________________
આસવ-અધિકાર.
[ તૃતીય જ્ઞાતિent તરન્નિધૌ તૈલ્યા ૨-૩૧ કહેવાનો મતલબ એ છે કે જે મનુષ્ય અહિંસાનું સર્વાગે અને વાસ્તવિક રીતે પાલન કરે તે તેની આગળ ઝેરી વાતાવરણ ખાંડ ખાય છે. અર્થાત તે પિતાની આસપાસના વાતાવરણ ઉપર એવી અને એટલી બધી ઉમદા અસર કરે છે કે સાપ અને એવાં બીજા ઝેરી છે પણ તેને હેરાન કરતા નથી–બકે કરી શકતા નથી. એમ કહેવાય છે કે આસાઈના સેંટ કન્સિસ (St. Francis)ને આવો અનુભવ થયો હતો. જે આપણે આપણે પ્રેમ આપણુ કહેવાતા શત્રુ ઉપર એવી રીતે ઢળીશું કે તેના સંસ્કાર ઉપર તેની સ્થાયી અસર પડે છે તે પણ આપણને ચહાવા લાગશે. ટુંકમાં અહિંસાની અંતિમ અને અતિશય આદરણીય ભૂમિકાએ આરૂઢ થયેલા મહાનુભાવના ચરણમાં સમગ્ર જગતું આળોટે છે, જોકે તેમની તે તેવી ભાવના કદાપિ હતી જ નથી અને હોય તે તે મહાત્મા શાના ? અંતમાં આના ગૌરવને અંગે એટલું જ નિવેદન કરીશું કે ઐહિક અને પારલૌકિક સર્વ દુઃખેને મટાડવામાં અને સાચા અને સનાતન સુખ અર્પવામાં ચિંતામણિ, કામધેનુ, કલ્પલતા વગેરેને સમુદાય એની આગળ પાણી ભરે છે.
અહિંસાનું વ્યાપકત્વ
કેટલાક ધર્મોમાં અહિંસા-તત્ત્વ કેવળ કાયિક છે, જ્યારે જૈન ધર્મ એથી આગળ વધે છે અને તે પણ એટલે સુધી કે એની અહિંસા વાચિક અને માનસિક જ ન રહેતાં આત્મિક બની જાય છે. વળી કેટલાક ધર્મમાં અહિંસા મનુષ્ય પર્યત અને કવચિત્ પશુ, પંખી પર્યત જ ઉપદેશાયેલી છે, જ્યારે જૈન દર્શનમાં અહિંસાની સીમા જ નથી, એનું ક્ષેત્ર સમગ્ર સચરાચર
તતિ છે, જેને અહિંસા તે વિશ્વની પેઠે અમર્યાદિત જ છે-અનંત છે અને આકાશની માફક સમગ્રપદાર્થવ્યાપિની છે. જેને અહિંસા પરત્વે ગેરસમજ–
જૈન અહિંસાના યથાર્થ સ્વરૂપથી અનભિજ્ઞ જનેએ એના સંબંધમાં અનેક આક્ષેપે રજુ કર્યા છે. કેઈક એને અવ્યવહાર્યા કહે છે, કેઈક એને અનાચરણીય માને છે, કેઈ એને આત્મઘાતિની ગણે છે, કોઈ એને રાષ્ટ્રનાશિની તરીકે ઓળખાવે છે, કેઈ એને દેશની પરાધીનતાના પ્રેરક બળ તરીકે ઉલલેખે છે અને કોઈ એને પ્રજાને નિઃસવ અને નિવીર્ય બનાવનારૂં સાધન માને છે, પરંતુ નિષ્પક્ષપાતી વિચારકને જરૂર જણાશે કે અહિંસાનું વાસ્તવિક સ્વરૂપ સમજવાની તસ્દી ન લેવાયાથી–તેને પૂર્ણ પરિચય ન મળવાયાથી જ આવા બ્રાન્ત વિચારોને જન્મ થયો છે.
દેશભક્ત પંજાબકેસરી સ્વર્ગસ્થ લાલા લજપતરાય જેવા જૈન અહિંસાનું સ્વરૂપ સમજી શક્યા નહિ એ ખેદને વિષય છે. મહાત્મા ગાંધીને તેને સચોટ ઉત્તર આપે પડયો.
૧ આ ધર્મમાં અન્ય કરેલી હિંસાના અનુમોદનને પણ નિષેધ છે અર્થાત પિતે હિંસા કરવી નહિ. અન્ય પાસે કરાવવી નહિ તેમજ કેઈએ કરેલી હિંસા અનુમોદવી પણ નહિ, એ એને મુદ્રાલેખ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org