________________
७६४ આસ્રવ-અધિકાર.
|| Aતીય છે. ત્રીન્દ્રિયમાં આ ઉપરાંત ધ્રાણેન્દ્રિય-આસવ હોય એટલે એકંદર ૩૩ આસો છે. ચતુરિન્દ્રિયમાં આ ૩૩ ઉપરાંત નેન્દ્રિય-આસવ અને દાષ્ટિ કી ક્રિયા એ બે વધારે આસો હોય અર્થાત્ કુલ ૩૫ છે. પંચેન્દ્રિયમાં ગર્ભજ મનુષ્યને બધા (૪૨) આ હેય. કાય આશ્રીને આસવ-ભેદો
પૃથ્વીકાય, અષ્કાય, તેજરકાય, વાયુકાય અને વનસ્પતિકાય એકેન્દ્રિય કહેવાથી એ પ્રત્યેકને ત્રીસ ત્રીસ આસ હેય. ત્ર–કાસમાં મનુષ્ય આશ્રીને બેતાલીસ હાય, જ્યારે બાકીના જેમાં યથાયોગ ઘટાવી લેવા. ઇન્દ્રિય સંબંધી આસવની શુભાશુભતા
ઈન્દ્રિય પાંચ હેવાથી એ સંબંધી આસ્રવ પણ પાંચ હોય તે સ્વાભાવિક છે. તેમાં શીતાદિ આઠ સ્પર્શે પૈકી પિતાને જે અનુકૂળ જણાય તેવા સ્પેશવાળા પદાર્થને વિષે રાગી બને અર્થાત એથી રાજી થાય અને જે પ્રતિકૂળ જણાય તેને વિષે દ્વેષ ધારણ કરે એટલે કે એથી નારાજ થાય, એ પ્રમાણેની જીવની પ્રવૃત્તિ તે સ્પર્શનેન્દ્રિય વિષયક આસવ છે. આ આસવ શુભ
રને છે. તેમાં જિનદેવના સ્નાત્ર વખતે, ગુરુ તેમજ લાનની વૈયાવૃત્ય કરતાં કે ધર્મનાં ઉપકરણને સ્પર્શ થતાં આનંદ પામે એ પ્રશસ્ત આસવ છે, જ્યારે સ્ત્રી, પુત્રાદિના સંસારપષક પશથી રાજી થવું એ અપ્રશસ્ત આસવ છે.
અનુકૂળ રસવાળા પદાર્થને વિષે પ્રીતિ ધારણ કરવી અને પ્રતિકૂળ રસવાળા પદાર્થ ઉપર દ્વેષ ધારણ કરે તે રસનેન્દ્રિય વિષયક આસવ છે. આના પણ શુભ અને અશુભ એમ બે ભેદે છે. તેમાં પાંચ પ્રકારના સ્વાધ્યાયે વાતે, દેવ અને ગુરુની સ્તુતિ કરવા સારૂ કે ગુરુ વગેરેની ભક્તિના નિમિત્તથી અન્ન પાનની પરીક્ષા કરવા જીભને ઉપયોગ કરે તે શુભ આસ્રવ છે, જ્યારે દેહ ટકાવી રાખવા માટે નહિ, પરંતુ લહેજતની ખાતર મનહર રસવતી (ભજન) જમાવી તે અશુભ આસવ છે.
અત્તર જેવા સુગંધી પદાર્થો મળતાં રાજી થવું અને લસણ જેવા દુર્ગધી પદાર્થ મળતાં નાખુશ થવું એ ધ્રાણેન્દ્રિય સંબંધી આસવ છે. આના પણ પૂર્વની જેમ બે ભેદે છે. તેમાં પ્રભુની પૂજાની સામગ્રી જેવી કે ચંદન, બરાસ, કસ્તુરી, કુંકુમ, કુસુમ, અગુરુ ઈત્યાદિ પદાર્થોની સુગંધથી રાજી થવું તે શુભ આસવ છે, જ્યારે માથામાં નાંખવાનાં સુગંધી તેલ કે વિવિધ જાતનાં અત્તરે જેવા સંસારવર્ધક પદાર્થો મળતાં ખુશી થવું તે અશુભ આસવ છે.
મનહર રંગ, રૂપ અને આકારવાળા પદાર્થોને જોઈને રાજી થવું અને એથી વિપરીત જાતના પદાર્થોને જોઈને નારાજ થવું તે નેન્દ્રિય સંબંધી આસવ છે. આના પણ શુભ અને અશુભ એમ બે પ્રકારે છે. તેમાં જિનેશ્વરની પ્રતિમા, ગુરુ, સંઘ, શાસ્ત્ર, ધર્મસ્થાન ઇત્યાદિનું દર્શન તે શુભ આસવ છે, જ્યારે કામિનીનાં અંગે પાંગ, નાટક, ખેલ, તમાસા વગેરે જોવાં તે અશુભ આસવ છે,
નાય અને ધર્મોપદેશ, આનાં લક્ષણ માટે જીએ
૧ વાચન, પ્રચ્છને, અનુપ્રેક્ષા, છો ઉરલાસ,
Jain Education International
For Private & Personal Use Only
For Private & Personal use only
www.jainelibrary.org