનુસરણથી સદ્દગુણોની વૃદ્ધિ થાય, અહિંસાનું પૂર્ણ પાલને બ્રહ્મચર્યા વિના અશક્ય છે, બ્રહ્મચર્યને અર્થ જનનેન્દ્રિય પરત્વે સંચમ એટલો જ નથી. ઈન્દ્રિય માત્રને તેના વિકારોથી રોકવાને સક્રિય નિશ્ચય એ એને વિશાળ અર્થ છે. ટૂંકમાં કહીએ તો ત્રેવીસે પ્રકારના વિષયે પૈકી કેઈને પણ વિષે આસક્તિ નહિ રાખવી એ એને ફલિતાર્થ છે. આ પ્રયત્નમાં ફલીભૂત થવાય તે માટે પ્રથમ સ્વાદેન્દ્રિય ઉપર કાબુ મેળવવું જોઈએ યાને જીભના સ્વાદને વશ ન થવું, પરંતુ દેહ ટકાવવાને જ અર્થ આહાર લે અને તે પણ બને તેટલે અંશે નીરસ અને કંઈક એ છો; માદક પદાર્થોને તે સર્વથા ત્યાગ જ કરે, કેમકે એથી વિકાર ઉત્પન્ન થવાને સંભવ છે. જે કાનથી વિલાસની વાત સાંભળે, આંખથી વિકારજનક વસ્તુ જુવે, જીભથી વિકારે તેજક વસ્તુના સ્વાદ ચાખે, હાથથી વિકારપષક વસ્તુને સ્પર્શ કરે અને જનનેન્દ્રિયના વિકારને નિરોધ કરવા મથે તેને અગ્નિમાં હાથ નાંખ્યા પછી નહિ દાઝવાના પ્રયાસ કરનારની કટિમાં મૂકી શકાય. મનને વશ કરવું બહુ મુશ્કેલ છે, એથી પ્રથમ શરીરને હાથમાં રાખવું. એ કબજે થતાં માનસિક પ્રવૃત્તિઓ ઉપર કાબુ મેળવો સહેલો થઈ પડશે, વાતે જ કાયિક કુચેષ્ટાના નિરોધને સ્થલ દષ્ટિએ “ “બ્રહ્મચર્ય · ગયું છે ભેગવિલાસમાં મગ્ન રહેનારાને સત્ય જગ્યાને અને ઈશ્વરને સાક્ષાત્કાર થયાને એકે દાખલે આ ભૂમંડળને અત્યાર સુધીને ઇતિહાસ પૂરે પાઠ શકે તેમ નથી તે શા સારૂ ભેગવિ ૧ બ્રહ્મચારીએ જેમ બને તેમ અલ્પાહારી બનવું, મિતાહારી તો તે હેવો જ જોઈએ. ૨ બે ત્રણ વખત ત્રાવ ” અર્થાત બ્રહ્મ યાને આત્માને વિષે વિચારવું-રમવું એ “ બ્રહ્મચર્ય ' છે. આટલી હદ સુધી પહોંચવાને માટે વયનિરોધની પ્રથમ જરૂર છે, વાસ્તે આ દષ્ટિએ વીર્યનિરોધને પશુ-કાયિક કુચેષ્ટાના નિધને સુદ્ધાં બહાચર્ય ” એવું નામ અપાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy