SearchBrowseAboutContactDonate
Page Preview
Page 798
Loading...
Download File
Download File
Page Text
________________ ઉલાસ ] આહંત દર્શન દીપિકા. ૭૧૯ પ્રદેશને અવગાહીને રહેલા હોય તેની બીજી પણ એમ એકેક આકાશ-પ્રદેશની વૃદ્ધિ સંખ્યાત પ્રદેશને અવગાહીને રહેલા કંધેની સંખ્યા અને અસંખ્યાત પ્રદેશને અવગાહીને રહેલાની અસંખ્યાત વર્ગણ જાણવી. આની પછીની અસંખ્ય પ્રદેશની અવગાહનાવાળી વર્ગણાઓ કમ ગ્રહણને ચોગ્ય છે એમ જૈન દર્શન નિદેશે છે. ત્યાર પછી અલ્પ પરમાણુઓથી બનેલી સ્થૂલ પરિણામી અને બહુ આકાશ-પ્રદેશને અવગાહીને રહેલી એકેક આકાશ-પ્રદેશની વૃદ્ધિએ વધતી કર્મને અગ્રહણ યોગ્ય એવી અસંખ્ય વર્ગણાઓ છે. તદનંતર એ જ પ્રમાણે એકેક આકાશપ્રદેશના અવગાહની વૃદ્ધિ વધતી મનને અગ્રહણ યોગ્ય એવી ૫ણ અસંખ્ય વર્ગણુએ છે. પછી મનને યોગ્ય એવી વર્ગણાઓ પણ અસંખ્ય છે. વળી ત્યાર બાદ એટલી જ વગણ એને અગ્રહણ યોગ્ય છે. એ પ્રમાણે શ્વાસોચ્છવાસ, ભાષા, તેજસ, આહારક, ક્રિય અને હારિક વર્ગણાઓના અગ્રહણયોગ્ય, ગ્રહણગ્ય, અને અગ્રહણયોગ્ય એવા દરેકના ત્રણ ત્રણ ભેદ (દ્રવ્ય-વગણાથી વિપરીત પણે ) ક્ષેત્રથી જાણવા. કાલ–વર્ગણાનું સ્વરૂપ અમુક વિવક્ષિત પરિણામથી સામાન્યપણે જે પરમાણુ અથવા કંધે એક સમયની સ્થિતિવાળા હોય તે સર્વની એક વર્ગણ જાણવી. એ રીતે એકેકે સમયની વૃદ્ધિએ સંખ્યાત સમયની સ્થિતિવાળા પરમાણુ વગેરે મુદ્દગલ-દ્રવ્યોની સંખ્યાતી વર્ગણાઓ છે અને અસંખ્યાત સ્થિતિવાળાની અસંખ્યાત વર્ગણાઓ છે. એક સમયથી માંડીને તે અસંખ્યાત સમયની સ્થિતિ ઉપરાંત અધિક સ્થિતિ પુદ્ગલેની-કઈ પણ યુગલની છે જ નહિ ભાવ-વગણુઓનું સ્વરૂપ એકગુણ કૃષ્ણવર્ણવાળા જે પરમાણુ અને સ્કંધ હોય તે સર્વની એક વગણ, એ પ્રમાણે દ્વિગુણ કૃષ્ણ વર્ણવાળા પરમાણુ વગેરેની બીજી વર્ગણા, ત્રિગુણ કૃષ્ણ વર્ણવાળાની ત્રીજી, એ પ્રમાણે એકેક ગુણ વૃદ્ધિએ સંખ્યાત ગુણ કૃષ્ણ વર્ણવાળાની સંખ્યાત વર્ગણા, અસંખ્યાત ગુણ કૃષ્ણ વર્ણવાળાની અસંખ્યાત અને અનંત ગુણ કૃષ્ણ વર્ણવાળાની અનંત વર્ગણા છે. આ પ્રમાણે બાકીના ચાર વર્ષે આશ્રીને તેમજ બે પ્રકારની ગંધ, પાંચ પ્રકારના રસ અને આઠ જાતના સ્પર્શો, એમ સર્વ મળી વીસ ભેદો પર દરેક ભેદની ઉપર મુજબ વર્ગણાઓ ઘટાવવી. ગુરુલઘુ પર્યાયવાળી અને સ્થૂલ પરિણામથી યુક્ત વસ્તુઓની એક વર્ગણ અને અગુરુ લઘુ પર્યાયવાળી અને સૂક્ષમ પરિણામથી યુક્ત વસ્તુઓની બીજી વર્ગણ એમ બે જ વગણએ છે; કેમકે ગુરુલઘુ અને અગુરુલઘુ પર્યાયેના બાદર અને સૂક્ષમ એમ બે જ વર્ગો છે. આ પ્રમાણે ભાગ-વગણાદિથી સમગ્ર પુદગલાસ્તિકાયનું ગ્રહણ કરાય છે. ધમસ્તિકાયાદિના પર્યાય ૬૧૪ મા પૃષ્ઠમાં આપણે ધર્માસ્તિકાયાદિના પર્યાને ઉલેખ કરી ગયા છીએ તેમજ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy