SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ જીવ-અધિકાર, ( પ્રથમ માનીએ તે તેને પુદગલ-અજીવ પદાર્થમાં સમાવેશ કરી શકાય છે.' આ પ્રમાણે બન્ધના સમ્બન્ધમાં પણ ઘટાવી શકાય તેમ છે. જેમકે કમ-વર્ગણાનું, આત્માના પ્રદેશોની સાથે ક્ષીર અને નીરની માફક યાને લોખંડ અને અગ્નિની જેમ ઓતપ્રોતએકમેક થઈ જવામાં જે આત્માને પરિણામ કારણરૂપ છે, તે “બન્ધ' તત્વ છે. આ પરિણામને પરિણામીથી પૃથક માનવામાં ન આવે તે સુતરાં બન્ધ તવ ચેતનરૂપ ઠરે છે અને જે કાર્યને કારણમાં ઉપચાર કરીને વિચાર કરવામાં આવે તે તે કમ-વર્ગણાને અચેતન યાને અજીવ તત્વમાં અન્તર્ભાવ થઈ શકે છે, એ દેખીતી વાત છે. આ પ્રમાણે નિર્જરા સબન્ધી પણ વિચાર કરી શકાય તેમ છે. જેમકે આત્માની સાથે એકમેક થઈ ગયેલી કમ–વગણાઓના પરિશાટનમાં કારણરૂપ આત્માને જે પરિણામ છે તે નિર્જરા છે. એટલે કે પરિણામને પરિણામીથી અભિન્ન સ્વીકારતાં તેને જીવ પદાર્થમાં અન્તર્ભાવ થાય છે, જ્યારે ઉપયુકત ઉપચારને અવલંબીને વિચારીએ તે તેને અજીવમાં સમાવેશ થાય છે. નિજ રા એ કર્મનું અંશતઃ–એકદેશીય પરિશાટન છે, જ્યારે મેક્ષ એ તેનું સમસ્તતઃ -સર્વદેશીય પરિશાટન છે. એટલે મેક્ષ પણ છવ-અછવમાં અન્તર્ભાવ થાય છે એ નિવેદન કરવું બાકી રહેતું નથી. સાત પદાર્થોની આવશ્યકતા – જો કે આ પ્રમાણે વસ્તુત બે પદાર્થો સિદ્ધ થાય છે ખરા, પરંતુ તેમ છતાં એ પ્રશ્ન જરૂર ઉપસ્થિત થાય છે કે જયારે આ પ્રમાણેની પરિસ્થિતિ છે, તે ગ્રન્થકારે સાત પદાર્થોને શા માટે નિર્દેશ કર્યો? આનું સમાધાન જે કે ચેથા પૃષ્ઠમાં સૂચવ્યું છે છતાં તેને સ્કુટ કરવાના ઈરાદાથી અત્રે ઉમેરવામાં આવે છે કે અતિશય સંક્ષેપ પૂર્વકનું કથન કુશાગ્ર બુદ્ધિએને માટે સંભવે છે, બાળ જેને માટે તે જેટલે અંશે મધ્યમ કથન હિતકારી છે તેટલે અંશે અત્યંત સંક્ષિપ્ત કે અત્યંત વિસ્તૃત કથન હિતકારી નથી. વળી જીવ અને અજીવ એ બે પદાર્થને જ નિર્દેશ કરવામાં આ પ્રમાણે (ઉ) ગુણમાં અને ગુણીને અને (9) ગુણમાં ગુણના ઉપચાર સમ્બન્ધ પણ સમજી લેવું. ગામ ચાલ્યું, જગતને મેઢે કંઇ ઢાંકણું છે ઇત્યાદિ આધારમાં આધેયના ઉપચારનાં ઉદાહરણ છે, કેમકે “ ગામ થી ‘ ગામમાં વસતા લોકે” અને “જગત્ 'થી “જગતમાંના પ્રાણીઓ' સમજવાના છે. વિશેષમાં વ્યવહાર ' નયના દૃષ્ટાન્તભૂત પર્વત બળે છે, ઘટ કરે છે, ઇત્યાદિ ઉદાહરણનો પણ ઉપચાર તરીકે ઉલ્લેખ કરી શકાય છે; કેમકે ૫ર્વત બળે છે એનો ખરો અર્થ એ છે કે પર્વત ઉપર રહેલ ઘાસ વગેરે પદાર્થો બળે છે, ઇત્યાદિ. ઉપચારના સંબંધમાં એ પણ નિવેદન કરવું અસ્થાને નહિ ગણાય કે એકને બીજામાં આરોપરૂપ આ ઉપચારના અસદ્દભૂત અને સદભૂત એવા બે પ્રકારો છે. શંખમાં પંચાચારનો આરોપ કરી તેને આચાર્ય ' માનવા તે અસદભૂત ઉપચાર છે. મૂર્તાિ માં પરમાત્માનો અથવા કોઈની પણ પ્રતિકૃતિમાં તે વ્યક્તિનો આરોપ કરવો તે સદભૂત ઉપચાર છે. ૧ ત્રીજા ઉલાસ તરફ દષ્ટિપાત કરતાં માલુમ પડશે કે એકને “ભાવાસવ' અને અન્યને “ દ્રવ્યાસવ' તરીકે ઓળખાવવામાં આવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy