SearchBrowseAboutContactDonate
Page Preview
Page 806
Loading...
Download File
Download File
Page Text
________________ ઉલ્લાસ ] આહત દર્શન દીપિકા. રૂપ છે અને જીવના પ્રદેશરૂપ પણ છે. તેમાં જે જીવના દેશે છે તે અવશ્ય એકેન્દ્રિય જીવના દેશો છે અથવા એકેન્દ્રિયેના રેશે અને દ્વીન્દ્રિયને દેશ છે અથવા એ કેન્દ્રિયોના દેશ અને દ્વિીન્દ્રિય ના દેશે છે અથવા એકેન્દ્રિના દેશ અને દ્વીન્દ્રિયના દેશો છે અથવા એકેન્દ્રિયના દેશે અને ત્રીન્દ્રિયને શ છે ઇત્યાદિ અત્ર ત્રણ વિકલ્પ જાણવા. એ પ્રમાણે છેક અનિન્દ્રિય સુધી ત્રણ વિકલ્પ જાણવા. તેમાં જે જીવન પ્રદેશ છે તે અવશ્ય એકેન્દ્રિયોના પ્રદેશો છે, અથવા એકેન્દ્રિના પ્રદેશ અને હીન્દ્રિના પ્રદેશ છે. એ પ્રમાણે સર્વત્ર પ્રથમ ભાગા સિવાય બે ભાંગા જાણવા. આ પ્રમાણે છેક અનિન્દ્રિય સુધી જાણવું. હવે જે અજીવે છે તે રૂપી અને અરૂપી એમ બે પ્રકારના છે અને તેમાં પ્રથમના કંધાદિ ચાર અને દ્વિતીયના ને ધર્મારિતકાયાદિ સાત પ્રકારે છે. વિદિશાઓમાં જીવો નથી, માટે સર્વત્ર દેશ વિષયક વિકલ્પ જાણે. * એન્દી દિશા માટે કહ્યું તે સર્વ કથન પામ્યા, વાણી અને સોમ્યા માટે પણ જાણવું. વળી જે હકીકત આગ્નેયી દિશા પરત્વે કહી તે સંપૂર્ણ હકીકત નડતી, વાયવ્ય તથા ઐશાની માટે પણ જાણી લેવી. વિમલા દિશામાં જેમ આગ્નેયીમાં જીવો કહ્યા તેમ છે અને અન્દીમાં અજી કહ્યા તેમ અજે જાણવા. એ પ્રમાણે તમા દિશાને વિષે પણ જાણવું. પરંતુ એને ઉદ્દેશીને એ વિશેષતા છે કે ત્યાં અરૂપિ-અછ છ પ્રકારના છે, કારણ કે ત્યાં અદ્ધાસમય નથી. દશ દિશાઓના ઉગમ-સ્થાનાદિ ભગવતી (શ. ૧૩, ઉ. ૪, સૂ. ૪૭૯–૪૮૦)માં દશે દિશાઓને ઉદ્દેશીને આ સિવાયની બીજી કેટલીક હકીકત ને પેલી છે. જેમકે “ જંબૂઢીપમાંના “મેરુ પર્વતના બરોબર મધ્ય ભાગને વિષે “રત્નપ્રભા” પૃથ્વીના રત્નકાંડના ઉપરના અને નીચેના ક્ષુદ્ર (સર્વ કરતાં લઘુ) એવા બે પ્રતરો છે. એને વિષે તિયકના મધ્ય ભાગરૂપ આઠ પ્રદેશને રુચક રહે છે કે ત્યાંથી એન્ટ્રી વગેરે દિશાઓ નીકળે છે. એન્દ્રી ક્રિયાને ઉદ્દેશીને નીચે મુજબના સાત પ્રશ્નો વિચારી શકાય છે – (૧) એ દિશાની આદિમાં શું છે ? (૨) એ ક્યાંથી નીકળે છે? (૩) એની આદિમાં કેટલા પ્રદેશ છે ? ૪) કેટલા પ્રદેશની ઉત્તરેત્તર વૃદ્ધિ થાય છે ? (૫) તે કેટલા પ્રદેશની છે ? ( ૮ ) એનો અંત કયાં છે? (૭) તે કેવા આકારની છે ? આને અનુક્રમે ઉત્તર એ છે કે એન્ટ્રી દિશાની આદિમાં “ચક” છે, એ ચક થી નીકળે છે, એની આદિમાં બે પ્રદેશ ૧ સમયનો વ્યવહાર ગતિમાન સૂર્યના પ્રકાર ઉપર અવલંબિત છે . એ ગતિમાન સૂર્યનો પ્રકાશ તમાને વિષે નથી, માટે ત્યાં અદ્ધાસમય નથી. વળી જેકે વિમલાને વિષે પણ ગતિમાન સૂર્યને પ્રકાશ નહિ હોવાને લીધે સમયના વ્યવહારને સંભવ નથી તે પણ “મેરુ” પર્વતના સ્ફટિક-કાંડને વિષે ગતિમાન સૂર્યના પ્રકાશનો સંક્રમ થતું હોવાથી ત્યાં સમય–વ્યવહાર હોઈ શકે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy