SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ જીવ--અધિકાર. [ પ્રથમ આ વાત ઉપર વિચાર કરીએ તે પૂર્વે જગત્માં કેઇ પદાર્થ જ નથી; સર્વ જગત્ શૂન્ય છે; 'પ્રમાતા પ્રમેય, પ્રમાણુ કે પ્રમિતિ એવું કઇં ઇંજ નહિ એ પ્રમાણેની ઉદ્ઘાષણા કરનારા પશુન્યવાદીએના કથન તરફ લક્ષ્ય આપવું આવશ્યક સમજાય છે. પ્રથમથી જ એ નિવેદન કરવાની જરૂર જણાય છે કે જોકે શૂન્યવાદીને પૂર્વ પક્ષ અને તેનું નિરાકરણ સમજાવવા બનતા પ્રયાસ કરવામાં આવે છે, છતાં જો એ વાત કોઇ પાઠકને ગળે ન ઉતરે તે તેથી તેને નિરાશ થવાનું કઇ કારણ નથી. એ વાત પડતી મૂકીને અન્ય વિષય તરફ ષ્ટિપાત કર્યા બાદ ફરીથી એ વિષય ઉપર વિચાર કરવાથી વધુ પ્રકાશ પડશે એવી આશા રહે છે. આ હકીકત વિચારવામાં આવનારી · માયાવાદ–મીમાંસા ' ને પણ લાગુ પડે છે. શૂન્યવાદ-સમીક્ષા પૂર્વ પક્ષ- હું જૈન મતાવલ ખી ! જ્ઞાન એ શું છે ? જો જ્ઞાન એ બાહ્ય અર્થ-પદાર્થનું આંતરિક ગ્રાહક છે અને બાહ્ય અથ ગ્રાહ્ય છે એમ કહેતા હે, તે આ અર્થ અણુરૂપ, સ્થૂલરૂપ, ઉભયરૂપ કે અનુભયરૂપ છે એમ પ્રશ્ન ઊઠે છે. આમાંથી જો પ્રથમ પક્ષ ગ્રહણ કરતા હા અર્થાત્ અ અણુરૂપ છે એમ કહેતા હૈ, તે આ અણુ સંબંધી જ્ઞાન–નિશ્ચય પ્રત્યક્ષ દ્વારા થાય છે કે અનુમાન દ્વારા થાય છે એ જાણવું બાકી રહે છે, કેમકે આ એ પ્રમાણેા ઉપરાંત ત્રીજી કોઇ પ્રમાણ નથી.અે જો પ્રત્યક્ષ દ્વારા થાય છે એમ માને તે અમે તમને પૂછીએ છીએ કે આ પ્રત્યક્ષ ચાગિન પ્રત્યક્ષ છે કે અસ્મદાદિ પ્રત્યક્ષ છે અર્થાત્ આ પ્રત્યક્ષ ચાગિ−ગમ્ય છે કે આપણા જેવાને જેમ અન્ય વસ્તુનું પ્રત્યક્ષ જ્ઞાન થાય છે તેવું આ પ્રત્યક્ષ છે ? પ્રથમ વાત અંગીકાર કરશે તે તે તે આગમ પ્રમાણને વિષય ઠરશે, અને તેમ થતાં તે શ્રદ્ધામાત્રથી આદરણીય મનાશે, એટલે તે હકીકત ઇષ્ટ નથી. જો દ્વિતીય વાત તમને માન્ય હાય, તે તે અનુભવ–વિરૂદ્ધ વાત છે, કેમકે સ્વપ્નમાં પણ આ પરમાણુ છે, આ પરમાણુ છે એવુ જ્ઞાન થતું નથી પણ ઉલટું આ સ્તમ્ભ છે, આ ઘટ છે, ઇત્યાદિ સ્થૂલ વિષયનું જ્ઞાન થાય છે. આથી જોઇ શકાય છે કે અણુનો નિશ્ચય પ્રત્યક્ષ દ્વારા થાય છે એ હકીકત યુક્તિ-વિકલ છે. હવે જે અણુના નિશ્ચય અનુમાન-શમ્ય છે એમ માનતા હા, તે અમારે તમારી પાસેથી એ જાણવું આકી રહે છે કે તમે અનુમાનને અર્થ નિશ્ચિત-સાધ્ય–સાધન–સંબંધરૂપ અનુમાન કરા છે કે એથી વિપરીત ? અર્થાત્ જે સાધ્ય-સાધનના અવિનાભાવરૂપ સંબધના નિશ્ચય થયા છે ૧ કાઇ પણ વસ્તુને યુકિતપુર:સર મેધ કરનાર તે ‘ પ્રમાતા કહેવાય છે. ૨ જે વસ્તુ ખાધ કરવા યેાગ્ય-જાણવા લાયક હોય તે · પ્રમેય ' છે. ૩ જેના વડે વસ્તુના યથા મેધ થાય તે ‘ પ્રમાણ ’ છે. ૪ વસ્તુના યથાર્થ એધ તે ‘ પ્રમિતિ ' છે. ૫ આ શૂન્યવાદીએ તે બીજા કાઇ નહિ, પરંતુ આપણે જોઇ ગયા તેમ તેએ બૌદ્ધ દશનના ચાર સંપ્રદાયોમાંના · માધ્યમિક ' સંપ્રદાયના અનુયાયી છે. - બૌદ્ધ દર્શન તેમજ વૈશેષિક દાન પ્રમાણે પ્રત્યક્ષ અને અનુમાન એમ એ જ પ્રમાણેા છે. હું એક વિના બીનનું નહિ હાવું એવા આનેા સામાન્ય અર્થ છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy