SearchBrowseAboutContactDonate
Page Preview
Page 953
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૪ ખાસ અધિકાર. [ તૃતીય પ્રમાણે વ્યાજબી ન ગણાય, કેમકે પુણ્ય અને પાપના ક્ષયથી મુક્તિ મળે છે. તેથી જેમ અન્યનાં પાપને નાશ કરવા માટે તું તેની હત્યા કરવા પ્રવૃત્ત થાય છે તેમ તેનાં પુણ્યને નાશ કરવા માટે પણ તારે પ્રવૃત્ત થવું જોઈએ અને તે તે તેમ કરવા ના પાડે છે. પાપનું ફળ દુઃખને અનુભવ છે તેથી મારી નાંખવાથી દુઃખ ઉત્પન્ન થાય એટલે પાપને ક્ષય શક્ય છે, પરંતુ પુણ્યનું ફળ સુખને અનુભવ છે તે દુખ ઉત્પન્ન કરવાથી તેને ક્ષય કેવી રીતે સંભવે ? તેમાં સુખને અનુભવ કરાવવા રૂપ ફળવાળા કમને ક્ષય સુખના અનુભવની ઉત્પત્તિથી જ શક્ય છે એ જો. બચાવ કરવા તું લલચાતું હોય તે તે ધૂમાડાના બાચકા ભરવા જેવું છે. એનું કારણ એ છે કે જે પુણ્ય દેવગતિમાં ભેગવવાનું હતું તે મનુષ્યાદિ ભવને અંત આણવાથી ઉલટું સમીપ આવે છે અને એ પ્રમાણે પ્રત્યાસન્ન બનેલું પુણ્ય થડા કાળમાં ભગવાઈ જાય તેવું બને છે, તેથી કરીને આ પ્રમાણે પુણ્યના ક્ષયને પણ સંભવ હેવાથી હત્યા કરવાથી પુણ્યને ક્ષય કેમ ન માન? કદાચ તુ એમ કહીશ કે હત્યા કર્યા પછી વિશિષ્ટ દેવભવમાં વેદવામાં આવનાર પુણ્યનો ઉદય સંદિગ્ધ છે, કેમકે કેઈને ત્યાં પાપનો ઉદય પણ સંભવે છે, તેથી પુણ્યને અનુભવ કરનારાની હત્યા કરવી ઉચિત નથી, આવી પરિસ્થિતિમાં અન્યત્ર નિશ્ચય કેમ કરાય ? ત્યાં પણ સદેહ કેમ નહિ? શું એમ ન કહેવાય કે તેં ગણાવેલ દુઃખથી પીડાતે હેાય તેવાને પણ મારવાથી તે તેને નરકના દુઃખને અનુભવ કરવો પડશે, જ્યારે તેને જે નહિ મારી નાંખવામાં આવે તે કદાચ અનેક ઈવેને મારીને તે પુણ્ય ઉપાર્જિત કરી વિશિષ્ટ દેવાદિ ભવને ભાગી બને; વાતે દુઃખીએને પણ નાશ કરવો તે તારે માટે યુક્ત નથી. જ્યારે આ બાબત છે ત્યારે હત્યા કરવાનું પરિણામ સુંદર આવશે કે નહિ એ સંદેહ રહેવાથી હેતુ સંદિગ્ધ અને અનેકાન્તિક પણ કરે છે. વળી તેં જે જૈન દર્શનમાંના નારકના સ્વરૂપનું દષ્ટાંત રજુ કરવાની હામ ભી તે પણ તારી અનભિજ્ઞતા પૂરવાર કરી આપે છે, કેમકે એ દર્શન પ્રમાણે આ હકીકત નીચે મુજબ છે – પરમાધાર્મિક દેએ ઉત્પન કરેલ કે પરસ્પર ઉત્પન્ન કરેલ દુઃખથી પીડાતા નારકેને અતિશય વેદના થતી હોવાથી તેઓ સંમુગ્ધ બની જાય છે અને એથી પરત્ર અત્યંત સંલેશ નથી. જેમકે આ દુનિયામાં પણ જે મનુષ્યને લાકી વગેરેના સખત ફટકા વાગ્યા હોય અને તેની અત્યંત વેદનાથી તેઓ વ્યાકુળ બન્યા હોય ત્યારે તેમની સંમૂઢ દશામાં પરત્ર અત્યંત સંકુલેશ જોવાત નથી. આથી કરીને તથાવિધ તીવ સંકલેશના અભાવને લઈને નારકને વિષે નુતન અને પુષ્કળ પાપના ઉપચય માટે અવકાશ રહેતો નથી. આ સાંભળીને તે સંસારમેચક! તું જે એવા નિર્ણય ઉપર આવતું હોય કે સંમોહ મહાન ઉપકારી છે, કેમકે સંમહિને વશ થવાથી અન્યત્ર અત્યંત સંકલેશ માટે સ્થાન રહેતું નથી અને તીવ્ર વેદનાને લીધે પૂર્વે બાંધેલાં પાપને ક્ષય થાય છે, તેમજ વળી સંમેહ ક્રૂર વ્યાપારથી ઉદ્દભવે છે તેથી હિંસક મહાન ઉપકારી છે તે તે તારી બુદ્ધિનું પ્રકટ લીલામ છે, કેમકે હિંસકે પારકાને પીડા ઉત્પન્ન કરનાર હોવાથી તેમને વિષે કિલષ્ટ કર્મના બંધને સંભવ છે. વળી પા૫ના કારણરૂપ પરના પીડન સિવાય અન્ય કેઈ કારણ હોય એમ અમને લાગતું નથી અને જે હોય તે મુક્ત જીવોને પણ પાપને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy