SearchBrowseAboutContactDonate
Page Preview
Page 789
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૧૦ અજીવ-અધિકાર. [ દિતીય પરમાણુ વિવક્ષિત પરિણામથી રહિત થઈને ફરીથી તે પરિણામને પામશે નહિ તે પરમાણુ તે પરિણામની અપેક્ષાએ “ચરમ” કહેવાય છે, જ્યારે જે પરમાણુ ફરીથી તે પરિણામને પામશે તે અપેક્ષાએ એ “અચરમ ” કહેવાય છે. દ્રવ્યની અપેક્ષાએ તે પરમાણુ અચરમ જ છે, પરંતુ ચરમ નથી જ; કેમકે દ્રવ્યથી–પરમાણુ-પરિણામથી રહિત થયેલે પરમાણુ સંઘાત-પરિણામને પ્રાપ્ત કરી કાલાંતરે ફરીથી પરમાણુ-પરિણામને જરૂર જ પામશે. ક્ષેત્રની અપેક્ષાએ વિચારતાં એમ કહી શકાય કે જે ક્ષેત્રમાં કેવલજ્ઞાનીએ કેવલિ-સમુદ્દઘાત કર્યો છે અને ત્યાં જે પરમાણુ રહેલે છે તે સમુદ્રઘાતને પ્રાપ્ત થયેલા કેવલજ્ઞાનીના સંબંધરૂપ વિશિષ્ટતાવાળા પરમાણુ કઈ પણ સમયે તે ક્ષેત્રને આશ્રય નહિ કરે એટલે આ દષ્ટિએ તે ચરમ છે. વિશેષણ રહિત ક્ષેત્રની અપેક્ષાએ પરમાણુ ફરીથી તે ક્ષેત્રમાં અવગાઢ થશેવાસ્તે એ અપેક્ષાએ એ અચરમ છે. કાલની દષ્ટિએ વિચારીએ તે ક્ષેત્રની પેઠે પરમાણુ કથંચિત્ ચરમ અને કથંચિત અચરમ છે. જેમકે જે પૂર્વાહણાદિ કાલને વિષે જે કેવલજ્ઞાનીએ સમુદ્દઘાત કર્યો તે કાલને વિષે જે પરમાણુ રહે છે તે પરમાણુ તે કેવલિ-સમુઘાતથી વિશિષ્ટ તે કાલને કદાપિ પ્રાપ્ત નહિ કરે, કેમકે તે કેવલી મોક્ષે જવાથી ફરીથી સમુદ્રઘાત કરવાના નથી; વાસ્તે આ દષ્ટિએ પરમાણુ કાલથી ચરમ છે; બાકી વિશેષણ રહિત કાલની અપેક્ષાએ તે એ અચરમ છે. ભાવથી પરમાણુ કદાચિત ચરમ અને કદાચિત્ અચરમ છે. જેમકે કેવલિ-સમુદ્દઘાતના સમયે જે પરમાણુ જે વર્ણાદિ ભાવ-વિશેષને પ્રાપ્ત થયો હતે તે પરમાણુ તે વિવક્ષિત કેવલિ–સમુદ્દઘાત વિશિષ્ટ વર્ણાદિ પરિણામની અપેક્ષાએ ચરમ છે, કેમકે કેવલને મેક્ષ થવાથી તે પરમાણુ ફરીથી તે વિશિષ્ટ પરિણામ પામે તે સંભવ જ નથી. આ પ્રમાણેની હકીકત અત્ર ભગવતી(શ. ૧૪, ઉ. ૪, સૂ. ૫૧૨–૫૧૩)ની ચૂર્ણિના આધારે આપેલી છે. પુલાસ્તિકાયના પ્રદેશ પરત્વે આઠ પ્રશ્ન– પુદગલાસ્તિકાયને એક પ્રદેશ (પરમાણુ) શું દ્રવ્ય છે, દ્રવ્યદેશ છે, દ્રવ્ય છે, દ્રવ્યદેશ છે, દ્રવ્ય અને દ્રવ્યદેશ છે, દ્રવ્ય અને દ્રવ્યદેશ છે, દ્રવ્ય અને દ્રવ્યદેશ છે કે દ્રવ્યો અને દ્રવ્યદેશ છે ? અને ઉત્તર એ છે કે એ કથંચિત દ્રવ્ય છે અર્થાત જ્યારે અન્ય દ્રવ્યથી તે અસંબદ્ધ હોય ત્યારે તે દ્રવ્ય છે. જ્યારે તેને અન્ય દ્રવ્ય સાથે સંબંધ હોય ત્યારે તે દ્રવ્યદેશ છે. બાકીના વિકલ્પોને એને વિષે અભાવ છે, કેમકે પરમાણુ એક હોવાથી એને આશ્રીને બહુત્વ તેમજ દ્વિક-સંગ માટે અવકાશ નથી. પુદગલાસ્તિકાયના બે પ્રદેશોના સંબંધમાં આ આઠ વિકલ્પ પિકી પહેલા પાંચ જ ઘટે છે. જેમકે જ્યારે એ બે પરમાણુઓ દ્વિપ્રદેશિક સ્કંધરૂપે પરિણમેલ હોય ત્યારે તે દ્રવ્ય છે. જ્યારે દ્વષણુક કંધપણુને પામેલા જ તે બે પરમાણુઓ દ્રવ્યાન્તર સાથે સંબંધ ધરાવે છે ત્યારે તે દ્રવ્ય-દેશ છે. જ્યારે તે બંને પરમાણુઓ જુદા જુદા હોય ત્યારે ત્રીજો વિકલ્પ ઘટે છે. વળી જ્યારે કયણુક સ્કંધપણાને પામ્યા વિના પ્રવ્યાન્તર સાથે તેઓ સંબંધ ધરાવે છે ત્યારે એ વિકલ્પ ૧ ગુણ અને પર્યાયથી યુક્ત તે દ્રવ્ય. જુઓ ભગવતી (શ. ૮, ઉ. ૧૦, સૂ. ૩૫૭)ની વૃત્તિ. ૨ દ્રવ્યના અવયવ. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy