________________
જીવ-અધિકાર.
[ પ્રથમ
નિત્ય પદાર્થ અર્થ-ક્રિયા કરે છે, તે તે વારંવાર તેના સ્વભાવમાં ફેરફાર થાય છે એમ સિદ્ધ થતું હેવાથી આપોઆપ નિત્યવાદને જલાંજલિ મળી જાય છે, કેમકે સ્વરૂપમાં ફેરફાર થે એનું નામ જ અનિયતા છે.'
હવે જો આમ હારી જવાથી ચીડાઈને એમ કહેતા હૈ કે નિત્ય પદાર્થ એકી સાથે-યુગપત્ અર્થ-ક્રિયાઓ કરે છે, તે ભાઈ સાહેબ! એ કેમ ભૂલી જાઓ છે કે એક ક્ષણમાં પરમાણુની સર્વ ક્રિયાઓ થઈ જવાથી, દ્વિતીયદિ ક્ષણમાં પરમાણુની સત્તા જતી રહેશે, કેમકે તે અકિંચિત્કર બને છે, તેમજ વળી પ્રથમ ક્ષણમાં અર્થ-કિયા કરવાને સ્વભાવ અને બીજા ક્ષણમાં શૂન્ય-સ્વભાવ, આમ તે સ્વભાવમાં પરાવર્તન-સ્વભાવ-ભેદ થતો હોવાથી તે પદાર્થ નિત્ય ન સિદ્ધ થતાં ઉલટો અનિત્ય સિદ્ધ થાય છે અર્થાત્ અણુ નિત્ય છે, એ તમારી વાત હવામાં ઊડી જાય છે.
હવે અણુ અનિત્ય છે એમ પણ કહેતા હો તો તે યુક્તિયુક્ત નથી, તે તરફ શૂન્યવાદી ધ્યાન ખેંચે છે. પ્રથમ તે પૂછે છે કે અણુ અનિત્ય છે એ વાક્યમાં અનિત્ય શબ્દના ક્ષણિક અને કાલાન્તરસ્થાયી (થોડો વખત ટકી રહેનાર) એ બે અર્થોમાંથી કયો અર્થ કરે છે? જે અનિત્યથી ક્ષણિક અર્થ ગ્રહણ કરતા હે, તે આ અણુ ક્ષણિક છે એમ હવામાં કંઈ કારણ છે કે નહિ? અર્થાત તેની ઉત્પત્તિ શું અકસ્માત છે કે કેમ? જે આમાંથી બીજો પક્ષ સ્વીકારતા હે, તે
અકસ્માત્ ” શબ્દથી શું હેતુનો નિષેધ (કારણ–પ્રતિષેધ)-કારણને અભાવ સમજે કે તેની ઉત્પત્તિને અભાવ માને કે તેની ઉત્પત્તિમાં તે પિતેજ કારણ છે અર્થાત્ સ્વાત્મહેતુક7 એમ જાણવું કે તે હેતુનું વર્ણન થઈ શકે તેમ નથી એટલે કે તે હેતુ નિરૂપાખ્ય-અનિર્વચનીય છે એમ ગણવું?
હવે જે “અકરમાત્ ” શબ્દનો અર્થ કારણનો અભાવ કરતા હો, તે તે અણુની ઉત્પત્તિ કારણની અપેક્ષા રાખતી નથી, એમ તમે અંગીકાર કરે છે અને એથી કરીને તે અણુ હમેશાં વિદ્યમાન રહેશે કે હમેશાં અવિદ્યમાન રહેશે એટલે કે જ્યાં તે અનિત્ય વાદ ઊડી જાય છે કે
૧ આ વાતનું નિરાકરણ અન્ય રીતે પણ થઈ શકે છે તે અત્ર દર્શાવવામાં આવે છે. જે તમે એમ કહેતા હો કે નિત્ય પદાર્થ અનુક્રમે અર્થ ક્રિયા કરે છે, તે જે સમયે તે પ્રથમ અર્થ-ક્રિયા કરવા પ્રવૃત્ત થાય તે સમયે તેનામાં અન્ય ક્રિયા કરવાને સ્વભાવ છે કે નહિ ? જે તેનામાં બીજી પણ અર્થક્રિયા કરવાનો સ્વભાવ છે એમ માનશે, તે પછી અનુક્રમે અર્થ-ક્રિયા કરવામાં શું હેતુ સમાયેલું છે ? આને બચાવ તમે એમ કરતા છે કે સહકારિ બીજાં કારણોને તે સમયમાં સદભાવ નહિ હોવાથી તે ભવિષ્યમાં થનારી બીજી ક્રિયાઓ કરી શકતા નથી, તે એવો પ્રશ્ન ઉદભવે છે કે સહકારિ કારણે નિત્ય પદાર્થમાં કંઇક એવી વિશેષતા ઉત્પન્ન કરે છે કે જે સહકારિ કારણે હાજર હોય તે જ તે કાર્ય કરી શકે અને તેના અભાવમાં ગેરહાજરીમાં તે ન જ કરી શકે ? આને પ્રત્યુત્તર તમે એમ આપતા હો કે સહકારિ કારણે જરૂર તે નિત્ય પદાર્થમાં વિશેષતા–વિશેષ અતિશય ઉત્પન્ન કરે છે, તે અમે તમને એ પૂછવા માંગીએ છઈએ કે આ અતિશય-વિશેષ નિત્ય પદાર્થના પૂર્વ સ્વભાવમાં ફેરફાર કરે છે કે કેમ અર્થાત સહકારિ કારણેને અંગે ઉત્પન્ન થતી વિશેષતાને લઈને શું નિત્ય પદાર્થના સ્વભાવમાં પરાવર્તન થાય છે કે નહિ ? પરાવર્તન થાય છે તે આપણે ઉપર જોઈ ગયા તેમ નિત્યવાદ ઉડી જાય છે અને પરાવર્તન નથી થતું એમ માને તે અનુક્રમે કિયા થાય છે એ વાત નષ્ટ થઈ જાય છે. ૨ સરખા બૌદ્ધાચાર્ય શ્રીધમકીતિનું કથન –
" नित्यं सत्वमसरवं वा-ऽहेतोरम्यानपेक्षणात् । અer fક માથાન, હાનિકારકણભષઃ |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org