________________
૭૬૬ આસ્રવ અધિકાર.
[ તૃતીય કહેવાનો મતલબ એ છે કે કઈ પણ કષાય પિતાની મલિન વાસનાને તૃપ્ત કરવા માટે સેવાય અર્થાત્ એ સ્વાર્થ બુદ્ધિનું કર્તવ્ય હોય તો તે અપ્રશસ્ત કષાય છે અને એથી અશુમા આસ્રવ ઉદ્ભવે છે; પરંતુ જો એમાં આત્મ-ધમની ઉન્નતિ એ પ્રેરક બળ હોય તે તે કષાય પ્રશસ્ત છે અને એ શુભ આસવ છે. આથી સમજાય છે કે સંસારની ઉન્નતિ અને અભિવૃદ્ધિ એ લક્ષ્યબિન્દુ પૂર્વકનું કષાયનું સેવન તે અશુભ આવે છે, જ્યારે આત્મોન્નતિ, સત્ય ધમની પ્રભાવના ઈત્યાદિ લયથી કષાય સેવાય તે તે શુભ આશ્રવ છે.
અત્રે એ ઉમેરવું આવશ્યક સમજાય છે કે આ તે વસ્તુસ્થિતિનું પ્રતિપાદન છે. એથી કંઇ પ્રશસ્ત કષાય સેવવાને ઉપદેશ છે એમ ન સમજવું કેમકે મેક્ષમાર્ગની પ્રાપ્તિ તે કેવળ અપ્રશસ્ત કષાયની જ નિવૃત્તિની નહિ, પરંતુ પ્રશસ્ત કષાયની પણ નિવૃત્તિની અપેક્ષા રાખે છે. સંસારમાં જેઓ અપ્રશસ્ત કષાયને સેવી રહ્યા છે તેમની દિશામાં પલટે થાય તેટલા પૂરતું આ સૂચન છે. અમુક ગુણસ્થાનક સુધી નહિ પહોંચેલા છ પ્રશસ્ત કષા સેવે તે કઈક અંશે નીભાવી લેવાય; પરંતુ એ ટાળવા પડશે જ એટલું તો તેમણે પણ સ્વીકારવું જ જોઈએ અને તેમ કરવા માટે તેમણે કટિબદ્ધ થવું જ જોઈએ. યોગ સંબંધી આસની શુભાશુભતા–
આત અને રૌદ્ર ધ્યાન એ માનસિક અશુભ યોગ છે, જ્યારે ધર્મ અને શુલ ધ્યાન એ માનસિક શુભ ગ છે. આ ચાર છે, આ સ્ત્રીલંપટ છે ઈત્યાદિ અપ્રશસ્ત વચન યાને અશુભ વાચિક ગ છે, જ્યારે દેવ, ગુરુ વગેરેના ગુણને વર્ણવાદ એ પ્રશસ્ત વચન અર્થાત્ શુભ વાચિક રોગ છે. ધર્મ-કાર્યમાં શરીરને જોડવું તે પ્રશસ્ત કાયમ છે, જ્યારે વિષય સેવ, જુગાર ખેલો ઇત્યાદિ અપ્રશસ્ત કાયથેગ છે.
પ્રશસ્ત યોગ એ શુભ આસવ છે, જ્યારે અપ્રશસ્ત એગ એ અશુભ આસવ છે, પરંતુ એ સાંપરાયિક આસવ કહેવાય તે માટે તેમાં રાગ, દ્વેષ હોવા જોઈએ. અત્ર સંબંધી આશ્વની શુભાશુભતા
શાસનદ્રોહી, સંઘાદિકને નાહક સતાવનાર વગેરેને શિક્ષા કરવી પડે તે હિંસારૂપ અવતને શુભ આસવ છે, જયારે પિતાને હેરાન કરનારને સ્વાર્થ–બુદ્ધિથી વિનાશ કરે તે એ અવ્રતને અશુભ આસ્રવ છે. આ પ્રમાણે અસત્યાદિ પરત્વે ઘટાવી લેવું. કર્મબંધની વિશેષતાનાં કારણે–
આ પ્રમાણે આપણે સાંપરાયિક આસવના ભેદેને વિચાર કર્યો. હવે આ ઉપર્યુક્ત ભેદમાં તીવ્ર ભાવ, મંદ ભાવ, જ્ઞાત ભાવ, અજ્ઞાત ભાવ, વીર્ય અને અધિકરણની તરતમતા આને વિશેષતા રહેલી છે તેને ઉલ્લેખ કરીશું; અર્થાત્ ઈન્દ્રિય-વ્યાપાર, પ્રાણાતિપાત,
૧ વિચારે મુનિરત્ન શ્રીવિષ્ણુકુમારે કરેલી નમુચિને શિક્ષા.
૨ જે છવ-અજીવ પદાર્થ આશ્રીને આત્મા તીત્રાદિક ભાવમાં-પરિણામોમાં પ્રવર્તે છે તે જીવઅજીવ પદાર્થો તે આત્માના અર્થાત તીત્રાદિક ભાવે પરિણત થયેલ આત્માના સાંપરાયિક કમના કારણરપ થાય છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org