________________
છે
ઉલાસ ]
આહંત દર્શન દીપિકા. સંયમિ-સંઘ-અવર્ણવાદનું લક્ષણ
लोचादिकष्टकारिणो बाह्यशौचरहिता प्रागदत्तादानाद् भूयोऽपि दुःखिता भविष्यन्तीत्यादि कथनअपत्वं संयमिसङ्घावर्णवादस्य लक्षणम्। ( રૂ૫૬) અર્થાત જૈન સાધુઓ કટકારી લેચાદિ કરે છે, બાહા શૌચ (એટલે દ્રવ્યસ્નાન)થી રહિત છે, પૂર્વે નહિ દાન દીધેલું તે છતાએ અત્યારે અન્યની વસ્તુ ગ્રહણ કરે છે, વાસ્તે આથી પણ વધારે દુઃખી થશે એ પ્રકારે સંયમીઓ (જૈન સાધુઓ)ને વિષે બોલવું તે “સંયમિ-સંઘ-અવર્ણવાદ” જાણ.
આ સંબંધમાં તત્ત્વાર્થની બૃહદ્ વૃત્તિ (કિ. વિ. પૂ. ર૭)માં નીચે મુજબ ઉલલેખ છે
" साधवस्तावत् सचित्ताद्याभवद्व्यवहारपरायणाः परिपेलवबाह्यशौचाचारा जन्मान्तरकृतकोदयजनितकेशोल्लञ्चनातापनदुःखानुभविनः कलहकारिणोऽसहिष्णवः प्रागदत्तदाना भूयोऽपि दुःखिता एव भविष्यन्तीत्यवर्णोद्भावनम् " અર્થાત જેન સાધુઓ તે સચિત્તાદિથી ઉદ્દભવેલ વ્યવહારમાં તત્પર હોય છે, બાહા શૌચ-આચારથી વિમુખ રહે છે, પૂર્વ જન્મમાં કરેલાં અશુભ કર્મોના ઉદયથી તેમને કેશને લેચ, આતાપના વગેરેનું દુઃખ અનુભવવું પડે છે, તેઓ કછુઆ કરનારા છે, તેમનામાં સહનશીલતા નથી, તેમણે પૂર્વે દાન દીધું નથી અને અત્યારે પણ તેઓ દેતા નથી એટલે ભવિષ્યમાં તેઓ ફરીથી દુઃખી થશે ઇત્યાદિ સાધુ સંબંધી કથન તે “સાધુ-અવર્ણવાદ છે. સાધ્વી-અવર્ણવાદ પણ આ જ પ્રમાણે છે. • તવાર્થરાજ (પૃ. ૨૬૨)માં આ સંબંધમાં નીચે મુજબને નિર્દેશ જેવાય છે –
" एते श्रव(म ?)णाः शूद्राः अस्नानमलदिग्धाङ्गा अशुचयो दिगम्बरा निरपत्रपा इहैवेति दुःखमनुभवन्ति परलोके कुतश्च सुखिन इत्यादि वचनं सोऽवर्णवादः " અર્થાત્ આ સાધુએ શુદ્ર છે, તેઓ સ્નાન કરતા નથી, તેમને દેહ મેલથી લિપ્ત છે, તેઓ અપવિત્ર છે, તેઓ વસ્ત્રરહિત છે-નાગા છે, તેઓ અત્યંત નિર્લજજ છે, તેમનાં આવાં આચરણેને લીધે) આ લેકમાં જ તેઓ દુઃખ અનુભવે છે તે પરલેકમાં તે ક્યાંથી જ તેઓ સુખી થવાના છે ઇત્યાદિ કથન તે “સંઘ-અવર્ણવાદ” છે.
૧ “ સંયમી ’થી સાધુ તેમજ સાળી બને સમજવાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org