SearchBrowseAboutContactDonate
Page Preview
Page 915
Loading...
Download File
Download File
Page Text
________________ આસ્રવ-અધિકાર. [ તૃતીય છે. અથવા પ્રમાદથી યુક્ત એવા રોગને અવલંબીને થતો પ્રાણુને નાશ તે “હિંસા ” છે. અથવા તે શ્રેષ-બુદ્ધિથી અન્યને દુઃખ ઉત્પન્ન કરવું તે “હિંસા ” છે. • હિંસાના વિવિધ પ્રકારે– હિંસાના દ્રવ્ય-હિંસા અને ભાવ-હિંસા અર્થાત્ વ્યાવહારિક હિંસા અને નૈૠયિક હિંસા એવા બે પ્રકારે છે. વિશેષમાં પ્રત્યેકના સ્વ અને પર એમ બે બે ભેદે છે. વળી હેતુહિંસા, સ્વરૂપહિંસા અને અનુબંધહિંસા એમ એના ત્રણ પ્રકાર પણ પડે છે. સર્વ પ્રતિપાદન કરેલી ધાર્મિક ક્રિયા કરતાં સ્વાભાવિક રીતે થઈ જતી હિંસા તે “સ્વરૂપહિંસા છે. સ્વાર્થ–બુદ્ધિથી કરવામાં આવતી હિંસા તે હેતુ-હિંસા” છે અને એ રસ પૂર્વક કરાય તે તે “અનુબંધ-હિંસા છે. આ સંબંધમાં વિશેષ વિચાર કરીએ તે પૂર્વે દ્રવ્યહિંસા અને ભાવહિંસાના સ્વરૂપ વિષે ઊહાપોહ કરીશું, કેમકે હિંસાના સ્વરૂપ ઉપર ઝાખે અને અસ્પષ્ટ પ્રકાશ પડવાને બદલે આથી ઝગઝગતા અને સ્પષ્ટ પ્રકાશ પડવાનો સંભવ છે. પ્રાણેને નાશ અને હિંસાને પરસ્પર સંબંધ પિતાના કે પારકાના પ્રાણને નાશ યાને પિતે પિતાના પ્રાણ ગુમાવવા કે અન્ય કેઈને જીવ લે એટલા પૂરતું જ કાર્ય હિંસા નથી; કેમકે જ્યારે દુઃખ દેવાને ભાવ હોય તે જ એવું કાર્ય હિંસા ગણાય. કહેવાનો મતલબ એ છે કે કેરી (કેવળ) દ્રવ્ય-હિંસા હિંસા કહેવાય નહિ વિશેષમાં કેવળ પ્રાણવિયેગને હિંસા તે શું પણ દ્રવ્ય-હિંસા પણ કહી શકાય નહિ; કેમકે પ્રાણવિયેગ એ સ્વતઃ દ્રવ્ય-હિંસા નથી, પરંતુ એ દુઃખરૂપ દ્રવ્ય-હિંસાનું કારણ હેવાથી કારણમાં કાર્યને ઉપચાર કરી એ દ્રવ્ય-હિંસા કહેવાય છે. તત્ત્વાર્થરાજ (પૃ. ૨૭૫ )ની નિમ્નલિખિત પંક્તિઓમાંથી આ ધ્વનિ નીકળે છે – " स्यान्मतं प्राणेभ्योऽन्य आत्मा, अतः प्राणवियोगे न आत्मनः किञ्चिद् भवतीत्यधर्माभावः स्यात् इति, तन्न, किं कारणम् ? तद् दुःखोत्पादकत्वात्; प्राणव्यपरोपणे हि सति तत्सम्बन्धिनो जीवस्य दुःखमुत्पद्यते इत्यधर्मसिद्धिः " અર્થાત આત્મા તે પ્રાણથી પૃથક છે એથી કરીને પ્રાણેને વિગ થવા છતાં પણ આત્માને કશું ૧ હિંસાના લક્ષણ ઉપર નિમ્નલિખિત પદ્ય પ્રકાશ પાડે છે – " पञ्चेन्द्रियाणि त्रिविधं वलं च, उच्छ्वास निःश्वासमथान्यदायुः । પ્રાણા હીરે મજાકat-si fasti “fkતા ' . '' ૨-૩ ભાવ-હિંસાની સાધક એવી બાહ્ય પ્રવૃત્તિઓ અથવા દ્રવ્ય-પ્રાણોનો વિનાશ તે “ દ્રવ્યહિંસા ” છે, જ્યારે એવાં નિમિત્ત દ્વારા રાગાદિક ઉત્પન્ન થાય અને તેથી ભાવ-પ્રાણાનો જે નાશ કરાય તે “ ભાવ હિંસા' છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy