SearchBrowseAboutContactDonate
Page Preview
Page 827
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૪૮ આસવ-અધિકાર [ તૃતીય કષાયની મંદતા અને તીવ્રતા અનુસાર સાંપરાયિક કર્મ ઓછી વસ્તી સ્થિતિવાળું થાય છે અને યથાસંભવ શુભાશુભ વિપાકનું કારણ પણ બને છે, પરંતુ કષાયથી રહિત જીવ ત્રિવિધ રોગ દ્વારા જે અંર્યાપથિક કર્મ બાંધે છે તે કષાયના અભાવને લઈને નથી વિપાકનું કારણ બનતું કે નથી બે સમયથી અધિક સ્થિતિને પ્રાપ્ત કરતું. આથી એ ફલિત થાય છે કે ત્રણે પ્રકારના વેગ સમાન હોવા છતાં પણ જે કષાયની ગેરહાજરી હોય તે ઉપાર્જિત કર્મમાં સ્થિતિ કે રસને બંધ થતું નથી કેમકે સ્થિતિ અને રસ એ ઉભયના બંધનું કારણ કષાય જ છે. આથી મુમુક્ષુ જનેએ સંસારવૃક્ષની ખરેખરી જડરૂપ કષાયને જ ભસ્મીભૂત કરવા જોઈએ. આ સમગ્ર વિવેચનમાંથી નિષ્કર્ષ એ નીકળે છે કે જે કાયારિક વ્યાપાર કષાય યુક્ત બંધમાં કારણભૂત હોય તે વ્યાપાર સાંપરાયિક કર્મના આશ્ર છે, જ્યારે જે કાયાદિક વ્યાપારે દ્વારા અકષાયી-કષાયરહિત બંધ થાય તે વ્યાપાર ઐર્યાપથિક કર્મના આશ છે. હવે સાંપરાયિક આસવના ભેદ વિચારવામાં આવે છે. તેમાં ઈન્દ્રિય, કષાય, અગ્રતા અને ક્રિયા એમ તેના ચાર મૂળ ભેદ છે. આ દરેકના અનુક્રમે પાંચ, ચાર, પાંચ અને પચીસ ભે પડે છે, અર્થાત તેના એકંદર ઓગણચાલીસ પ્રકારે થાય છે. ઈન્દ્રિયનું સ્વરૂપ તે આપણે જોઈ ગયા છીએ. કેધ, માન, માયા અને લેભ છે ચાર કષાય છે. એનું વિશેષ સ્વરૂપ આગળ ઉપર વિચારવામાં આવનાર છે. સમગ્ર કર્મોની જાળરૂપ હંસાદિ અવતે છે. એ અવ્રતને વિષે પ્રવૃત્તિ થતાં આમ્રવને વિષે પ્રવૃત્તિ થાય છે અને એનાથી નિવૃત્ત થતાં આસવથી નિવૃત્તિ થાય છે. આ હિંસાદિના લક્ષણે આ ઉલ્લાસમાં હવે પછી વિચારાશે. હાલ તુરત તે ક્રિયાના પચ્ચીસ ભેદનાં નામે ગલ્થકારે એનાં આપેલાં લક્ષણના ક્રમ અનુસાર નીચે મુજબ જોઈ લઈએ. – (૧) સમ્યકૃત્વ-ક્રિયા, (૨) મિથ્યાત્વ-ક્રિયા, (૩) સમાદાન-કિયા, (૪) પશિકી-ક્રિયા, (૫) પ્રગ-ક્રિયા, (૬) પરિગ્રહ-ક્રિયા, (૭) માયાપ્રત્યયિક–ક્રિયા, (૮) ૧ જેકે ઇન્દ્રિયની પ્રવૃત્તિ, અવ્રત અને ક્રિયાનું બંધના કારણરૂપ યાને આસ્રવરૂપ થવાપણું રાગ-દેષ ઉપર જ અવલંબી રહેલું છે અને એથી કરીને વાસ્તવિક રીતે રાગ-દ્વેષ અર્થાત્ કવાય જ સાંપરાયિક કર્મનું બંધ-કારણ છે, તે પણ કષાયથી અલગરૂપે ઇન્દ્રિય, અત્રત અને ક્રિયાને જે સાંપરાયિક આસવરૂપે અત્રે ઉલ્લેખ કરાયો છે તે કષાયજન્ય કઈ કઈ પ્રવૃત્તિ વ્યવહારમાં મુખ્ય ભાગ ભજવે છે, સંવરના અભિલાષીએ કઈ કઈ પ્રવૃત્તિને રોકવી જોઈએ અને તે માટે કાના ઉપર ધ્યાન આપવું જોઈએ એનો સ્યુટ બોધ થાય તે વાસ્તે કરાયેલ છે. ૨ સરખા તત્તવાથ( અ. ૭ )નું નિમ્ન–લિખિત સૂત્ર – વિષાણાલિકાઃ જ્ઞાવિંશતિસાદાઃ pકા મા ! ” ૩ અત્ર ઇન્દ્રિયથી એની રાગદ્વેષ પૂર્વકની પ્રવૃત્તિ સમજવી; કેમકે કેવળ સ્વરૂપ માત્રથી કોઇ પણ ઇન્દ્રિય કર્મ–બંધનું કારણ થઈ શકતી નથી અને ઇન્દ્રિયોની રાગ દ્વેષથી રહિત પ્રવૃત્તિ પણ કમ-બંધનો હેતુ થઈ શકતી નથી. જોકે આ ઈપથિકી ક્રિયા સાંપરાધિક કમનો આસવ નથી તોપણ અત્ર બધી ક્રિયાઓ કપાય જ પ્રેરિત હોવાને લીધે તેને સાંપરાષિક કમસ્ત્રવ તરીકે ઓળખાવી છે તે બહુલતાની અપેક્ષાએ જાણવું અર્થાત પ્રાયઃ તેમ સમજવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy