________________
ઉલ્લાસ ]
આર્હુત દર્શન દીપિકા,
૨૩
વિશેષા॰ ( ગા. ૮૭૨ )માં સૂચવાયું છે તેમ ભાવશ્યક, અવશ્યકરણીય, ધ્રુવ, નિગ્રહ, વિશાધિ, અધ્યયનષટ્ક, વર્ગ, ન્યાય, આરાધના, મા વગેરે સમાનાર્થી શબ્દો છે એટલે કે એ આવશ્યકના પાંચે છે. વૈકિ દર્શનમાં આવસ્યકનું સ્થાન ‘નિત્ય કમ” શબ્દે લીધેલ જોવાય છે.
આવસ્યકનું મહત્ત્વ
આપણે ઉપર જોઇ ગયા તેમ આત્મિક ગુણાના વિકાસમાં સાધનભૂત ક્રિયા તે આવશ્યક છે એટલે મુમુક્ષુ જન એના જરૂર જ સત્કાર કરે. સંપ્રદાય અનુસાર એના ભેદો સંભવે છે એ હકીકત ધ્યાનમાં લેતાં જોઇ શકાય છે કે વૈશ્વિક સ ંપ્રદાય જેટલું મહત્વ ‘ સંધ્યા ’ને, પારસીએ · ખાર· દેહ અવસ્તા ’ ને, યુપીઅને ‘પ્રાથના’ ને અને મુસલમાના ‘નમાઝ’ને આપે છે, તેટલુ મહત્ત્વ તા જરૂર જૈનો આવશ્યકને આપે છે જ; બલ્કે તેથી અધિક તે આપે છે.
આવશ્યક ક્રિયાના છ વિભાગા અને તેનું સેવન—
સ્થૂળ ઢષ્ટિએ આવશ્યક ક્રિયાઓના છ વિભાગા પાડવામાં આવ્યા છેઃ—( ૧ ) સામાયિક, ( ૨ ) ચતુવિ'શતિસ્તવ, ( ૩ ) વન્દન, ( ૪ ) પ્રતિક્રમણ, (૫) કાર્યાત્સર્ગ અને ( ૬ ) પ્રત્યાખ્યાન. શ્વેતાંબર સંપ્રદાય સાયંકાલે, પ્રાતઃકાલે, પખવાડિયાને અંતે, ચાતુર્માંસને અતે અને વર્ષીની આખરે અલગ કે સમુદાયમાં પુરુષ-વ અને સ્ત્રી-વર્ગ એકત્રિત થઇ ક્રમાનુસાર જેમ છ એ આવશ્યક કરે છે તે પ્રકારે કરવાની પદ્ધતિ અને રૂઢિ દિગંબર સંપ્રદાયમાં જણાતી નથી. સ્પષ્ટ શબ્દોમાં કહીએ તા દિગંબર સપ્રદાયમાં મુનિપરપરા વિરલ અને વિચ્છિન્ન પ્રાયઃ છે. એટલે મુનિઓ માટેનું આવશ્યકનું વિધાન કેવળ શાસ્ત્રામાં છે, પરંતુ વ્યવહારમાં નથી. વળી દિગ’ખર શ્રાવકામાં પણ શ્વેતાંબર શ્રાવકાની પેઠે આનું સેવન જણાતુ નથી. વિશેષમાં દિગ'ખર સમાજના બ્રહ્મચારી, પ્રતિમાધારી વગેરેમાં પણ માત્ર સામાયિક-પાઠ કરવાના પ્રચાર છે. વ્યવસ્થિત પદ્ધતિ પૂર્ણાંક છએ આવશ્યક કરવાના નિયમિત પ્રચાર તે માત્ર શ્ર્વેતાંબર સ`પ્રદાયમાં જ જોવાય છે. વળી એ પણ નિવેદન કરવું આવશ્યક સમજાય છે કે દિગમ્બર સંપ્રદાયમાં દૈવસિક, રાત્રિક, પાક્ષિક, ચાતુર્માસિક અને સાંવત્સરિક એપાંચ પ્રકારના આવશ્યકવિધાનની પ્રસિદ્ધિ શ્વેતાંબર જેવી નથી—ઉચ્છિન્નપ્રાય છે.
છ આવશ્યકની પ્રણાલિકા—
આવશ્યક ક્રિયાની વિધિ ચૂર્ણિના કાળ કરતાં પણ પ્રાચીન જણાય છે, કેમકે તેના ઉલ્લેખ શ્રીહરિભદ્રસૂરિ જેવા સુવિહિત અને પ્રતિષ્ઠિત આચાર્ય' પેતાની આવશ્યકવૃત્તિના ૭૯૦મા પત્રમાં કર્યાં છે. મૂર્ત્તિપૂજક શ્વેતાંબર સંપ્રદાયની સામાચારી સબ ંધી આવશ્યક ક્રિયાનાં સૂત્રોના તેમજ વિધિના જે ઉલ્લેખ આ વૃત્તિમાં છે તેમાં કથા ફેરફાર કરવામાં આવ્યેા નથી અર્થાત્ ‘સામાયિક’ આવશ્યક એટલે પ્રતિક્રમણની સ્થાપનાથી માંડીને પ્રત્યાખ્યાન પર્યંત છ એ આવશ્યકનાં સૂત્ર અને વિધિના ક્રમ તેને તે જ છે. પ્રતિક્રમણની સ્થાપના પહેલાં ચૈત્યવંદન કરવાની અને પ્રત્યાખ્યાન પછી સ્તવન વગેરે ખેલવાની જે પ્રથા સકારણુ દાખલ કરવામાં આવી છે તે ચાલુ છે અર્થાત્
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org