SearchBrowseAboutContactDonate
Page Preview
Page 870
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૯૬ ઉલાસ ] આહત દર્શન દીપિકા, ઉપાંગાદિનું લક્ષણ 'अङ्गार्थानुवादित्वमुपाङ्गादीनां लक्षणम् । ( ३४९) અર્થાત્ અંગના અર્થના અનુવાદરૂપ શ્રુત ઉપાંગ વગેરે નામથી ઓળખાય છે. (૧) પપાતિક, (૨) રાજપ્રક્રીય, (૩) છવાભિગમ, (૪) પ્રજ્ઞાપના, (૫) ચંદ્રપ્રજ્ઞપ્તિ, (૬) સૂર્યપ્રજ્ઞપ્તિ, (૭) જંબૂઢીપપ્રન્નત્તિ, (૮) નિરયાવલિ, (૯) કપાવલંસિકા, (૧૦) પુષ્પિકા, (૧૧) પુષ્પચૂલિકા અને (૧૨) વદ્વિદશા એ બાર ઉપાંગે છે. સંઘનું લક્ષણ साधुसाध्वीश्रावकश्राविकालक्षणचातुर्वर्ण्यरूपत्वं सङ्घस्य लक्षમ્ (રૂ૫૦) અર્થાત્ સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકારૂપ ચાર વર્ણોના સમૂહને સંઘ ” કહેવામાં આવે છે. *ચાતુવર્યાના બે અર્થો છે -(૧) સમ્યક્ત્વ, જ્ઞાન, સંવર અને કપરૂપ ચાર વર્ણોને-ગુણોને વિષે ઉદભવેલું તે; અને (૨) સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકારૂપ ચાર ભેદેને સમુદાય. આ હકીકત તસ્વાર્થની બૃહદ્ વૃત્તિ (કિ. વિ.)ના ર૭ મા પૃષ્ઠગત નિમ્નલિખિત ઉલલેખને આભારી છેઃ___" चत्वारो वर्णाः साधुसंयती( साध्वी )श्रावकश्राविकाख्याः । वय॑न्ते इति वर्णा-भेदास्तेषु चतुषु वर्णषु भवश्चातुर्वणः सङ्घो गणः । अथवा सम्यक्त्वज्ञानसंवरतपांसि चत्वारो वर्णा-गुणास्तद्भवश्चातुर्वर्णः, चतुर्णी वर्णानामयं (वा) चातुर्वर्णः सङ्घः, न तु सुगतशिष्याणां भौतानां वा।" શ્રીસંઘનું સ્વરૂપ અને તેનું પૂજ્યત્વ શ્રીસંઘનું મનનીય સ્વરૂપ નંદીસૂત્રની ઉપઘાત (ગા. ૪-૧૭)માં આલેખાયેલું છે અને એનું વિસ્તૃત વિવેચન શ્રીમલયગિરિરિ જેવા ધુરંધર ટીકાકારને હાથે થયેલું છે. આ પ્રસંગે સંધને નગર, ચક્ર, રથ, પધ, ચંદ્ર, સૂર્ય અને મેરુની ઉપમાઓ આપી સૂત્રકારે શ્રીસંઘના આબેહુબ ગુણકીતનરૂપ વર્ણન રજુ કર્યું છે. વળી શ્રીસંઘને પચીસમા તીર્થંકર તરીકે નિશ કરાય છે, કેમકે એ તીર્થકર સમાન છે. એનું અન્ય નામ તીર્થ પણ છે અને એ અતિપૂજનીય છે. ૧ આ કથન તત્વાર્થ ( અ. ૬, સૂ. ૧૪)ની બૃહદવૃત્તિ (પૃ. ૨૭) અનુસાર છે. ૨ વગેરેથી પ્રકીર્ણ કે, મૂલ, છેદસૂત્રો વગેરે સમજવા. આ પૈકી કેટલાકનાં નામ માટે જુઓ પૃ. ૭૯૪. a “ જોરદાપંચનીતિ શાષક” અર્થાત અરિહંતનાં વચને જે સાંભળે તે શ્રાવક. વિશેષ માહિતી માટે જુઓ વૈરાગ્યરસમંજરીનું મારું સ્પષ્ટીકરણ (પૃ. ૩૦૨ ). ૪ તત્વાર્થરાજ (પૃ. ૨૬૧ ) પ્રમાણે સમ્યગ્દર્શનાદિ ત્રણ રત્નની ભાવનામાં તત્પર એવા ચાર પ્રકારના શ્રાવણે ( સાધુ )ના સમુદાયને “સંધ' કહેવામાં આવે છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy