SearchBrowseAboutContactDonate
Page Preview
Page 810
Loading...
Download File
Download File
Page Text
________________ ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા. ચાર પ્રદેશથી અને ઉત્કૃષ્ટ પદે સાત પ્રદેશોથી પૃષ્ટ હોય. લેકના અન્તમાં રહેલા ધર્માસ્તિકાયના એક પ્રદેશ વડે અલકાકાશના અગ્ર ભાગમાં વતત પ્રદેશ સ્પષ્ટ હોય અને વકગત આકાશ-પ્રદેશ ધર્માસ્તિકાયના બે પ્રદેશોથી સ્પષ્ટ હોય.વળી જે અલકાકાશના પ્રદેશની ભાગળ (અગ્ર ભાગમાં) નીચે તેમજ ઉપર ધર્માસ્તિકાયના પ્રદેશ છે તે ધર્માસ્તિકાયના ત્રણ પ્રદેશોથી પૃષ્ટ છે.' કાન્તના ખૂણામાં રહેલે જે આકાશ-પ્રદેશ છે તે તેને વિષે અવગાહીને રહેલા (તદાશ્રિત) ધર્માસ્તિકાયના પ્રદેશથી તેમજ ઉપરના કે નીચેનાથી સ્પષ્ટ છે તેમજ બે દિશામાં રહેલા એ પ્રમાણે ધર્માસ્તિકાયના ચાર પ્રદેશથી પૃષ્ટ હોય. વળી જે આકાશને પ્રદેશ નીચે, ઉપર બે દિશામાં રહેલા તેમજ એને વિષે જ અવગાહીને રહેલા ધર્માસ્તિકાયના પ્રદેશોથી સ્પષ્ટ હેય તે આકાશપ્રદેશની ધર્માસ્તિકાયના પાંચ પ્રદેશની સાથે સ્પર્શના છે. એ પ્રમાણે જે આકાશ-પ્રદેશ ઉપર, નીચે, ત્રણ દિશામાં રહેલા તેમજ એને વિષે અવગાહીને રહેલા ધર્માસ્તિકાયથી સ્પષ્ટ છે તે આકાશ-પ્રદેશ ધર્માસ્તિકાયના છ પ્રદેશથી પૃષ્ટ છે. જેની ત્રણ દિશાને બદલે જેની ચારે દિશામાં ધર્માસ્તિકાય હેય તે ઉપર્યુક્ત આકાશ-પ્રદેશ ધર્માસ્તિકાયના સાત પ્રદેશથી સ્પષ્ટ છે. - આકાશાસ્તિકાયના એક પ્રદેશની અધર્માસ્તિકાયના પ્રદેશ સાથેની સ્પશના ધર્માસ્તિકાયના પ્રદેશ સાથેની સ્પર્શના સાથે સર્વથા મળતી આવે છે. એટલે તે પ્રમાણે ઘટાવી લેવું અર્થાત્ જ્યાં જ્યાં ધર્માસ્તિકાય શબ્દ વાપર્યો છે ત્યાં ત્યાં અધર્માસ્તિકાયને પ્રયોગ કરવો. લોકાકાશમાં રહેલો આકાશપ્રદેશ કે અલોકાકાશમાં રહેલે આકાશ-પ્રદેશ હોય તે છે દિશામાં રહેલા છ આકાશ-પ્રદેશથી પૃષ્ટ છે. આકાશાસ્તિકાયને અમુક પ્રદેશ છવાસ્તિકાયના પ્રદેશથી પૃષ્ટ હેય પણ ખરે અને ન પણ હોય. જે એ કાકાશને પ્રદેશ હેાય તે તે જીવાસ્તિકાયના પ્રદેશોથી સ્પષ્ટ છે અને જો એ અલકાકાશને પ્રદેશ હોય તે ત્યાં જીવ નહિ હેવાથી તે જીવાસ્તિકાયના પ્રદેશથી પૃષ્ટ નથી. એ પ્રમાણે જ આકાશાસ્તિકાયના પ્રદેશની યુગલાસ્તિકાયના પ્રદેશ સાથેની તેમજ અદ્ધાસમય સાથેની સ્પર્શના સમજી લેવી. જવાસ્તિકાયને એક પ્રદેશ ધર્માસ્તિકાયના તેમજ અધર્માસ્તિકાયના ઓછામાં ઓછા ચાર ચાર પ્રદેશોથી અને વધારેમાં વધારે સાત સાત પ્રદેશોથી સ્પષ્ટ છે. જીવાસ્તિકાયને એક પ્રદેશ આકાશાસ્તિકાયના સાત પ્રદેશથી પૃષ્ટ છે, જીવાસ્તિકાયને એક એક પ્રદેશ એક એક આકાશ-પ્રદેશને વિષે કેવલિ-સમુઘાત સમયે જ હોય છે; અન્ય સાંસારિક અવસ્થા દરમ્યાન તે ૩ લોકાન્તના ખૂણાને આશ્રીને , કેમકે એક ઉપરનો કે નીચેન, બે દિશામાં રહેલા અને એક તે જ પ્રદેશને અવગાહીને રહેલ એમ ચાર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy