________________
૮૬૮ આસવ-અધિકાર.
[ nતીય અહિંસાના પાલન માટે પૂર્ણ અવકાશ–
આપણે ૮૩૬ માથી ૮૩૯ મા સુધીનાં પૃષ્ઠમાં જોઈ ગયા તેમ હિંસાના દ્રવ્યહિંસા અને ભાવહિંસા એમ બે પ્રકારો છે. તેમાં દ્રવ્યહિંસાને ભાવહિંસા સાથે સંબંધ હોવાથી–એ એના ફળરૂપ હેવાથી એને “હિંસા” ગણી છે, પરંતુ એથી એમ માનવાનું કારણ નથી કે દ્રવ્યહિંસા થાય ત્યારે ભાવહિંસા થયેલી જ હોય. આ પ્રમાણે જે વ્યહિંસાથી ભાવહિંસાનું અસ્તિત્વ સ્વતંત્ર ન હેત તો જૈન દર્શન પ્રમાણે કઈ પણ અહિંસક બની જ ન શકત અને વળી નિમ્નલિખિત પદ્યગત શંકાના સમાધાન માટે પણ સ્થાન રહેત નહિ
તુ વસ્તુ-રાજા રતુવેર દા
जन्तुमालाकुले लोके, कथं भिक्षुरहिंसकः ? ॥" અર્થાત્ જળમાં જંતુ છે, સ્થળમાં જંતુ છે, આકાશમાં પણ જંતુ છે, આ પ્રમાણે જ્યારે સમગ્ર લેક જંતુઓની શ્રેણિથી વ્યાપ્ત છે તે ભિક્ષુ (મુનિ) અહિંસક કેવી રીતે હોઈ શકે?
આ શંકાનું સમાધાન નીચે મુજબનું પદ્ય પૂરું પાડે છે * “ હુકમ પ્રતિજો , બિના શૂ I
ये शक्यारते विवय॑न्ते, का हिंसा संयतात्मनः ॥ " અર્થાત સૂક્ષમ છે (કે જે અદશ્ય હોય છે તે)ને પીડા કરાતી નથી. વળી સ્થળ (બાદર) જીમાં જેની રક્ષા કરી શકાય તેમ છે તેની રક્ષા કરાય છે. તે આ પ્રમાણે વર્તનારા સંયમી આત્માને કેવી રીતે હિંસ લાગે ? આથી એ વાત સ્પષ્ટ થાય છે કે જે આત્મા હિંસા કરવાને * ૧ આને બદલે નીચે મુજબને શ્લોક પણ નજરે પડે છે –
“ નીકાઃ થરે વીરા, ગી: vagar |
__ ज्वालामालाकुले जीवाः, सर्व जीवमयं जगत् ॥ " * ૨-૩ એ ભાગ્યે જ યાદ કરાવવું પડશે કે જૈન દષ્ટિ પ્રમાણે મનુષ્ય, પશુ, પક્ષી, કીડી, મંકડા ઉપરાંત પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને વનસ્પતિમાં પણ જીવ છે. માટીના ઢેફામાં કીડી વગેરે જીવજંતુઓ હોય છે તે ઉપરાંત માટીનું ઢપુ' જાતે પૃથ્વીકાયિક જીવોના શરીરનું પિંડ છે. એવી રીતે જળના બિન્દુમાં સૂક્ષ્મદર્શક યંત્ર દ્વારા જે જંતુઓ જેવાય છે તે ત્રસ છે ઉપરાંત એ જળ સ્વયં જલકાયિક જીવોના શરીરનું પિંડ છે. એ પ્રમાણે અગ્નિકાયાદિ માટે સમજી લેવું. આવું વિવેચન પારસી ધર્મનાં વિસ્તા પુસ્તકમાં પણ નજરે પડે છે. જેમ જૈનોમાં પ્રતિક્રમણને નિર્દેશ છે તેમ પારસીઓમાં પ્રાયશ્ચિત્ત-ક્રિયાને ઉલ્લેખ છે. એની વિધિમાં એવો નિર્દેશ છે કે ધાતુ-ઉપધાતુનો મેં જે દુર્થવહાર ( અપરાધ ) કર્યો હોય તેને હું પશ્ચાત્તાપ કરું છું. જમીનને જે અપરાધ કર્યો હોય તેનો હું પશ્ચાત્તાપ કરું છું. પાણી અથવા પાણીના અન્ય પ્રકારના મેં જે અપરાધ કર્યો હોય તેનું હું પ્રાયશ્ચિત્ત કરું છું. વૃક્ષ કે વૃક્ષના અન્ય ભેદને મેં જે અપરાધ કર્યો હોય તેનું હું પ્રાયશ્ચિત્ત કરું છું. મહેતા, આફતાબ, બળતે અગ્નિ વગેરેનો મેં જે અપરાધ કર્યો હોય તેનું હું પ્રાયશ્ચિત્ત કરું છું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org