________________
ઉલ્લાસ ] આહંત દાન દીપિકા
૭૦૫ આશ્રયરૂપ આપત્તિ ખી થશે. જેમકે તે બે અયુત સિદ્ધ વચ્ચે સમવાયરૂપ સંબંધ છે અને એ સંબંધને લઇને અયુત સિદ્ધિ છે. - આ તંતુઓમાં પટ છે એવી અબાધિત જે પ્રતીતિ છે જેમાં નિમિત્ત છે એવા સંબંધથી જ્યારે સમવાયની પ્રતીતિ મનાય છે તો પછી તે સમવાય કેમ ન માન? વળી કુંડામાં દહીંની જેમ એવા ઉદાહરણ પૂર્વક અનુમાન પ્રમાણ પણ સમવાયને સિદ્ધ કરે છે. આ પ્રમાણેનું કથન અસંગત છે, કેમકે અત્ર સંબંધથી શું સંગ માને છે કે સમવાય? તેમાં સંગ તે અવયવ -અવયવિભાવમાં કઈને પણ અભીષ્ટ નથી જ, કેમકે એ તે દ્રવ્ય દ્રવ્યમાં ઘટી શકે. હવે રહ્યો સમવાય. તેમાં તે દષ્ટાન્તને જ અભાવ હોવાથી વ્યાપ્તિ કેવી રીતે બની શકે ? અને વ્યાપ્તિ વિના અનુમાન ક્યાંથી સંભવે? અને એના અભાવમાં પ્રમાણ શૂન્ય સમવાયને કયો સમીક્ષક સ્વીકારે ?
જેમ એકાન્ત- અભેદ ઘટી શકતો નથી તેમ એકાત-ભેદ પણ ઘટી શકતો નથી એ વાતને હવે ઉલ્લેખ કરીશું. અવયવ અને અવયવીને સર્વથા ભિન્ન માનવામાં વર્તમાન અવયવી, પુષ્પની માલામાં દેરાની જેમ એક ભાગ વડે રહે છે કે વાસણમાં રાખેલ આમ્રફલની માફક તે સમસ્તપણે રહે છે? આ પ્રમાણે બે અને ઉપસ્થિત થાય છે. તેમાં પ્રથમ પક્ષ તે માની શકાય તેમ છે જ નહિ, કેમકે અવયવ સિવાય અન્ય કઈ પણ એક દેશ છે જ નહિ. વળી અવયવમાં એક ભાગથી વતવામાં બીજા બાકી રહેલા વિભાગે કયા અવયવોમાં રહે છે તેને ઉત્તર આપી શકાશે નહિ, વાતે આ પક્ષ ગ્રાહ્ય નથી. સર્વરૂપ વડે એક જ અવયવમાં અવયવી રહે છે. એ પક્ષ પણ માન્ય થઈ શકે તેમ નથી, કેમકે એમ માનવામાં તે બીજા અવયવો તો અવયવીના અવકાશ વિનાના રહેવાના. વાતે આવી વિચિત્ર માન્યતા કેણ સ્વીકારે ? એક દેશ અને સર્વરૂપ એ બે સિવાય અન્ય કઈ પ્રકાર નથી તે પછી અવયવોમાં અવયવીના રહેવા વિષે વાત જ શી કરવી?
કદાચ કહેશો કે પૂર્વ, પશ્ચિમ વગેરે દિશાઓના સંબંધ દ્વારા બીજા પરમાણુઓ સાથે સંબંધ ધરાવતા એક પરમાણુની એક ભાગ યા સર્વરૂપ સિવાય પણ જેમ વૃત્તિ માનવામાં આવે છે તેમ અવચમાં અવયવની વૃત્તિ પણ માની શકાય, તે એ કથન પણ યુક્તિ-વિકલ છે; કેમકે નિરવયવ પુદગલરૂપ પરમાણુને બીજામાં વૃત્તિ હોવાને જ અસંભવ છે. આવી પરિસ્થિતિમાં પરમાણુનું ઉદાહરણ રજુ કરી ઈષ્ટ સિદ્ધિને માટે પ્રયાસ કરે તે બહેરા આગળ ગીત ગાવા બરાબર, આંધળાને દર્પણ દેખાડવા સમાન કે અરણ્યમાં રુદન તુલ્ય નિરર્થક છે. આ હકીકત યુક્તિ દ્વારા પુષ્ટ કરવામાં આવે છે. જેમકે અવયથી યુક્ત કુંડા અને બારના કે તંતુઓ અને પટના આધાર-આધેય ભાવના વ્યવસ્થાપક સંગ કે સમવાયને આપ વૃત્તિ કહે છે, પરંતુ સમવાય જે કઈ પદાર્થ જ નથી અને સંયોગ માને તે ઉચિત નથી, કેમકે પરમાણુના બીજા પરમાણુની સાથે નીચેના અને ઉપરના સંબંધને લઈને સંગમાં આધારપણું બનવું કઠિન છે. એનું કારણ એ છે કે ભારે હોવાથી નીચે પડતાં બેરોનું કુંડું આધાર છે એમ કહી શકાય અને એ બે આધેય છે એમ કહી શકાય, પરંતુ નીચે રહેલે અગુરુલઘુ ગુણવાળો પરમાણુ ઉપર રહેલા અગુરુલઘુ ગુણવાળા પરમાણુને ‘કુંડબરી ન્યાયથી સ્થિતિ આપી શકતું નથી. તે
89
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org