________________
ઉલ્લાસ ] આત દર્શન દીપિકા.
(૦૭ અર્થાત સરાગ સંયમ, સંયમસંયમ (દેશવિરતિ), અકામ નિર્જરા, બાલત૫, શીલવ્રત ઇત્યાદિ પૈકી ગમે તે દેવ–આયુષ્ય કમને આસવ છે એટલે કે એ દ્વારા દેવ-આયુષ્ય-કર્મને બંધ થાય છે, આ હકીકત પુરેપુરી સમજાય તે માટે સરાગ સંયમાદિનું સ્વરૂપ ખ્યાલમાં આવવું જોઈએ; એથી કરીને ગ્રંથકાર આ પ્રત્યેકનું લક્ષણ સૂચવે છે. તેમાં સરાગ સંયમના લક્ષણને નિર્દેશ કરતાં તેઓ કયે છે કે–
संज्वलनलोभलक्षणरागसहवर्तित्वे सति सावद्ययोगविरतिरूपत्वं Riાસંયમય ઋક્ષણમ્ ા (૩૭૨) અર્થાત્ પમય પ્રવૃત્તિઓનું સંજવલન ભરૂપ રાગ હેવા પૂર્વક વિરમણ તે “સરાગ સંયમ” છે. અર્થાત્ પાપકારી વ્યાપારના ત્યાગરૂપ સંયમમાં કેવળ સંજવલનરૂપ લેભ જ લાંછનરૂપ હોય તે તે “સરાગ સંયમ” કહેવાય છે. એટલે કે સંજવલન લોભરૂપ કષાયથી ઉત્પન્ન થયેલ રાગના ઉદયમાં સાવદ્ય ગથી જે વિરતિ થાય તે “સરાગ સંયમ” છે.
સંયમસંયમનું લક્ષણ
देशतः प्राणातिपातादिभ्यो निवृत्तिरूपत्वं संयमासंयमस्य लक्षणम्। (૩૭૨). અર્થાત્ અંશતઃ પ્રાણાતિપાતાદિ અવતથી નિવૃત્ત રહેવું તે “સંયમસંયમ છે. એટલે કે હિંસા, અસત્ય વગેરે દુષ્ટ કાર્યોથી સર્વથા દૂર ન રહેતાં કેટલાંકથી જ દૂર રહેવા પૂરતો સંયમ અને કેટલાંકથી દૂર ન રહેવા પૂરતે અસંયમ જ્યારે પ્રવર્તતે હોય ત્યારે તે “સંયમસંયમ કહેવાય છે. આમાં એક ભાગથી વિરતિ હોવાથી તે “દેશ-વિરતિ” પણ કહેવાય છે. આમાં એક ભાગથી અવિરતિ પણ છે અને એથી એને “દેશ–અવિરતિ” તરીકે પણ ઓળખાવાય તેમ છે, પરંતુ આવી પ્રથા નથી. વિશેષમાં સ્થલ દષ્ટિએ અહિંસાદિ વ્રતનું પાલન હેવાથી એ “ અણુવ્રત' પણ કહેવાય છે. જુઓ તત્વાર્થ (અ, ૬, સૂ. ૨૦)ની બૃહદ્ વૃત્તિ (પૃ. ૩૨). અકામ નિજારાનું લક્ષણ–
भोगोपभोगादीनां निरोधेच्छया अभावेऽपि पारतन्त्र्येण निरोधकरणरूपत्वं, अनुपयोगपूर्वकपापपुद्गलपरिशाटकरणरूपत्वं वा अकामનિર્નવા ક્ષHI ( રૂ૭૪). અર્થાત ભોગ અને ઉપભેગને નહિ રોકવાની ઈચ્છા હોવા છતાં પરાધીનતાને લીધે તેને નિરોધ કર-તેને રોકવા તે “અકામ નિજરો જાણવી. અથવા ઉપયોગ વિના પાપ-કર્મના પુદગલને નાશ કરે તે “અકામ નિર્જરા સમજવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org