________________
ઉલ્લાસ ]
આર્હુત દર્શન દીપિકા,
આવે તે બાળ પર’તુ મુમુક્ષુ જીવાને 'હેય અને ૨ઉપાદેય તત્ત્વાની શી રીતે સમજ પડે ? આનું તેમને યથાર્થ જ્ઞાન થાય તેટલા માટે આસવ અને અન્યએ એ સંસારનાં મુખ્ય કારણાના-હૈય તત્ત્વાના અને સંવર અને નિર્જરા એ બે મુક્તિના પ્રધાન હેતુઓને ઉપાદેય તત્ત્વોના નિર્દેશ આવશ્યક છે. આ ઉપરથી આસ્રવાહિ ચતુષ્ટયના ઉલ્લેખ તે સકારણુ છે એમ સમજી શકાય છે. પરંતુ મેાક્ષના ઉલ્લેખ કરવાનું શુ કારણ છે એમ જો કાઇ પ્રશ્ન કરે તેા તેના ઉત્તર એ છે કે જે મુખ્ય સાધ્ય છે, જે પ્રધાન લક્ષ્ય-બિન્દુ છે, જેના નિર્દેશાથે તેા આ ગ્રન્થ છે, તેના કેમ બહિષ્કાર થઇ શકે ? આથી સાત પદાર્થોના નિર્દેશ સકારણ છે એમ જોઇ શકાય છે. પુણ્ય અને પાપના વિચાર
ઉત્તરાધ્યયનસૂત્ર જેવા આગમમાં તેમજ “નવતત્ત્વપ્રકરણ પ્રમુખ ગ્રન્થાનાં પણ આ સાત તત્વા ઉપરાંત પુણ્ય અને પાપને પણ નિર્દેશ કરેલ જણાય છે તેા આ મેનુ શુ સ્વરૂપ છે તેમજ તેના અત્રે ગણાવેલા સાત તત્ત્વા પૈકી શેમાં અન્તર્ભાવ થાય છે તે હવે વિચારી લઇએ. જીવાને સુખ ભાગવવામાં હેતુરૂપ અધ્યવસાય દ્વારા આવેલ શુભ કમ ( પુદ્ગલ ) તે ‘ દ્રવ્ય-પુણ્ય ’ છે. જ્યારે તે કને ઉત્પન્ન કરનારા અધ્યવસાય ( પરિણામ-ભાવ ) તે ‘ ભાવ—પુણ્ય ’ છે. એવી રીતે જીવાને દુઃખદાયી અશુભ કમ તે ‘ દ્રશ્ય-પાપ ’ છે, જ્યારે આ અશુભ કર્મોને ઉત્પન્ન કરવામાં મૂળ કારણરૂપ અશુભ અધ્યવસાય તે ‘ભાવ-પાપ ’ છે.
પુણ્ય અને પાપની
વ્યાખ્યા
આ ઉપરથી એ પણ સમજી શકાય છે કે પાપ અને પુણ્યના આસ્રવ અથવા અન્ય તત્ત્વમાં અન્તર્ભાવ થઇ શકે છે, કેમકે કમનું આગમન તે આસ્રવ છે અને તેનું સંસારી જીવ સાથે મળી જવું તે અન્ય છે. કહેવાની મતલખ એ છે કે જો શુભ કર્મના આગમનને ઉપાર્જનને પુણ્ય કહેવામાં આવે તે તેના આસવમાં સમાવેશ કરી શકાય અને જો શુલ કના જીવ સાથેના સંબંધને-મન્યને પુણ્ય કહેવામાં આવે તે તેને અન્યમાં સમાવેશ કરી શકાય. આવી હકીકત પાપના સંબંધમાં પણ ઘટાવી શકાય. તત્ત્વાર્થાધિગમસૂત્રની શ્રીસિદ્ધસેનગણિકૃત ટીકા ( પૃ૦ ૪૨ )માં ‘પુષ્પાયોચ્ચ યમ્હેડમ્તાયાત્ ' અર્થાત પુણ્ય અને પાપના અન્યમાં અન્તર્ભાવ થાય છે એવા ઉલ્લેખ છે, પરંતુ કા ના કારણમાં ઉપચાર કરતાં તેના આસવમાં પણ અન્તર્ભાવ થઇ શકે છે.
પુણ્ય અને પાપના આસ્રવ કે બધમાં સમાવેશ
G
વળી આના આસવમાં અન્તર્ભાવ થાય છે એ વાત આ ગ્રન્થકારકૂત સપ્તભંગીપ્રદીપ ( પુ૦ ૨ ) ઉપરથી તેમજ શ્રીવિજયાદયસૂરિ દ્વારા સ ંસ્થાધિત નવતત્ત્વવિસ્તરા ( પૃ૦ ૫) ઉપરથી પણ જોઇ શકાય છે. શ્રીઅકૅલ દેવકૃત તત્ત્વા રાજયાતિક ( પૃ૦ ૨ )માં તા કહ્યું પણ છે કે—
" पुण्यपापपदार्थोपसङ्ख्यानमिति चेत् न, आस्रवे बन्धे वाऽन्तर्भावात् । " આ વાતનું શ્રી વિદ્યાનન્દસ્વામિકૃત તત્ત્તા શ્લોવાતિ ક(પૃ૦ ૯૧)ના નિમ્ન-લિખિત
લેાક સમર્થન કરે છેઃ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org