________________
શિલાસ ] આહંત દર્શન દીપિકા
- ૧૧ છ પદાર્થો છે. નવીન મત પ્રમાણે અભાવને પૃથક્ પદાર્થ માનતાં પદાર્થોની સંખ્યા સાતની બને છે.
વ્યાદિને જીવ અજીવમાં સમાવેશ
દ્રવ્ય તાવમાં પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, કાળ, દિશા, આત્મા અને મને એમ જે નવ તત્ત્વને સમાવેશ કરવામાં આવ્યું છે તેમાંથી આત્મા તે ચેતન છે જ, એટલે એ વિષે કંઈ પણ ઉલ્લેખ કરવાનું બાકી રહેતું નથી. વળી પૃથ્વી, જળ, તેજ, વાયુ અને મન એની જે પ્રકારે વિવક્ષા કરીએ તે પ્રમાણે તેને જડ કે ચેતનની કેટિમાં મૂકી શકીએ. આકાશ, કાળ અને દિશા તે જડ છે. ગુણ એ દ્રવ્યને પર્યાય છે, તે પછી દ્રવ્યને જેમાં સમાવેશ થાય તેમાં ગુણને પણ સમાવેશ થઈ જ જાય એ સ્વાભાવિક છે. એ પ્રમાણે કર્મ, સામાન્ય, વિશેષ અને સમવાય વિષે પણ સમજી લેવું. અભાવ તે જ્યારે પદાર્થ જ નથી તે એ વિષે વિચાર કરવાનું રહે જ કયાંથી? આ ઉપરથી સમજી શકાય છે કે વૈશેષિક દર્શનકાર પણ મુખ્યત્વે કરીને ચેતન અને જડ એમ . બે જ તે માને છે. સુખ, દુઃખ, ઈરછા, દ્વેષ અને પ્રયત્ન તેમજ ગુરૂત્વ, દ્રવત્વ, નેહ, સંસ્કાર, ધર્મ, અધર્મ અને શબ્દ એમ એકંદર વીસ ગુણે છે, એવી વૈશેષિક મતની માન્યતા છે.
૩ મૂર્ત દ્રવ્યમાં જ રહેનારું અને નિર્ગુણ એ - જે તત્ત્વ તે કર્મ” કહેવાય છે. આ કર્મના ઉલ્લેષણ (પત્થર વિગેરેને ઊંચે ફેંકવાની ક્રિયા), અવક્ષેપણુ (દડા વિગેરેને નીચે ફેંકવાની ક્રિયા ), આકુંચન (હસ્તાદિને સંકેચવાની ક્રિયા), પ્રસારણ (પાદાદિ અવયવને પ્રસારવાની ક્રિયા) અને ગમન ( જવાઆવવાની ક્રિયા ) એમ પાંચ ભેદ છે.
૪ અનેક પદાર્થોમાં “સમવાય સંબંધથી નિત્ય રહેવાવાળા તવને “ સામાન્ય” કહેવામાં આવે છે અને તેને દ્રવ્ય, ગુણ અને કર્મથી પૃથફ પદાર્થ તરીકે સ્વીકારવામાં આવે છે. આ સામાન્યના “ પર સામાન્ય ’ '(યાને મહાસામાન્ય ) અને “અપર સામાન્ય’ એમ બે ભેદે છે. દ્રવ્ય, ગુણ અને કર્મ એ ત્રણેમાં સત્તારૂપે રહેલા સામાન્યને “પર સામાન્ય’ કહેવામાં આવે છે, ક્યારે દ્રવ્યત્વ, ગુણત્વ, ઇત્યાદિ અલ્પ વિષયક સામાન્યને “અપર સામાન્ય” કહેવામાં આવે છે. . - પ એક પરમાર્થી બીજે પરમાણુ પૃથફ છે એવું ભેદ-જ્ઞાન કરાવવામાં કારણરૂપ તત્ત્વ તે વિશેષ” છે. એને અનેક ભેદે છે. આ સામાન્યથી તદ્દન સ્વતંત્ર છે, એમ આ વિશેષિક મતનું માનવું છે. જૈન મત પ્રમાણે તે સામાન્ય અને વિશેષ એ બંને ત સાપેક્ષ છે.
૬ સમવાય એ સંબંધ–વિશેષ છે. અર્થાત ગુણુ અને ગુણીને, અવયવ અને અવયવીને, જાતિ અને વ્યક્તિને, ક્રિયા અને ક્રિયાવાનનો, આધાર અને આધેયને તથા નિત્ય દ્રવ્ય અને વિશેષને જે સંબંધ તે “સમવાય” છે. અન્ય શબ્દોમાં કહીએ તે આ તખ્તમાં પટ છે, આ તૃણમાં કટ (સાદડી) છે, ઇત્યાદિ જ્ઞાન થવામાં જે કારણભૂત હોય તે “સમવાય’ કહેવાય છે. આ સમવાયના અવાંતર ભેદ નથી. તે એક, નિત્ય અને વ્યાપક છે-તે સદા સર્વત્ર વર્તમાન છે. ૧ સરખા પ્રશસ્તપાદભાષ્ય ( પૃ૦ ૬ )ની નિમ્નલિખિત પંક્તિ
-જુન-કર્મ-જ્ઞાન-વિજ-મજાજ arot ના સાથી-હિfor તાજા નિઃ ”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org