SearchBrowseAboutContactDonate
Page Preview
Page 945
Loading...
Download File
Download File
Page Text
________________ આસવ-અધિકાર [ સ્વતીય કરવાથી પાપ લાગે છે એવી બીકથી લોકોએ માંસાહાર છે અને એથી કરીને માંસના ભક્ષણથી ઉદ્દભવતું શારીરિક બળ અને માનસિક શીય તેમણે ગુમાવ્યું. વળી આ અહિંસાને પ્રચાર થવાથી તેમાંથી યુદ્ધની ભાવના નષ્ટ થતી ગઈ અને એથી પરદેશી ટેળાઓ સામે ટક્કર ઝીલવાનું તેમણે માંડી વાળ્યું, અને તેમ કરીને એવા વિદેશી અને વિધર્મી જનેના ગુલામ બનવાને માર્ગ તેમણે મેક કર્યો. આના પ્રત્યુત્તર તરીકે નિવેદન કરવાનું કે સમુચિત સમીક્ષક આ કલ્પનાઓને નિતાંત યુક્તિવિકલ અને સત્યથી વિમુખ માન્યા વિના નહિ રહે, કેમકે આ કલ્પનાઓનું મૂળ અજ્ઞાનતા અને અનુભવશૂન્યતા છે. જેઓ આવી કલ્પનાઓ કરે છે તેઓ ભારતના ઇતિહાસથી અનભિજ્ઞ છે એમ જણાય છે તેમજ વળી તેઓ માનવસમાજની પરિસ્થિતિથી પણ અપરિચિત છે એમ સમજાય છે. ભારતની પરતંત્રતાનું કારણ અહિંસા નથી જ, કિનતુ અકર્મણ્યતા, અજ્ઞાતતા, અસહિષ્ણુતા અને અદેખાઈ છે અને એ સર્વનું મૂળ હિંસા છે એ વધારામાં. ભારતને પ્રાચીન ઈતિહાસ પિકારી રહ્યો છે કે જ્યાં સુધી “અહિંસા દેવીના પૂજારીઓ મોજુદ હતા, જ્યાં સુધી અહિંસાપ્રધાન ધર્મોની ચડતી રહી ત્યાં સુધી પ્રજામાં શૌર્ય, શાંતિ, સુખ અને સંતોષની ન્યૂનતા ન હતી. અહિંસા ધર્મના મહાન પ્રચારક મૌર્ય સમ્રાટ અશોક અને ચંદ્રગુપ્તના સમયમાં શું ભારતને દેહ પરતંત્રતારૂપ જંજીરથી જકડાયેલું હતું કે ? અહિંસા ધર્મના ચુસ્ત અનુયાયી તરીકે કદંબ, પલ્લવ અને ચાલુકય વંશના રાજાઓ સુપ્રસિદ્ધ છે. શું એમના રાજ્ય દરમ્યાન કેઈ પરચકે ભારતને સતાવ્યાની ઈતિહાસ સાક્ષી પૂરે છે કે અહિંસાના અનુગામી ચક્રવર્તી સમ્રાટ શ્રીહર્ષ હતા. શું એમના સમયમાં ભારતની સ્વતંત્રતાને કેઈએ કચડી હતી એમ કહેવાય તેમ છે કે? શું દક્ષિણના રાષ્ટ્રકૂટ વંશના નરેન્દ્ર અમેઘવર્ષની અને ગુજરાતના ચૌલુક્ય વંશના ભૂપાલ કુમારપાલની અહિંસાની આરાધનાથી દેશની સ્વતંત્રતાને આઘાત પહોંચ્યો હતો કે? ઈતિહાસને અખંડ અભ્યાસ તો દાંઠ પીટી રહ્યો છે કે ભારતવર્ષીય આ નરેશ્વરના રાજ્ય-સમયમાં ભારત દેશ અસ્પૃદયના શિખર ઉપર હતે. કહેવું પડશે કે જ્યાં સુધી ભારતમાં જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મનું જોર રહ્યું, જ્યાં સુધી એ ધર્મોને રાષ્ટ્રીય ધમ ગણવાનું માન મળતું રહ્યું ત્યાં સુધી ભારતમાં શાંતિ અને સંપત્તિ પૂર્ણતયા વિરાજતી હતી. વિશેષમાં અહિંસાના પરમ ઉપાસક રાજાઓએ અનેક યુદ્ધો ખેલ્યાં, અનેક શત્રુઓને પરાજિત કર્યા તેમજ અનેક દુષ્ટ જનેને દંડયા. શું આવી સ્થિતિમાં પણ અહિંસાની ઉપાસનાને દેશની પરાધીનતાનું અને નિઃસત્ત્વતાનું મૂળ કહેવું એ સજજનેને શોભે? જેઓ ગુજરાત અને રાજપુતાનાના યથાર્થ ઈતિહાસથી સુપરિચિત છે તેઓ તે જાણે છે જ કે દેશને સ્વતંત્ર, સમુન્નત અને સુરક્ષિત રાખવામાં જૈનોએ કેવો અને કેટલે ફાળો આપે છે. જે વખતે ગુજરાતને રાજ્યકારભાર જૈનોના હાથમાં હતું, જે સમયે મહામાત્ય, મંત્રી, સેનાપતિ અને કેષાધ્યક્ષ વગેરે મોટા મોટા હોદ્દાઓ ઉપર જેને હતા તે વખતે ગુજરાતનું એશ્વર્ય અનુપમ હતું. ગુજરાતના ઇતિહાસમાં દંડનાયક વિમલશાહ, મહામાત્ય ઉદયન અને બાહડ, મંત્રી મુંજાલ, પ્રધાન શાંતુ, વસ્તુપાલ, તેજપાલ, આભૂલ અને જગનું જેવું સ્થાન છે તેવું બીજા કેટલાનું છે? બકે સમગ્ર ભારતના ઈતિહાસમાં અહિંસા ધર્મના પરમ ઉપાસકોના જેવા પરાક્રમીની જોડ મળવી મુશ્કેલ છે એમ કહ્યા વિના ચાલશે કે ? જે દેશમાં અહિંસાનું નામ નિશાન પણ નથી, જ્યાં માંસના અવિચ્છિન્ન આહાર વિના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy