SearchBrowseAboutContactDonate
Page Preview
Page 922
Loading...
Download File
Download File
Page Text
________________ ઉલાસ ] આહંત દર્શન દીપિકા. ૮૪૩ નામ “હિંસા ” છે. સામાન્ય રીતે વિચારતાં હિંસાના દ્રવ્ય-હિંસા અને ભાવ-હિંસા એમ બે મુખ્ય ભેદે પડે છે. દ્રવ્ય-હિંસા એટલે માત્ર પ્રાણેનું વ્યરે પણ; અને ભાવ-હિંસા એટલે અશુભ પરિણામ. પાત્રના ભેદને લઈને હિંસાના ચાર પ્રકારે પડે છે. જેમકે (૧) કઈ પાત્રમાં દ્રવ્યહિંસા અને ભાવહિંસા બંને હોય છે; (૨) કોઈમાં કેવળ દ્રવ્યહિંસા હોય છે એટલે ભાવહિંસા હતી નથી; (૩) કેઈમાં માત્ર ભાવહિંસા હોય છે અર્થાત્ દ્રવ્યહિંસા રહેતી નથી; અને (૪) જેમાં દ્રવ્યહિંસા પણ ન હોય અને ભાવહિંસા પણ ન હોય એવું પાત્ર, આ ચેાથો ભંગ શરીરધારી છવ આશ્રીને શૂન્ય છે, કેમકે એવું તે એક પણ શરીરધારી પાત્ર નથી. આ ચારેનાં ઉદાહરણે નીચે મુજબ છે(૧) દ્રવ્યહિંસા અને ભાવહિંસાને સહભાવ એક શિકારીની વૃત્તિ મૃગને મારવાની છે અને બાણ ફેંકીને તે તેને મારી પણ નાંખે છે. આ સ્થળે ઉભય પ્રકારની હિંસા રહેલી છે. અન્ય દષ્ટાંત તરીકે પોતાના મહાપાપના ઉદયને લીધે કસાઈઓ અત્યંત મલિન અધ્યવસાય દ્વારા ગાય, ભેંસ વગેરેની કતલ કરે છે ત્યારે તેમના અશુભ પરિણામને લઈને આ દ્રવ્યહિંસાની સાથે સાથે ભાવહિંસાના પણ તેઓ ભાગી બને છે, કેમકે તેમનામાં કૂર પરિણામરૂપ ભાવહિંસા છે અને ગાય વગેરેના પ્રાણના નાશરૂપ દ્રવ્યહિંસા છે. (૨) માત્ર દ્રવ્યહિંસા હાલતાં ચાલતાં, ખાતાં પીતાં, સૂતાં બેસતાં કે એવી કે અન્ય ક્રિયા કરતાં સંત જન દ્વારા જે અન્ય પ્રાણીને ઘાત થાય તેમાં માત્ર વ્યહિંસા જ છે, પરંતુ ભાવહિંસા નથી જ, કેમકે તેમની વૃત્તિ શુભ છે. આ સંબંધમાં અન્ય ગ્રંથોમાં પણ સૂચવાયું છે કે સાવધાન સંતની ચાલવા વગેરે ક્રિયાથી કઈ છ જંતુ મરી જાય તે પણ તેમની શુભ વૃત્તિને લઈને આ પ્રાણઘાતથી તેમને સૂક્ષ્મ પણ બંધ થતું નથી, કારણ કે એ સંત અપ્રમાદી છે અને બંધ વા હિંસા તે પ્રમાદીને જ લાગે છે. આ સંતે તે બીજા કેઈ નહિ પણ ક્ષીણમેહ ગુણસ્થાને આરૂઢ થયેલા કેવલજ્ઞાનીઓ છે. ૧ કહ્યું પણ છે કે શરીર ઉષાત મા વા, ધ્રુવં far swifજનઃ | सा प्राणव्यपरोपेऽपि, प्रमादरहितस्य न ॥" ૨ દશવૈકાલિકની ટીકાના ૨૪ મા પત્રમાં અવતરણરૂપે કહ્યું પણ છે કે " उच्चालियंमि पाए इरियासमिअस्स संकमाए । ગાયકોઝ રિની મરિન તે નાનાનt II. म य तस्स तणिमित्तो बंधो सुहमो वि देसि ओ समप । नम्हा सो अपमत्तो सा य पमाओ त्ति निदिदा ॥" [ उच्चालिते पादे ईयासमितेन सङ्क्रमणार्थम् । ज्यापद्यत कुलिङ्गी म्रियेत तं योगमासाच॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy