SearchBrowseAboutContactDonate
Page Preview
Page 954
Loading...
Download File
Download File
Page Text
________________ ઉલ્લાસ ] આહત દÖન દીપિકા. પે અધ લાગુ પડશે, કેમકે તેઓ અહિંસક છે. વાસ્તે હું ભાઈ ! તું સમજુ થઈને પણ શા માટે મનથી પણ અન્યને મારવાની ભાવના ભાવે છે ? હાથી જેવાના નાશથી જીવન— જ્યારે આ જગમાં એક જીવ ખીજા જીવનું જીવન છે અર્થાત્ કાઈ નહિ ને કોઇ જીવને માર્યાં વિના તે આહાર અસંભવિત છે અને આહાર વિના જીવન અશકય છે તે નાનાં નાનાં પ્રાણીઓને ન મારતાં હાથી જેવા એક મોટા પ્રાણીને મારીએ તેા શે! ખાધ એ પ્રશ્ન હવે વિચારીશું. અર્થાત્ આ પ્રમાણેના ‘ હસ્તિતાપસ-વાદ ' કે જેને વિષે આપણે ૮૪મા પૃષ્ઠમાં ઉલ્લેખ કરી ગયા છીએ તેના નિરસનનું અત્ર અવલેાકન કરીએ. શરૂઆતમાં જ એ નિવેદન કરીશુ કે હાથીને મારવાથી અન્ય જીવાને નહિ મારવા જેટલા પાપબંધ અટકી જશે એ માન્યતા ભૂલ ભરેલી છે; કેમકે હાથીના માંસમાં પ્રતિક્ષણ જીવાત્પત્તિ થતી રહેશે અને એ માંસ જેટલા વખત સિલકમાં રહેશે ત્યાં સુધી નવા નવા જીવા ઉત્પન્ન થતા રહેશે અને તેના નાશ ઇચ્છાએ કે અનિચ્છાએ પણ એ માંસના ઉપર જીવનારને હાથે થશે અને તેના પાપના ભાગી તે ખનશે; વાસ્તે આ તા આલામાંથી નીકળીને ચૂલામાં પડવા જેવું કૃત્ય છે. જેમ રંકના કરતાં રાજાનું પુણ્ય વિશેષ છે તેમ રકના કરતાં રાજાનું મરણુ વિશેષ શેોચનીય છે. વળી કાઇ રહેંકનુ ખૂન કરે અને કોઇ રાજાનું ખૂન કરે તેા પહેલા કરતાં બીજો વિશેષ અપરાધી ગણાય. અર્થાત્ જેમ જેમ પુણ્યપ્રકૃતિની તરતમતા રહેલી હાય છે તેમ તેમ તે પુણ્યશાળી જીવાને મારવામાં પાપની ઉત્તરોત્તર વૃદ્ધિ રહેલી છે. આ પ્રમાણે વિચારતાં સમજાશે કે એકેન્દ્રિય જીવા કરતાં પુણ્યપ્રકૃતિમાં દ્વીન્દ્રિય આગળ વધેલા છે તે તેના નાશમાં વિશેષ પાપ રહેલું છે, એ પ્રમાણે ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રિય માટે સમજી લેવુ. એટલે કે પંચેન્દ્રિયના વધ એ સૌથી વધારે પાપજનક છે. આથી કરીને પુણ્યશાળી પચેન્દ્રિયને મારી મહાપાપના ભાગી બનતાં અટકવું એ સમુચિત કાર્યાં છે. અન્ય શબ્દોમાં કહીએ તે જેમ પુણ્યની વૃદ્ધિને લઇને સામગ્રીઓ વધતી મળે છે તેમ તેના વિનાશ વિશેષ પાપના હેતુ છે. વળી ભાવની કલુષતા પણ એમાં વધારે રહેલી છે. કોઇ ઝાડની છાલ ઉતારાય અને કોઇ 'ચેન્દ્રિયની ચામડી ઉતારાય આ એમાં ભાવની ભિન્નતા નથી રહેલી કે ? આથી એ વાત સ્પષ્ટ થાય છે કે હાથી જેવા પ્રાણીના નાશ યુક્ત નથી. વળી જેમ અને તેમ અપ આરંભથી ચલાવી લેવાની કાણુ ના પાડે છે ? દેશથી મૃષાવાદવિરતિનું લક્ષણ— कूटसाक्षिदानादिरूपस्थूलमृषावादपरित्यागरूपत्वं देशतो मृषा વાવિતે ંક્ષળમ્ । ( ૪૬૪ ) અર્થાત્ ખોટી સાક્ષી પૂરવી ઇત્યાદિ સ્થૂળ અસત્યનો ત્યાગ કરવા તે ‘ મૃષાવાદવિરમણુરૂપ વૈશિવેતિ ’ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy