SearchBrowseAboutContactDonate
Page Preview
Page 936
Loading...
Download File
Download File
Page Text
________________ ઉલ્લાસ ] આર્દ્રત દર્શન દીપિકા, ૮૫૭ માનનાર હિંસારૂપ દોષમાં અસત્યાદિ બધા દોષોના ત્યાગ જુએ છે. એવી રીતે સત્યને પરમ ધમ માનનાર અસત્યમાં બાકીના બધા ઢાષા ઘટાવી કેવળ અસત્યના જ ત્યાગમાં બાકીના હિંસાદિ બધા દોષોના ત્યાગ જુએ છે. એ પ્રમાણેની બ્રહ્મચર્ય, સતાષ વગેરે મુખ્ય ધમ માનનારાની ષ્ટિ રહેલી છે અને રહેવી જ જોઇએ; નહિ તે શું તેને માથે અનેકાંત જેવી પવિત્ર ચીજનું ખૂન કર્યાના આરેાપ ન મૂકાય ? વ્રતના અથ હિ‘સા, અસત્ય, ચારી, અબ્રહ્ન ( મૈથુન) અને પરિગ્રહથી નિવૃત્ત થવું તેનું નામ ‘વ્રત’ છે એમ તત્ત્વાથ ( અ. ૭ )ના નિમ્નલિખિત આદ્ય સૂત્ર ઉપરથી જણાય છે: " हिंसानृतस्तेयाब्रह्मपरिग्रहेभ्यो विरतिर्व्रतम् । ,, અત્ર જોકે હિંસાદિ દોષાની નિવૃત્તિને વ્રત' કહ્યું છે, પરંતુ એમાં સત્પ્રવૃત્તિના અંશ રહેલા જ છે એટલે કે વ્રત એ કેવળ નિષ્ક્રિયતા નથી. અર્થાત્ તની નિવૃત્તિ અને પ્રવૃત્તિ એમ બે બાજુએ છે અને બને બાજુ લક્ષ્ય આપવાથી જ વ્રત પૂર્ણ બને છે. સત્કાર્યમાં પ્રવૃત્ત થવાય તે માટે તેના વિરોધી અસત્કાર્ય થી નિવૃત્ત થવું જ જોઇએ, એ વાતને લક્ષ્યમાં રાખીને નિવૃત્તિની ખાજીનુ દ્યોતન કરવામાં આવ્યુ છે. આ પ્રમાણે નિવૃત્તિ સેવવાથી આપાઆપ સત્કામાં મન, વચન અને કાયાની પ્રવૃત્તિ કરવાના માર્ગ મેાકળા થાય છે. વિરતિનું લક્ષણ— હિંસાપિચાશ્રવરિયા જાણ્યું વિતેહેક્ષનમ્ । ( ૧૨ ) અર્થાત્ હિંસા, અસત્ય, ચારી, અબ્રહ્મ અને પરિગ્રહરૂપ પાંચ આશ્રવાને ત્યાગ તે ‘વિરતિ’ કહેવાય છે. આ વિકૃતિના દેશવિરતિ અને સવિરતિ એમ બે પ્રકારે છે. અન્ય શબ્દોમાં કહીએ તે અલ્પ અંશે વિરતિ તે ‘ અણુવ્રત ' છે, જ્યારે સર્વાંગે વિરતિ તે ‘ મહાવ્રત ’ છે. ત્યાગ–માગ ના અભિલાષી ઢાષાથી નિવૃત્ત થવા પ્રયાસ સેવે છે, પરંતુ બધાના ત્યાગ એકસરખા હાતા નથી અને એ વિકાસક્રમની દૃષ્ટિએ ખરેખર સ્વાભાવિક છે. આથી કરીને અહીં હિંસાદિ ઢોષાની ઘેાડી અને ઘણી એ બધી નિવૃત્તિને વ્રત માની તેના ટુંકમાં એ ભેદો પાડવામાં આવ્યા છે. જોકે અત્ર ઢોષની નિવૃત્તિને દેખીતી રીતે વિરતિ યાને વ્રત ગણ્યું છે, છતાં તેમાં સત્પ્રવૃત્તિને અંશ આવી જ જાય છે; કેમકે વ્રતની નિવૃત્તિ અને પ્રવૃત્તિ એમ એ બાજુએ છે અને અનેનું સેવન એ જ વ્રતની પૂર્ણાહુતિ છે. અન્ય શબ્દોમાં કહીએ તે અસત્કાર્યાંથી નિવૃત્ત થવાનું વ્રત એટલે તેનાં વિરાધી સત્કાર્યને વિષે ત્રિવિધ પ્રવૃત્તિ; અને સત્કાર્યોંમાં પ્રવૃત્ત થવાનું વ્રત એટલે તેનાં વિરોધી અસત્કાર્યાંથી નિવૃત્ત થવાની હાકલ. આ પ્રત્યેકના હિંસાદિ આશ્રવા શ્રી પાંચ પ્રકારો પડે છે. તેમાં દેશથી પ્રાણાતિપાતવિરતિનું લક્ષણ એ છે કે— ૧ પાકની રક્ષા માટે જેમ વાડ હોય છે તેમ અહિંસા સિવાયનાં ત્ર। અહિ'સારૂપ આત્મખેતીના પાકની વાડરૂપ હાવાથી અહિંસાને મુખ્ય અને બાકીનાં વ્રતાને ગૌણ ગણવામાં આવે છે. 108 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy