________________
જીવ-અધિકાર.
[. પ્રથમ નિયાયિક દર્શન–
હવે તૈયાયિક દર્શન તરફ દષ્ટિપાત કરીએ. આ દર્શનમાં સેળ તને માનવામાં આવ્યાં છે. જેમકે પ્રમાણ, પ્રમેય, સંશય, "પ્રોજન, દત, સિદ્ધાન્ત, અવયવ, તક, નિર્ણય,વાદ,
૧ સરખાવો શ્રીગૈાતમ મહર્ષેિચિત ન્યાય-દર્શનનું નીચે મુજબનું આદ્ય સુત્ર—
“કાળ-ર-હાઇ-ઝાન--fસાત-sષાના-ના-નાનાદાવિતo tત્યામા-દ-જાતિ-નિઝ થનાનાં તરફHજાત નિરાષિનમઃ ”
૨ પદાર્થોની ઉપલબ્ધિના કારણને “પ્રમાણુ' કહેવામાં આવે છે. પછી ભલે તે કારણ જ્ઞાનસ્વરૂપ છે યા ન દે. નિયાયિક દર્શન પ્રમાણે પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન અને આગમ એમ એકંદરે ચાર પ્રમાણ છે.
૩ પ્રમાણ વડે નિશ્ચિત થયેલ પદાર્થને “પ્રમેય' કહેવામાં આવે છે.
૪ એક જ વસ્તુમાં ભિન્ન ભિન્ન પ્રકારના ધમે દષ્ટિગોચર થતાં જે વિકલ્પ ઉત્પન્ન થાય છે તેને સંશય” કહેવામાં આવે છે. જયારે વસ્તુની ફક્ત સામાન્ય ધર્મ જ દષ્ટિગોચર થતા હોય અને તેના વિશેષ ધર્મો સ્પષ્ટ દેખાતા ન હોય ( જોકે તેને ખ્યાલ તે હોય છે, ત્યારે સંશયને સ્થાન મળે છે. જેમકે દૂરથી એક વસ્તુ જોઈ; તેમાં મનુષ્ય તેમજ વૃક્ષ એ બંનેમાં રહેલા ઊંચાઈ, પહોળાઈ, ઇત્યાદિ સામાન્ય ધર્મો માલૂમ પડે છે, પરંતુ મનુષ્યના ચેતનત્યાદિ વિશેષ ધર્મો તેમજ વૃક્ષના શાખા-પ્રશાખા ઈત્યાદિ વિશેષ ધર્મને સાક્ષાત્કાર થતું નથી, તે આ સ્થળે આ વૃક્ષ છે કે મનુષ્ય એ સંદેહ-સંશય ઉદભવે છે.
૫ અભીષ્ટ-સાધ્ય વસ્તુ તે “પ્રજન’ છે.
૬ દૃષ્ટાન્ત એટલે ઉદાહરણ. સાધ્ય-ધર્મ અને સાધન-ધર્મની વ્યાપ્તિને જેમાં નિર્ણય થઈ ગયે હોય અને એથી કરીને તે વાદી અને પ્રતિવાદી ઉભયને જે સંમત હોય તે “દુષ્ટાન્ત' કહેવાય છે.
૭ સિદ્ધાન્તના ચાર પ્રકારે છે– સર્વતંત્ર, પ્રતિતંત્ર, અધિકરણ અને અભ્યપગમ. જે વાત સર્વ શાસ્ત્રોને-તંત્રને સંમત હોય તે “ સર્વતંત્ર · સિદ્ધાંત કહેવાય છે, જ્યારે જે હકીકતના સંબંધમાં મતાન્તર હોય તે “ પ્રતિતંત્ર' સિદ્ધાંત કહેવાય છે. એક વાતને સિદ્ધ કરવા જતાં સાથે સાથે જે અન્ય વાત પણ સિદ્ધ થઈ જાય તે “ અધિકરણ’ સિદ્ધાન્તને નામે ઓળખાય છે. જે વાત પિતાને માન્ય ન હોય છતાં “તુથતુ ટુર્નરઃ ” ભલે તમે તુષ્ટ થાઓ એવા ઈરાદાપૂર્વક સ્વીકારવામાં આવે તે અભ્યપગમ’ સિદ્ધાન્ત છે.
૮ અનુમાનનાં અંગોને “અવયવ' કહેવામાં આવે છે અને તે પાંચ છેઃ-પ્રતિજ્ઞા, હેતુ ઉદાહરણ, ઉપનય અને નિગમન. - ૯ તક એ એક પ્રકારનો દાહ છે. આ દ્વારા સંશયરૂપ એજ્ઞાન દૂર થાય છે અને વસ્તુનું અસલ સ્વરૂપ ઝળકી ઊઠે છે.
૧૦ નિર્ણય એટલે નિશ્ચય. એ તર્કનું પરિણામ છે.
૧૧ નિર્ણય કરવાને સારૂ વાદી અને પ્રતિવાદીઓ દ્વારા થતી ચર્ચા તે “વાદ' છે. જેને સાહિત્યમાં પણ વાદ સંબંધી વિચાર કરવામાં આવ્યું છે. ઉદાહરણ તરીકે જુઓ તાર્કિક ચકચૂડામણિ આચાર્ય શ્રીસિદ્ધસેન દિવાકરકૃત વાદ-દ્વાત્રિશિકા અને ૧૪૪૪ ગ્રન્થના પ્રણેતા શ્રીહરિભદ્રસૂરિ રાજકૃત વાદાષ્ટક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org