SearchBrowseAboutContactDonate
Page Preview
Page 857
Loading...
Download File
Download File
Page Text
________________ ७७८ આસ્રવ–અધિકાર. [ તૃતીય હવે અન્ય વિષયને વિચાર કરીએ તે પૂર્વે એક બે બાબતે ખાસ લક્ષમાં રાખવાની જરૂર છે. તે એ છે કે બાહ્ય વ્યાપારની અપેક્ષાએ મને-નિસર્ગાધિકરણને અછવાધિકરણ તરીકે ગણાવવામાં આવેલ છે અને એ જ પ્રમાણે શરીરાદિક વિષે સમજી લેવું. વળી જ્યારે આત્માના વ્યાપાર માત્રને જ જીવાધિકરણમાં ગણવામાં આવે ત્યારે તે મૂલગુણનિર્વતનાધિકરણમાં શરીર વગેરેને ખાલી આકાર જ ગણુ. સાંપરાયિક કમના જ્ઞાનાવરણીયાદિ આઠ પ્રકારે છે. સાંપરાયિક કર્મ એક છે, છતાં તેના ફળમાં તો અવશ્ય ભિન્નતા રહેલી છે. આ વાત કેવી રીતે યથાર્થ છે એવો કેઈને સંદેહ ઉત્પન્ન થાય છે તે સ્વાભાવિક છે. આ શંકાના સમાધાનાથે નીચે મુજબનું ઉદ્દાહરણ રજુ કરવામાં આવે છે – એક પ્રકારને આહાર ખાવા છતાં જ્યારે તે આહાર જઠર (પેટ)માં જાય છે ત્યારે તે જેમ રસ (મહાધાતુ), રુધિર (લોહી), માંસ, મેદસ્ (ચરબી), મજજા (હાડકાંની ચરબી), અસ્થિ (હાડકાં), શુક્ર (વીર્ય) અને મલ (પુરીષ) એમ આઠ પ્રકારે પરિણમે છે તેવી જ રીતે એક પ્રયોગ દ્વારા અર્થાત્ સમુદાન-કરણ દ્વારા ગ્રહણ કરેલ કમ પણ આશ્રવ-ભેદસ્વરૂપી હોવાથી પ્રકૃતિ (સ્વભાવ)ને પ્રાપ્ત કરીને આઠ પ્રકારે પરિણમે છે. મૂળ પ્રકૃતિએ આઠ છે (૧) જ્ઞાનાવરણીય, (૨) દર્શનાવરણીય, (૩) વેદનીય, (૪) મોહનીય, (૫) આયુષ્ય, (૬) નામ, (૭) ગોત્ર અને (૮) અંતરાય.” હવે આઠ પ્રકારની પ્રકૃતિને આશ્રીને આસવના જે ભેદે પડે છે તેનું દિગદર્શન કરાવવામાં આવે છે. સાંપરાયિક કર્મ આઠ પ્રકારનું છે તે શું સવ કર્મના આઠ જ આવે છે કે કંઈક વિશેષતા રહેલી છે ? આને ઉત્તર એ છે કે જોકે બધી કમ પ્રકૃતિના બંધારણ સમાન્યરૂપે યોગ અને કષાય જ છે તે પણ પ્રકૃતિવિશેષને આશ્રીને આસવમાં ભિન્નતા ઉદ્દભવે છે. આથી કરીને કષાયજન્ય અનેક પ્રકારની પ્રવૃત્તિઓમાંથી કઈ કઈ પ્રવૃત્તિ કયા કયા કર્મના બંધનું કારણ થઈ શકે છે એને આપણે વિચાર કરીશું. તેમાં જ્ઞાનાવરણીય અને દર્શનાવર@યના આસ તરીકે પ્રદોષ, નિવ, માત્સર્ય, અત્તરાય, આસાદન અને ઉપઘાતને ઉલેખ “શાસ્ત્રમાં કરવામાં આવ્યો છે. આ આસ દ્વારા આ બે કર્મો બંધાય છે. આ પ્રત્યેકનું સ્વરૂપ સમજાય તે માટે એ દરેકનું ક્રમશઃ લક્ષણ ગ્રંથકારના શબ્દોમાં જોઈ લઈએ. ૧ “ fશાયરે વીઘેન દેતુfમન વાદન : “ ” મારે ” —પ્રથમ કમગ્રંથની વૃત્તિનું બીજું પત્ર. ૨ આ સાત ધાતુઓ છે. આ ઉપરાંત કેટલાક રોમ, ત્વચા અને સ્નાયુને પણ ધાતુ ગણી એની સંખ્યા દશની દશૉવે છે. ૩ કર્મોનો સ્વભાવ એ પ્રકૃતિને અર્થ છે. ૪ આ આઠે સંબંધી વિશેષ વિવેચન હવે પછી કરવામાં આવશે. ૫ સરખા તત્વાર્થ (અ. ૬ નું નિમ્નલિખિત અગ્યારમું સૂત્રઃ " तत्प्रदोषनिहूनवमात्सर्यान्तरायासादनोपघाता ज्ञानदर्शनावरणयोः "। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy