SearchBrowseAboutContactDonate
Page Preview
Page 825
Loading...
Download File
Download File
Page Text
________________ આસ્રવ અધિકાર. [ તૃતીય શુભાશુભ ગનાં કાર્યો– ૨૭૧મા અને ૨૭૨મા લક્ષણોમાં શુભ યોગનું કાર્ય સુખને અનુબંધ યાને પુણ્યપ્રકૃતિને બંધ અને અશુભ યોગનું કાર્ય દુઃખને અનુબંધ યાને પાપ-પ્રકૃતિને બંધ છે એમ જે સૂચવાયું છે તે તત્વાર્થ (અ) ૬)ના નિમ્નલિખિત ત્રીજા ચોથા સૂત્રને અનુસરે છે – શુભ guથા ” “અશુભ giv » પરંતુ અત્રે એ પ્રશ્ન જરૂર ઉપસ્થિત થાય છે કે જે પ્રમાણે અશુભ યોગના સમયે પહેલા વગેરે ગુણસ્થાનકેની જ્ઞાનાવરણીયાદિ બધી પુણ્ય-પ્રકૃતિઓને અને પાપ-પ્રકૃતિઓને યથ સંભવ બંધ હોય છે તે જ પ્રમાણે શુભ યોગના સમયે પણ છઠ્ઠા વગેરે ગુણસ્થાનમાં પુણ્ય, પાપ પ્રકૃતિઓને યથાસંભવ બંધ હોય છે જ; તે પછી શુભયોગને પુણ્ય-બંધના હેતુ તરીકે અને અશુભ યોગને પાપ-બંધના હેતુ તરીકે અલગ અલગ નિર્દેશ કરે કેવી રીતે વ્યાજબી ગણાય? આને ઉત્તર એ છે કે ૨૭૧મા અને ર૭૨મા લક્ષણેમાંનું કથન અને ઉપર્યુક્ત સૂત્રગત વિધાન મુખ્યતા અને અનુભાગ–બંધની અપેક્ષાએ વિચારવાનાં છે. સ્પષ્ટ શબ્દોમાં કહીએ તે સંકુલેશની-કષાયની મંદતાના સમયે થતે પેગ શુભ અને સંલેશની તીવ્રતાના સમયે તે ચેન અશુભ કહેવાય છે. શુભ રોગની તીવ્રતાના સમયે પુણ્ય-પ્રકૃતિઓના અનુભાગ (રસ)ની માત્રા અધિક અને પાપ-પ્રકૃતિતિઓના અનુભાગની માત્રા અલ્પ નિષ્પન્ન થાય છે, જ્યારે અશુભ ગની તીવ્રતાના સમયે એથી વિપરીત હકીકત છે અર્થાત્ એ સમયે પાપ-પ્રકૃતિને અનુભાગ–બંધ અધિક અને પુણ્ય-પ્રકૃતિને અનુભાગ-બન્ધ અલ્પ હોય છે. એમાં શુભ ગથી ઉત્પન્ન થતા પુણ્ય–અનુભાગની જે અધિક માત્રા હોય છે તેની પ્રધાનતા સ્વીકારીને શુભ અને પુણ્યના બંધકારણ તરીકે અત્ર નિર્દેશ કરે છે. એવી રીતે અશુભ યેગથી ઉદ્દભવતા પાપ-અનુભાગની જે અધિક માત્રા હોય છે તેની મુખ્યતા માનીને અશુભ ગને પાપના બંધકારણ તરીકે અત્ર નિર્દેશ કરાયો છે. અર્થાત લેકની માફક શાસ્ત્રમાં પણ પ્રધાનતા પૂર્વક વ્યવહાર કરવાને સુપ્રસિદ્ધ નિયમ હેવાથી શુભ ગજન્ય પાપાનુભાગની અલ્પ માત્રા અને અશુભગ જન્ય પુણ્યાનુભાગની અલ્પ માત્રાની ઉપેક્ષા કરવામાં આવે છે. આમ્રવના પ્રકારતરથી ભેદ આસવના સાંપરાયિક અને કર્યા પથિક એમ પણ બે પ્રકાર પડે છે. આ બે પ્રકારે ૧ “ પ્રાધાન્ય ફેરા માનિત ”. જેમકે હિંદમાં હિંદીઓની મુખ્યતા હોવાથી તેમનું સંખ્યાબળ અન્ય અંગ્રેજ, ઈંચ, ડચ વગેરે કરતાં અધિક હોવાથી આ હિંદ હિંદીને દેશ ગણાય છે. ' જોકે એમાં અંગ્રેજ વગેરે બીજી કેમે પણ વસે છે. ૨ “ સાંપરાયિક' શબ્દ “ સંપરાય” ઉપરથી બનેલું છે. સંપરાયનો “સબરસાત્ જમા સામ7: તારાચઃ ” અર્થાત “ આત્માને ચારે બાજુથી પરાભવ” એવો અર્થ તરપાર્થરાજ (પૃ. ૨૪૮)માં સૂચવાયો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy