SearchBrowseAboutContactDonate
Page Preview
Page 841
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૬૨ આસવ-અધિકાર. [ તૃતીય આ પૈકા પહેલી આઠ ક્રિયાઓનાં નામ ૨૨ મી ગાથામાં, ત્યારપછીની આઠનાં ૨૩ મીમાં અને બાકીની નવનાં ૨૪ મીમાં આપેલાં છે, તત્વાર્થ (અ. ૬, સૂ. ૬)ના સ્વપજ્ઞ ભાગ્ય (પૃ. ૧૧ ) તરફ દષ્ટિપાત કરતાં જણાય છે કે ત્યાં પાંચ પાંચ ક્રિયાઓનાં પાંચ પંચકે છે. જેમકે (૧) સમ્યત્વ, (૨) મિથ્યાત્વ, (૩) પ્રોગ, (૪) સમાદાન અને (૫) ઈર્યાપથ; (૬) કાય, (૭) અધિકરણ, (૮) પ્રદેષ, (૯) પરિતાપન અને (૧૦) પ્રાણાતિપાત, (૧૧) દર્શન, (૧૨) સ્પર્શન, (૧૩) પ્રત્યય, (૧૪) સમન્તાનુપાત અને (૧૫) અનાગ (૧૬) સ્વહસ્ત, (૧૭) નિસર્ગ, (૧૮) વિદારણ, (૧૯) આનયન અને (૨૦) અનવકાંક્ષા (૨૧) આરંભ, (૨૨) પરિગ્રહ, (૨૩) માયા, (૨૪) મિથ્યાદર્શન અને (૨૫) અપ્રત્યાખ્યાન. પ્રજ્ઞાપનાના બાવીસમા પદમાં નવતરવપ્રકરણગત કાયિકીથી અપ્રત્યાખ્યાનિકી સુધીની દશ જ ક્રિયાઓ પાંચ પાંચનાં બે પંચક તરીકે ગણાવાયેલી છે. સ્થાનાંગમાં બીજા સ્થાનના પહેલા ઉદ્દેશકમાં–સાઠમા સૂત્રમાં બબ્બે ક્રિયાઓનાં અગ્યાર યુએને નિર્દેશ નીચે મુજબ છેઃ (૧) કાયિકી અને આધિકરણિકી; (૨) પ્રાષિકી અને પારિતાપનિકી, (૩) પ્રાણાતિપાનિકી અને અપ્રત્યાખ્યાનિકી; (૪) આરંભિકી અને પારિગ્રહિકી; (૫) માયાપ્રત્યયિકી અને મિથ્યાદર્શનખત્યયિકી, (૬) દષ્ટિકા અથવા દષ્ટિની અને પુષ્ટિકા, પૃષ્ટિની, સ્મૃષ્ટિકા અથવા પૃષ્ટિની; (૭) પ્રાતત્યકી અને સામતેપનિપાતિકી; (૯) સ્વાહસ્તિકી અને નષ્ટિકી; (૯) આજ્ઞાનિક અથવા આનયન અને વારિણી, (૧૦) અનાગપ્રત્યયા અને અનવકાંક્ષપ્રત્યયા; અને (૧૧) પ્રેમપ્રત્યયા અને દેષપ્રત્યયા. આસવના કર ભેદનું સૂક્ષ્મ અવલોકન થળ દષ્ટિએ આસવના ઘણાખરા ભેદ ભિન્ન ન જણાતાં એક સરખા જણાય છે. જેમકે ઈન્દ્રિય-આસવમાં નેન્દ્રિય વિષયક દાષ્ટિકી ક્રિયા અને સ્પર્શનેન્દ્રિય વિષયક પૃષ્ટિકી ક્રિયાને અંતર્ભાવ થાય છે. ચારે કષાયે પ્રેમિકા, કૅષિકી, પ્રાÀષિકી અને માયા-પ્રત્યયિકી ક્રિયાઓમાં યથાગ્ય અંતર્ગત થાય છે. પાંચે અને સામાન્ય રીતે વિચાર કરતાં અપ્રત્યાખ્યાનિકી ક્રિયામાં અને વિશેષ વિચાર કરતાં પ્રથમ હિંસારૂપ આ વ્રતને પ્રાણાતિપાતિકી ક્રિયામાં અને પાંચમા અપરિગ્રહરૂપ અવ્રતને પારિગ્રાહિકી ક્રિયામાં સમાવેશ થઈ શકે છે. ત્રણે જે પૈકી કાયાગ કર્યો છે. આ સમ્યક્ત્વ-ક્રિયાનો સ્વામી સામાન્ય રીતે સરાગ છવ હોવાથી આને અત્ર પ્રેમિકા' અર્થાત 1 પ્રેમપ્રત્યય' કહી છે. એવી રીતે મિથ્યાત્વ-ક્રિયાના અભિગૃહીત, અભિનિવિષ્ટાદિ મિથ્યાદષ્ટિ સ્વામી હોવાથી એને અત્ર * દેષિકી ' યાને ' ષપ્રત્યયા ' કહી છે. આ પ્રમાણે નવતવપ્રકરણના ભાષ્યના ૩૧મા પત્રમાં ઉલ્લેખ છે. ૧ ર૭૯ મા સત્રમાં પ્રથમ પંચકને અને ૨૮૪ મા સૂત્રમાં દ્વિતીય પંચકને નિર્દેશ છે. ૨ તરવાર્થમાં ૩૯ ભેદ સૂચવાયા છે, જ્યારે નવતરવપ્રકરણના ભાષ્ય (ગા. ૭૮ )માં ૪૨ સૂચવાયા છે. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy