________________
કરે ૦
અછવ-અધિકાર
[ દ્વિતીય
પં. બેચરદાસે ઉઠાવેલી શંકા પણ ત્યાં રજુ કરી છે. અત્રે એ શંકા સંબંધી ઊહાપોહ કરવામાં આવે છે. તેમાં સૌથી પ્રથમ તે પ્રસ્તુત ગ્રંથકાર (શ્રી મંગલવિજયનું નીચે મુજબનું કથન નેધી લઈએ –
આ સ્થળે ધર્માસ્તિકાય વગેરેના જે પર્યાય બતાવવામાં આવ્યા છે તેથી ધર્માસ્તિકયાદિના રૂઢિ–અર્થ ન સમજવા. પર્યાના મુખ્ય બે ભેદ છે. એક અર્થ પર્યાય અને બીજે વ્યંજનપર્યાય. અત્ર “ધર્માસ્તિકાય” શબ્દમાં રહેલે જે “ધમ” શબ્દ તેના વ્યુત્પત્તિ-અર્થને લઈને ધમ” શબ્યુના પ્રાણાતિતવિરતિ વગેરે અનેક પર્યાયો સમજવા. આમ કરવાથી કોઈ પણ જાતની ભ્રમિત જેને આપત્તિ માટે અવકાશ રહેશે નહિ.
કઈ કઈ ઠેકાણે ધર્માસ્તિકાયને બદલે ધર્મને પ્રયોગ પણ લેવામાં આવે છે. તે પદના એક દેશ ( ભાગ માં પદના ઉપચારને આભારી છે. જેમકે “ સત્યભામા ના બદલામાં “ સત્યા ના અથવા “ભામાં અને પ્રયોગ કરાય છે.
જે કેવળ વ્યુત્પત્તિ અર્થ જ માનવામાં આવે તે “ગો ” શબ્દને વ્યુત્પત્તિ-અર્થ ગમનકિયાવાળો થતું હોવાથી મનુષ્ય, તિયચ, નારક અને દેવ એ તમામને “ગ” શબ્દથી વ્યવહાર કરે પડશે, કારણ કે સર્વ ગમન-ક્રિયા કરે છે, અને બેઠેલી, સૂતેલી વગેરે અવસ્થાવાળી ગાયમાં પણ ગાયને વ્યવહાર નહિ થઈ શકે, માટે રૂઢિ-અર્થ, યૌગિક અર્થ વગેરે અર્થો પણ માનવા જોઈએ.
વિશેષમાં આ ઠેકાણે સૂત્રકારને આશય ધર્માસ્તિકાયાદિથી તેની વ્યુત્પત્તિનિમિત્તવાળા પર્યાને જેટલે સંચય થાય તેટલે બતાવવા પૂરતું જ છે; નહિ કે પ્રવૃત્તિનિમિત્તને લઈને
૧ ટુંકમાં યૌગિક અને રૂઢ એમ શબ્દો બે પ્રકારના છે. તેમાં કુંભાર, ધોબી વગેરે યૌગિક શબ્દો છે, જ્યારે ગાય, ઘોડે વગેરે રૂઢ શબ્દ છે. ઘડા વગેરે તૈયાર કરે તે “કુંભાર '; અને પૈસા લઈને કપડાં ધવે તે ધોબી'. અહીં ઘડા વગેરે તૈયાર કરવાની અને ધવાની ક્રિયા એ જ કુંભાર અને બેબી શબ્દની વ્યુત્પત્તિનું નિમિત્ત છે અર્થાત એ શબ્દ એવી ક્રિયાને લીધે જ સાધિત થયા છે અને તેથી જ એ ક્રિયા એવા શબ્દની વ્યુત્પત્તિનું નિમિત્ત કહેવાય. સંસ્કૃ શબ્દો લઇને વિચાર કરવો હોય તે કુંભકાર, રજક વગેરે શબ્દોમાં ઘટાદિ નિર્માણરૂપ, વસ્ત્ર પ્રક્ષાલનરૂપ ઇત્યાદિ ક્રિયાને વ્યુત્પત્તિ-નિમિત્ત સમજવું જોઈએ. કહેવાની મતલબ એ છે કે યૌગિક શબ્દમાં વ્યુત્પત્તિનું નિમિત્ત એ જ તેની પ્રવૃત્તિનું નિમિત્ત છે અથત યૌગિક શબ્દદે આશ્રીને વ્યુત્પતિ-નિમિત્ત અને પ્રવૃત્તિ-નિમિત્ત ભિન્ન ભિન્ન નથં રૂઢ શબ્દની વાત એથી ન્યારી છે. એવા શબ્દ વ્યુત્પત્તિ પ્રમાણે વ્યવહારમાં આવતા નથી, પરંતુ રૂઢિ પ્રમાણે તેનો અર્થ થાય છે. ગાય, ઘોડે વગેરે શબ્દની વ્યુત્પત્તિ ખાસ થતી નથી અને કદાચ કોઈ કરે તોપણ તેનો વ્યવહાર તો છેવટે વ્યુત્પત્તિ પ્રમાણે નહિ, પરંતુ રૂઢિ પ્રમાણે જ થતે જોવાય છે. અમુક અમક જાતની આકૃતિ, જાતિ એ જ ગાય, ઘોડો વગેરે રૂઢ શબ્દોના વ્યવહારનું નિમિત્ત છે, તેથી તે તે આકતિ કે જાતિ એવા શબ્દનું વ્યુત્પત્તિ-નિમિત્ત કહેવાય છે.
વિશેષમાં યૌગિક શબ્દ વિશેષણરૂપ હોય ત્યાં વ્યુત્પત્તિ-નિમિત્તવાળો અર્થ ભાવ-નિક્ષેપ જાણો અને રૂઢ શબ્દ જાતિનામરૂપ હોય ત્યાં પ્રવૃત્તિનિમિત્તવાળા અર્થ ભાવ-નિક્ષેપ સમજવો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org