SearchBrowseAboutContactDonate
Page Preview
Page 888
Loading...
Download File
Download File
Page Text
________________ વિલાસ 1 આહંત દર્શન દીપિકા. આહાર કરે છે. એ લેકે એમ માને છે કે જે વસ્તુ શીથી પેદા થાય છે તે ખાવામાં માંસાહાર છે. માછલી તે જલમાં પેદા થાય છે માટે ખાવામાં બાધ નથી. અને માછલી ખાવી લેય તે પિષની ચીઠી મેળવી ખાય છે કારણ કે પિપના હાથમાં સ્વર્ગના દરવાજાની કુંચીઓ છે એમ તેઓ માને છે. આ બધી કાયદંડની વિડંબના છે ... આ જ જાતનું તપનું વિડંબન રશીયન ચર્ચ (Ruasian Church )માં પણ ચાલે છે. ત્યાં સ્ત્રીઓ અને પુરુષ જનનેન્દ્રિયને પણ કાપી નાખે છે. આ રીતે ભિન્ન ભિન્ન દેશમાં માત્ર કાયદંડ જ ચાલી રહેલ છે. ટોલસ્ટોયે ( Tolstoy ) ખૂબ તપશ્ચર્યા કરી છે પણ એ તપશ્ચર્યા ટેલસ્ટોયના વાચિક અને માનસિક સંયમના પિષણરૂપ હતી માટે જ આપણને એ અનુકરણીય છે. તપમાં દેહનું દંડન તે રહેલું જ છે પણ જે દંડન સંયમનું પિષક હેય તે ઉપાદેય ગણાય છે અને એવા જ તપનું બૌદ્ધ ધર્મમાં સમર્થન છે. મહાવીર સ્વામીનું તપ પણ એમનાં પ્રજ્ઞા, મેધા, સ્મૃતિ, વીર્ય અને સંજમનું પિષક હતું, એથી જ એ તપ પ્રખ્યાત થયેલું છે...” પંચાગ્નિ કષ્ટનું સ્વરૂપ (૧) અન્નાહાર્યપચન, (૨) ગાપત્ય, (૩) આહવનીય, (૪) સભ્ય અને (૫) આવસથીય એ પાંચ પવિત્ર અગ્નિ ગણાય છે. આ પાંચને પ્રસ્તુતમાં સંબંધ છે કે નહિ તે જાણવું બાકી રહે છે. લૌકિક દષ્ટિએ તે ચારે બાજુ લાકડાં સળગાવી તેની ધુણી સહન કરવી તેમજ સૂર્યને પ્રખર તાપ વેઠ એ “પંચાગ્નિ કષ્ટ' કહેવાય છે અને આ તપ સંયમની પુષ્ટિમાં અનુપયેગી હોવાથી એ બાલતપ ગણાય છે. શીલવતનું લક્ષણ देशतः सर्वथा वा ब्रह्मचर्यपालनरूपत्वं, परदाराणां तु सर्वथा वर्जनरूपत्वं शीलवतस्य लक्षणम् । ( ३७६) અર્થાત્ અંશથી કે સંપૂર્ણ રીતે બ્રહ્મચર્યનું પાળવું તે “શીલવત” છે. એમાં પરાગમનને તે સર્વથા નિષેધ જ છે. એટલે કે વિષયસેવન માટે અવકાશ હોય તે તે સ્વકારસેવન પૂરત જ છે અને તેનાથી પણ નિવૃત્ત થવાય તે વળી તેટલે અંશે શીલવતની વિશેષતા છે. આ પ્રમાણે આપણે દેવ-આયુષ્ય-કમના સરાગસંચમાહિ આવે વિચાર્યા. આ ઉપરાંત બીજા પણ આવે છે એમ તત્વાર્થની બૃહદ્ વૃત્તિ(દ્ધિ, વિ. પૃ. ૩૩)ના નિમ્નલિખિત ઉલ્લેખ ઉપરથી જોવાય છે ૧ Pope યાને ખ્રિસ્તિઓના વડા ધર્મગુરુ. 102 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy