________________
૭૦૨ અજીવ-અધિકાર.
[ દ્વિતીય પરમાણુની સ્પર્શના સંબધે સાતેની શંકા–
આપણે ૧૫૯મા પૃષ્ઠમાં જોઈ ગયા તેમ પરમાણુની અવગાહના એક આકાશ-પ્રદેશની છે, જ્યારે તેની સ્પર્શના સાત પ્રદેશોની છે; કેમકે છ દિશામાં રહેલા છ પ્રદેશને તેમજ જે આકાશપ્રદેશને એ પરમાણુ રોકીને રહે છે તે એમ એ સાત પ્રદેશને સ્પર્શે છે. આ સંબંધમાં સીંગતેનું કહેવું એ છે કે જે પરમાણુને વિષે છ દિશાની સ્પર્શના સ્વીકારવામાં આવે તે તેની એકતા નષ્ટ થાય છે, કેમકે અત્ર એ બે પ્રશ્નો સંભવે છે કે શું જે સ્વરૂપ પૂર્વક પરમાણુ પૂર્વ વગેરે કઈ દિશા સાથે સંબદ્ધ છે તે જ સ્વરૂપ પૂર્વક શું તે પશ્ચિમ વગેરે અન્ય કઈ દિશા સાથે સંબદ્ધ છે કે અન્ય સ્વરૂપ પૂર્વક જે આ બંને દિશાઓની સ્પર્શના એક જ સ્વરૂપ પૂર્વક સ્વીકારીએ તે આ પૂર્વ દિશા સાથે સંબંધ છે, આ પશ્ચિમ દિશા સાથેનો સંબંધ છે એવા વિભાગ ઘટી શકશે નહિ, કેમકે સર્વત્ર સ્વરૂપની એકતા છે. આ પ્રમાણે વિભાગોને અભાવ થતાં છ દિશાની સાથેના સંબંધની વાત હવામાં ઉછ જશે.
બીજો વિકલ્પ સ્વીકારવાથી અર્થાત જે સ્વરૂપથી પરમાણુને પૂર્વ દિશા સાથે સંબંધ છે તે સ્વરૂપથી નહિ પરંતુ અન્ય સ્વરૂપ પૂર્વક એને પશ્ચિમ વગેરે વિશા સાથે સંબંધ છે એમ માનવાથી પરમાણુ છ સ્વરૂપવાળો ગણાશે અને તેમ થતાં એકતાના ચૂરેચૂરા થઈ જશે, કેમકે કહ્યું પણ છે કે –
હિમામેવ જ્ઞાતિ, જાવં .” આ સૌગત વાતનું પ્રતિવિધાન એ છે કે અત્ર પરમાણુ-દ્રવ્ય આદિ, મધ્ય, અન્ય ઈત્યાદિ વિભાગોથી રહિત, નિરંશ અને એક સ્વરૂપ માનવામાં આવ્યું છે, એથી સાંશ વસ્તુઓને લાગુ પડનારા પૂર્વોક્ત બે વિકલ્પ માટે અત્ર અવકાશ નથી. વિશેષમાં કદાપિ વિજ્ઞાન-સન્તાનને વિષે વિવક્ષિત કે વિજ્ઞાનરૂપ ક્ષણ પિતાના જનકરૂપ પૂર્વ ક્ષણનું કાર્ય છે અને સ્વજન્ય ઉત્તર ક્ષણનું કારણ છે એવી જે સીગતેની માન્યતા છે તે સંબંધમાં એ પ્રશ્ન ઉઠાવી શકાય તેમ છે કે જે સ્વરૂપથી એ પૂર્વ ક્ષણનું કાર્ય છે તે જ સ્વરૂપથી એ ઉત્તર ક્ષણનું કારણ છે કે અન્ય કવરૂપથી પ્રથમ પક્ષ સ્વીકારતાં તે જેમ પૂર્વ ક્ષણની અપેક્ષાએ કાય છે તેમ ઉત્તર ક્ષણની અપેક્ષાએ પણ એ કાર્ય જ મનાશે. અથવા તે જેમ ઉત્તર ક્ષણની અપેક્ષાએ એ કારણું છે તેમ પૂર્વ ક્ષણની અપેક્ષાએ પણ એ કારણ ગણશે, કેમકે એનું સ્વરૂપ અભિન્ન છે-એક જ છે. બીજો પક્ષ સ્વીકારવા જતાં એની સાંસતા માનવાને દુર્ધર પ્રસંગે ઉપસ્થિત થશે. આના બચાવમાં સૌગત એમ કહે કે નિરંશ એ વિજ્ઞાનરૂપ ક્ષણ અકાર્યરૂપ તેમજ અકારણરૂપ છે અને જે જેવો એને
વ્યાપાર છે તે તે એને વ્યપદેશ કરાય છે, કિન્તુ તેના સ્વરૂપમાં અનેકતા નથી તે આ ઉત્તર પરમાણુ આશ્રીને પણ આપી શકાય તેમ છે. જેમકે પરમાણુ દ્રવ્યરૂપે નિરંશ જ છે અને તે
૧ જુઓ અનુગદ્વારની શ્રીમલધારીય શ્રીહરિચરિત વૃત્તિનાં ૬૨ મા અને ૬૩ મા પ. ૨ વિભાગોથી યુક્ત.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org