________________
ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા.
૭૨૫ આ પ્રમાણે હયાતી ધરાવતી વસ્તુ પણ ઉપર્યુક્ત આઠ કારણે પૈકી કઈકને લીધે દેખાતી નથી, તેમ ધર્માસ્તિકાયાદિ પદાર્થો પણ વિદ્યમાન હોવા છતાં તથાવિધ સ્વભાવને લઈને આપણું દ્રષ્ટિએ પડતા નથી એમ માનવું ઉચિત ગણાય, નહિ કે તેની સત્તાને અભાવ માનવ સમુચિત લેખાય.
વળી આ ધર્માસ્તિકાયાદિ પદાર્થો છમસ્થને દષ્ટિગેચર નથી કિન્તુ સર્વરને તો તે છે જ આથી પણ એનું અસ્તિત્વ સ્વીકારવું જોઈએ. વિશેષમાં પરમાણુ દષ્ટિગોચર નથી, કિતુ તે દ્વારા બનેલી વસ્તુઓને લઈને એની સત્તા સ્વીકારાય છે તેમ ઉધમસ્તિકાયની ગતિશીલ પદાર્થને ગમન કરવામાં સહાયક બનવું, અધર્માસ્તિકાયની સ્થિતિશીલ પદાર્થને સ્થિતિ કરવામાં સહાયતા કરવી અને આકાશની અવગાહના આપવી ઈત્યાદિ પ્રવૃત્તિઓ થતી હોવાથી તેનું અસ્તિત્વ સ્વીકારવામાં જૈન દષ્ટિએ કશો બાધ જણાતું નથી. દિશાઓનું સ્વરૂપ–
ભગવતી (શ. ૧૦, ઉ. ૧, સૂ. ૩૯૪)માં દિશાઓનું સ્વરૂપ નીચે મુજબ સૂચવાયું છે
પૂર્વ દિશા એ જવરૂપ છે, કેમકે ત્યાં એકેન્દ્રિયાદિ જે રહેલા છે અને એ અજવરૂપ પણ છે, કારણ કે ત્યાં ધર્માસ્તિકાયાદિના દેશરૂપ અજીવ પદાર્થો પણ રહેલા છે. આ પ્રમાણે પશ્ચિમ, દક્ષિણ અને ઉત્તર એ ત્રણ દિશાઓ માટે તેમજ ઊર્ધ–દિશા તેમજ અધે-દિશા માટે પણ સમજી લેવું.
૧ પક્ષીને ઉડવામાં આકાશ, નેત્રને બાહ્ય વસ્તુ દેખવામાં સૂર્યાદિને પ્રકાશ, ખેતી કરવામાં ખેડુતને વરસાદ, ભિક્ષકને સ્થિરતા કરવામાં સારાં સદાવતે, બેસી જવાની ઇરછાવાળાને જમીન અને સંસારનો ત્યાગ કરતા પુરુષને ત્યાગમાં સદુપદેશ જેમ નિમિત્તરૂપ છે તેમ ધર્માસ્તિકાય ગતિના પરિણામવાળા જડ કે ચેતનને ગતિ કરવામાં નિમિત્તરૂપ છે–અપેક્ષાકારણ છે. વળી ભાષા, ઉચ્છવાસ, મન વગેરે પુગલનું ગ્રહણ ધર્માસ્તિકાય વિના ગતિના અભાવે ન થઈ શકે, માટે જીવની ભાષા, ઉચ્છવાસ વિવિધ યોગ ઇત્યાદિરૂપ ચળ ક્રિયાઓમાં ધર્માસ્તિકાયને ઉપકાર છે.
૨ જેમ માછલાને સ્થિર થવામાં દીપ અને ઉડતા પક્ષીને સ્થિર થવામાં ઝાડ, જમીન કે પર્વતનું શિખર ઉપકારી છે તેમ બેસવામાં, ઊભા રહેવામાં, આલંબનમાં–કઈ વસ્તુને ધરી રાખવામાં, ચિત્તની સ્થિરતામાં ઇત્યાદિ સ્થિર કાર્યોમાં અધમસ્તિકાયને ઉપકાર છે.
૩ આકાશ વસ્તુમાત્રને અવકાશ આપવામાં નિમિત્તરૂપ છે અને એનું સ્વરૂપ પણ અવકાશ કે અવગાહ છે. અત્ર કોઈ પ્રશ્ન ઉઠાવે કે જ્યારે અવગાહરૂ૫ ગુણુ જેમ આકાશમાં છે તેમ પુદગલાદિમાં પણ છે તે પછી અવગાહ એ કેવળ આકાશને જ ગુણ કેમ કહેવાય ? જેમ બે આંગળીઓને સંગ એ બંને આંગળીઓનો ધર્મ છે તેમ અવગાહરૂપ ગુણ આકાશમાં તેમજ પુગલાદિમાં પણ હોવાથી એ કેવલ આકાશનો ગુણ ન ગણાય. આ પ્રશ્નનો ઉત્તર એ છે કે જેકે અવગાહરૂપ ગુણ આકાશમાં તેમજ પગલાદિમાં છે તે પણ આકાશમાં અવગાહ મળી શકતા હોવાથી આકાશ પ્રધાન છે અને પુદગલાદિ દ્રવ્યો તે આકાશમાં અવગાહ મેળવતાં હોવાથી તે અવધાન છે-ગૌણ છે, માટે આ સ્થળે પ્રધાન એવા આકાશના અવગાહ ધર્મને જ લક્ષ્યમાં રાખીને આકાશને જ અવગાહમાં ઉપકારી ગણવામાં આવ્યું છે. જુઓ તરહસ્યદીપિકાનું ૬૯ મું પત્ર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org