________________
ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા.
૧૫ એવા અવિનાભાવ સંબંધના બળ ઉપર તમે અનુમાન કરે છે કે કેમ ? આને ઉત્તર તમે એમ આપતા છે કે ઉત્તર પક્ષ સ્વીકારે એ કંઈ ચતુર મનુષ્યનું કામ નથી, કેમકે તેમ કરવાથી તે અતિ પ્રસંગ પ્રાપ્ત થાય, વ્યભિચારી હેતુ દ્વારા પણ સાધ્યની સિદ્ધિ થઈ શકે ઈત્યાદિ અઘટિત વાત પણ અંગીકાર કરવી પડે, વાતે અમે પ્રથમ પક્ષ સ્વીકારીએ છીએ, તે હવે એવી પરિસ્થિતિ ઉદ્ભવે છે કે આ અનુમાનમાંનું વ્યાપ્તિરૂપ-અવિનાભાવ સંબંધરૂપ જ્ઞાન પ્રત્યક્ષથી થાય છે એમ તે તમારાથી પ્રસ્તુતમાં માની શકાય તેમ નથી, કેમકે અણુ-પરમાણુ અતીન્દ્રિય છે, તેથી એવા પદાર્થની સાથે અવિનાભાવ સંબંધ રાખનાર હેત-લિંગ પ્રત્યક્ષ-સિદ્ધ મળે તેમ નથી. આથી આવા સંબંધને નિશ્ચય અનુમાનથી થાય છે એમ જ કહેતા હતા તે તે અનુમાન આ અનુમાનથી સિદ્ધ માને છે કે અન્યથી એટલે કે અનુમાનાન્તથી ? “ આ જ અનુમાનથી ” એમ તે કહી શકાય તેમ નથી, કેમકે એ કથન તે પરસ્પરાશ્રય નામના દેષથી દૂષિત ઠરે છે, કારણ કે સંબંધને નિશ્ચય થવાથી તે અનુમાન થાય છે અને અનુમાન થવાથી સંબંધને નિશ્ચય થાય છે એ તમારા કથનને સાર નીકળે છે એટલે કે અણુનું જ્ઞાન અનુમાન ઉપર આધાર રાખે છે અને આ અનુમાનનું જ્ઞાન અણુના ઉપર આધાર રાખે છે.
- હવે જે અનુમાનાન્તરથી અણુનું જ્ઞાન થાય છે એમ કહેતા હૈ તે પાછા પૂર્વની માફક અનુમાનના બે પ્રકારમાંના કયા પ્રકારથી માને છે ઈત્યાદિ વિવેચન કરતાં અનુમાનાન્તરરૂપ
માનથી જ્ઞાન થાય છે એમ માનવું પડશે અને તેમ કરવા જતાં ‘અનવસ્થા દોષ લાગુ પડે છે. આથી આ સાર એ નીકળ્યો કે સાધન અને સાધ્યની વ્યાપ્તિ પ્રથમ કઈ પણ ઠેકાણે નિર્ણત કરી હોય તે જ ત્યાર પછી અન્યત્ર સાધન–હેતુને જોઈને સાધ્યનું અનુમાન કરી શકાય. પરમાણુરૂપ બાહ્ય વસ્તુ–અર્થની સિદ્ધિમાં તેવી વ્યાપ્તિ નહિ મળતી હોવાથી અનુમાન પ્રમાણ પણ અનુપયેગી કરે છે. અર્થાત અણુનું જ્ઞાન અનુમાન દ્વારા પણું થઈ શકતું નથી.
ચાલે, આ સંબંધમાં હવે તમને બીજે જ પ્રશ્ન પૂછીએ છીએ અને તે દ્વારા પણ અર્થને અણુરૂપ માનવામાં જે દેશે આવે છે તે બતાવીએ છીએ. શું આ આણું નિત્ય છે કે અનિત્ય છે? જે અણુને નિત્ય કહેતા હે, તો તે કઈ પણ ક્રિયા કરી શકે તેમ છે કે નહિ અર્થાત્ તે અણુ નિત્ય હેઈ કરીને પણ ક્રિયા કરવામાં પ્રવૃત્તિમાનું થાય છે કે તે અકિંચિત્કાર છે? અન્ય પક્ષ તે માની શકાય તેમ નથી, કેમકે અર્થ-કિયા ન કરી શકે તેવા અર્થાત્ અકિંચિત્કર પદાર્થો તે ખ-પુષ્પ (આકાશકુસુમની) માફક સત્તા ધરાવતા નથી. આથી જે અણુને નિત્ય તેમજ તે અર્થ-ક્રિયા કરે છે એમ માનતા હે, તો એ કહેશે કે તે નિત્ય પદાર્થ અર્થ–ક્રિયા અનુક્રમે કરે છે કે યુગપએકી સાથે સર્વ અર્થ કિયાએ કરે છે?
જે તે નિત્ય પદાર્થ અર્થ-ક્રિયા અનુક્રમે કરે છે, એમ કહેતા હો, તે તે શું જ્યારે જ્યારે ક્રિયાઓ કરે છે ત્યારે ત્યારે તેને સ્વભાવ તેને તે જ કાયમ રહે છે કે તેમાં ફેરફાર થાય છે અર્થાત્ અર્થ-ક્રિયા સ્વભાવ-અભેદ–પૂર્વક છે કે સ્વભાવ–ભેદ–પૂર્વક છે ? જે પ્રથમ પક્ષ સ્વીકારતા હે. તો શું જે સ્વભાવ વડે પરમાણુ પ્રથમ કાર્ય કરે છે, તે જ સ્વભાવ વડે તે ઉત્તર કાર્ય કરે છે કે જે સ્વભાવ વડે ઉત્તર કાર્ય કરે છે તે જ સ્વભાવ દ્વારા તે પૂર્વ કાર્ય કરે છે તે જણાવશો. આમાંથી ગમે તે વાત અંગીકાર કરવાથી તે તે અર્થકિયા અનુક્રમે ન કરતાં યુગપત્ કરે છે એમ માનવું પડશે.
હવે જે બીજો પક્ષ અંગીકાર કરતા હૈ અર્થાત્ એમ કહેતા છે કે સ્વભાવ-ભેદપૂર્વક તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org