SearchBrowseAboutContactDonate
Page Preview
Page 919
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૪૦ આસ્રવ–અધિકાર. [ તૃતીય એટલે પ્રમત્ત ચેાગ એવી અને એટલી જ હિંસાની વ્યાખ્યા ન કરતાં તેમાં પ્રાણુનાશ એવા અશ શા સારૂ ઉમેરાયા છે એવી સહજ શ’કા ઉદ્ભવે છે. આનુ સમાધાન એ છે કે પ્રમત્ત યેાગ એ જ તાત્વિક દષ્ટિએ હિંસા છે, પરંતુ સમુદાયમાં તેને ત્યાગ એકાએક અને માટે ભાગે અશકય જેવા છે. એથી ઉલટી સ્થિતિ પ્રાણુનાશની ખાખતમાં છે; તેના ત્યાગ સામુદાયિક જીવનની સ્વસ્થતા માટે ઈષ્ટ છે અને વળી તે માટે ભાગે શકય પણ છે. પ્રમત્ત ચેગના ત્યાગ કરવા જેટલી તાકાત ન પ્રાપ્ત કરાઇ હોય છતાં સ્કૂલ પ્રાણુનાશની વૃત્તિ ઓછી થઇ હાય તેપણ ઘણી વાર સામુદાયિક જીવન સુખમય અને શાંતિમય બને છે. વળી અહિંસાના વિકાસક્રમ પ્રમાણે પણ પ્રથમ સ્થૂલ પ્રાણુનાશના ત્યાગ અને પછી ધીરે ધીરે પ્રમત્ત યોગના ત્યાગ સમુદાયમાં સભવે છે. આથી આધ્યાત્મિક વિકાસના સાધક તરીકે પ્રમત્ત ચેાગરૂપ હિંસાના જ ત્યાગ ઈષ્ટ હોવા છતાં સામુદાયિક જીવનની દૃષ્ટિએ હિંસાના સ્વરૂપમાં સ્થૂલ પ્રાણનાશને સ્થાન આપી તેના ત્યાગને પણ અહિંસાની કેટમાં સમાવેશ કરાય છે. હિંસાના સ્વરૂપનું પ્રતિપાદન ગહન છે, તેથી પુનરાવૃત્તિ થતી હોય તે તે દોષને વહેારી લઇને પણ એ સંબંધમાં ક્ષમાશ્રમણ શ્રીજિનભદ્ર ગણિરત્ન પ્રમુખ મુનીશ્વરાનાં કથનાને સારાંશ પ્રશ્નોત્તર પદ્ધતિ પૂર્વક રન્તુ કરીશું. પ્ર॰ આ સંપૂર્ણ લેાક જીવાથી વ્યાપ્ત છે; તેથી લેાકમાં વસતા પ્રાણી દ્વારા કાઇને કોઇ રીતે જીવઘાતના સંભવ છે જ; માટે જે પ્રાણી જીવઘાત કરે તે હિંસક જ કેમ ન ગણાય? અર્થાત્ આ સંસારમાં એવા કોઇ પ્રાણી મળી જ ન શકે કે જે સવથા અહિંસક હાય-કાઇ પણ જીવને તેને હાથે ઘાત ન થતા હૈાય. આવી પરિસ્થિતિમાં લેાકમાં રહેનારા પ્રાણી માટે અહિંસા ધર્મના વ્યવહાર જ શકય નથી તેા પછી કાઇ પણ અહિંસા પાળે જ શી રીતે અને એથી એને ઉપદેશ પણ ક્યાંથી વ્યાજખી ગણાય ? ઉ॰ આ આપના પ્રશ્ન હિંસાની વ્યાખ્યાની અનભિજ્ઞતા સૂચવે છે; કેમકે જો આપ એમ કહેવા ઇચ્છતા હૈ। કે જે કાઇ પ્રાણી જીવનેા ઘાત કરે છે તે હિંસક જ છે અને જે તેમ કરતા નથી તે અહિંસક જ છે તે આપની એ માન્યતા ભૂલભરેલી છે. વળી જો આપ એવા અભિપ્રાય ધરાવતા હૈા કે જે પ્રાણી સથા નિર્જીવ સ્થળમાં રહેતા હાય તે અહિંસક જ છે અને જે જીવાથી વ્યાપ્ત એવા આ લેાકમાં રહેતા ઢાય તે હિંસક જ છે તે તે અભિપ્રાય પણ વ્યાજખી નથી. આનું કારણ નીચે મુજમ છેઃ— વાસ્તવિક રીતે તા દુષ્ટ વૃત્તિથી જ જન્મ પામતી જીવઘાતની પ્રવૃત્તિ ‘હિં’સા’ કહેવાય છે, જ્યારે અદૃષ્ટ વૃત્તિ યાને શુભ ભાવનાથી ઉદ્ભવતી આકસ્મિકી પ્રાણઘાતની પ્રવૃત્તિ પણ હિંસાની કેટિમાં ગણાવાતી નથી, કિન્તુ ઉલટી તેને ‘અહિંસા’ ગણવામાં આવી છે. આટલા માટે તા કેટલાક જીવા જે દેખાવમાં ખાદ્ય દૃષ્ટિએ જીવાતથી નિવૃત્ત જોવાય છે, પરંતુ જે અ ંદરથી મિલન ભાવનાથી વ્યાપ્ત છે તે ખરી રીતે ‘ હિંસક ’ ગણાય છે, જ્યારે કેટલાક જીવા ખાહ્ય દૃષ્ટિએ હિ'સક જણાતા હોવા છતાં સુવૈધની પેઠે તેમની શુભ ભાવનાના ચેાગે · અહિંસક ’ ગણાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy