________________
ઉલ્લાસ ]
આત દર્શન દીપિકા. પુvણપાપપલા , વજાત્રવરિશ .
श्रद्धातव्यौ न भेदेन, सप्तमोऽतिप्रसङ्गतः ॥ ८॥" આ વિવેચનને સાર એ છે કે વિવિધ વિવફા પ્રમાણે પદાર્થોની સંખ્યા જૂદી જૂદી દર્શાવી
શકાય છે. જેમકે બેની, સાતની અથવા નવની. આથી જૂનાધિક વિવક્ષાનુસાર પદાર્થોની સંખ્યા પણ દર્શાવી શકાય તેમ છે. દાખલા તરીકે જીવાદિક સાતે સંખ્યા. તના ઉત્પાદ (ઉત્પત્તિ), વ્યય (નાશ) અને ધ્રૌવ્ય (સ્થિતિ)
રૂપ “ સત્ ”પણાની અપેક્ષાએ એક તત્ત્વ છે એમ કહી શકાય. જીવ અને અજીવ એ બે તત્વે પિકી જે અજીવન ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ, પુગલ અને કાળ એ પાંચ પેટા વિભાગોને ધ્યાનમાં લઈ જીવ તત્ત્વને વિચાર કરીએ તો છ તો થાય છે. આવી રીતે જૂદી જૂદી અપેક્ષાએ વિચારતાં પદાર્થોની જદી જુદી સંખ્યા સિદ્ધ થાય છે અને એમાં જ સ્યાદ્વાદીની બલિહારી છે. અન્ય દર્શનકારેની પદાર્થ સંબંધી માન્યતા– પ્રસંગે પાત્ત અન્ય દર્શનકારે કેટલા પદાર્થો માને છે તેનું પણ દિગદર્શન કરી લઈએ.
પ્રથમ સાંખ્ય દર્શન તરફ નજર કરીશું તે જણાશે કે આ સાંખ્ય દશન. દર્શનકાર પચ્ચીસ (૨૫) તત્તે માને છે. તેમાં “પુરૂષ અને
પ્રકૃતિ” એ બે મુખ્ય તત્ત્વ છે. “સર્વ”, “રજસ્” અને ‘તમસ” એ ત્રણ ગુણની સામ્યવસ્થાને “ પ્રકૃતિ” યાને ‘પ્રધાન” કહેવામાં આવે છે. આ પ્રકૃતિ જડ છે. એમાંથી બાકીનાં ત્રેવીસ (૨૩) તને પ્રાદુર્ભાવ થાય છે. જેમકે પ્રકૃતિમાંથી ‘મહત” તત્ત્વ અથવા “બુદ્ધિ ” ઉત્પન્ન થાય છે. આ બુદ્ધિમાંથી “અહંકાર અને આવિર્ભાવ થાય છે. એમાંથી પાંચ સૂફમ તન્માત્રા, પાંચ જ્ઞાનેન્દ્રિય, પાંચ કર્મેન્દ્રિો અને મન એ સેળ (૧૬) તત્ત્વની ઉત્પત્તિ થાય છે. રૂપ, રસ, ગંધ, સ્પર્શ અને શબ્દ એ પાંચને “સૂક્ષ્મ તન્માત્રા” તરીકે ઓળખાવવામાં આવે છે. તેમાંથી અગ્નિ, જળ, પૃથ્વી, વાયુ અને આકાશ એ “મહાભૂતની ” ઉત્પત્તિ માનવામાં આવી છે. આ પ્રમાણે પ્રકૃતિ એ ત્રેવીસ તત્ત્વનું કારણ છે.
| સ્પર્શનેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, નેન્દ્રિય અને કણેન્દ્રિય આ પાંચ ઈન્દ્રિયોને જ્ઞાનેન્દ્રિ” કહેવામાં આવે છે, જ્યારે વાણી, હસ્ત, પાદ, ઉપસ્થ ( પુરૂષ—ચિન) અને ગુદા એ પાંચને “કર્મેન્દ્રિય” સંબોધવામાં આવે છે. - જેનું કારણ જડ હોય તેનું કાર્ય ચેતન ન હોઈ શકે એ તે દેખીતી વાત છે. વળી
૧ આ પાચેના વિશિષ્ટ સ્વરૂપ માટે જુઓ દિતીય ઉલ્લાસ.
૨ સરખા શ્રીકપિલ મહર્ષિપ્રણીત સાંખ્ય દર્શનના પ્રથમ અધ્યાયનું નિમ્નલિખિત ૬૧ મું સૂત્ર
“સર--માં શાળાકથા પ્રકૃતિ, તે પૈદાન, મતોs , a[1रात् पञ्च तन्मात्राणि उभयमिन्द्रियं, तन्मात्रेभ्यः स्थूलभूतानि, पुरुष इति पञ्चविंशतिर्गणः" - ૩ મલ-વિણ ત્યાગ કરવાનું તેમજ અપાનવાયુ બહાર કાઢવાનું કારણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org