SearchBrowseAboutContactDonate
Page Preview
Page 802
Loading...
Download File
Download File
Page Text
________________ ઉલ્લાસ , આહંત દર્શન દીપિકા. આ તે નિશ્ચય-દષ્ટિએ વાત થઈ. સર્વદા એક જ અવસ્થામાં રહેનાર શાશ્વત પદાર્થ નિત્ય અને વિનાશી પદાર્થ અનિત્ય કહેવાય એ રીતે વિચારીએ તો જીવ-દ્રવ્ય અનિત્ય છે, કેમકે મનુષ્યત્વાદિ કોઈ પણ એક અવસ્થામાં કાયમ નહિ રહેતાં એ મનુષ્ય મટીને દેવ થાય, દેવ મટીને તિર્યંચ થાય, તિર્યંચ મટીને નારક થાય એમ એની વિવિધ અવસ્થાઓ સંભવે છે. જે પદાર્થ નિત્ય હેય તે અનાદિ અનંતમે ભાગે હોય. સિદ્ધપણું સાદિ અનંતમે ભાગે હેવાથી અનિત્ય છે.' પુદ્ગલ-દ્રવ્ય પણ અનિત્ય છે, કેમકે પરમાણુરૂપ મટીને તે સકંધરૂપે પરિણમે છે. તે શ્યામ વર્ણને છેવને પીત વણને ભજે છે. આ પ્રમાણે તેમાં અનેક પરિવર્તન થયાં કરે છે. શાશ્વત મંદિરે, શાશ્વત પ્રતિમાઓ અને શાશ્વત “મેરુ' વગેરે પદાર્થો પણ સ્કંધ અથવા આકારરૂપે શાશ્વત છે; બાકી છે તે અશાશ્વત છે અર્થાત એ પદાર્થો રચંધના દેખાવથી નિત્ય છે, પરંતુ એ કિધે જે પુદગલ-દ્રવ્યના બનેલા છે તે પુદ્ગલ દ્રવ્ય નિત્ય નથી, કેમકે એ શાશ્વત સ્કંધમાંથી પણ પ્રતિસમય અનંત પુદ્ગલ-પરમાણુઓ ખરી પડે છે અને વળી અનેક નવા આવી મળે છે કે જેથી એનું અંધત્વ અને આકાર જેવાં ને તેવાં રહે છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને કાલ એ ચાર દ્રવ્યે તે નિત્ય છે, કેમકે એમાં પૂર્વોક્ત વિનશ્વર - સ્વભાવને અભાવ છે. ધમસ્તિકાયાદિનું અસ્તિત્વ જીવ રૂપ વિનાને છે પરંતુ એના ઉપગરૂપ ગુણ પ્રત્યક્ષપણે જાતે લેવાથી એનું અસ્તિત્વ સ્વીકારવામાં વાંધો આવતો નથી, પરંતુ અચેતન એવા ધમસિતકાય અને અધર્માસ્તિકાય સર્વથા અરૂપી હોવાથી એની સત્તા શી રીતે સ્વીકારાય? આ પ્રશ્નનો ઉત્તર એ છે કે જે ચીજ પ્રત્યક્ષપણે ન દેખી શકાય એવી હોય એ ન જ હોય એ કંઈ નિયમ નથી, કેમકે આ વિશ્વમાં અનુપલબ્ધિના બે પ્રકાર છે અર્થાત્ પદાર્થોનું ન સાંસતિ અને દેખાવું બે જાતનું છે. એક તે પદાર્થ તદ્દન ન હોવાથી ન દેખાય અનુપલબ્ધિનાં આઠ અને બીજું પદાર્થ વિદ્યમાન હોવા છતાં ન દેખાય. પદાર્થ સદરૂપ હોવા છતાં ન દેખાય તેનાં નીચે મુજબ આ કારણે છે-- (૧) કેઈ પણ પદાર્થ ઘણે દૂર હોય તે તે દેખાતું નથી. જેમકે કેઈ મુસાફર ચાલતે ચાલતે બહુ દૂર ચાલ્યા જાય છે તે જોવામાં ન આવે. આથી આપણુથી એમ કંઈ કહેવાય કે એની હૈયાતી જ નથી? એવી રીતે સમુદ્રને સામા કિનારે બહ ર હોવાથી ન દેખાય એટલે શું એ નથી એમ કહેવાય ? આ બે ઉદાહરણ દેશાતિદ્રુરતાનાં છે. કાલાતિદ્દરતાના ઉદાહરણ તરીકે આપણું થઈ ગયેલા પૂર્વજોની અનુપલબ્ધિને વિચાર કરી શકાય. એવી રીતે સ્વાભાવાતિરતાના દષ્ટાંત તરીકે આપણે પિશાચ વગેરેને જોઈ શકતા નથી એને નિર્દેશ થઈ શકે. ૧ સિદ્ધપણું અનાદિ કાળનું નથી, કેમકે વ્યકિત આશ્રીને તેની આદિ છે, જોકે તેને અંત નથી. ૨ જુઓ પૃ. ૬૮૫. ૩ આ રહ્યો ઉલ્લેખ – રિત સામાજૂિઘવારજનો નજાર્ અષાનાહfષકાત રખાના ૪ ! " Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy