________________
શૈલાસ ]
આહંત દર્શન દીપિકા. ત્યારે જ પુદગલનું ક્ષેત્રાવસ્થાન નિયત હોય છે, અન્યથા એનું ક્ષેત્રાવસ્થાન સંભવતું નથી. આ પ્રમાણે જ્યારે પાગલોનું ક્ષેત્રાવસ્થાન અવગાહના અને નિષ્ક્રિયતાને અધીન છે ત્યારે અવગાહના માટે એથી વિપરીત હકીકત છે અર્થાત્ અવગાહના ક્ષેત્રમાત્રમાં નિયત નથી-અવગાહના-કાલ શ્રેઢાવસ્થાનકાલ માત્રથી સંબદ્ધ નથી, કારણ કે ક્ષેત્રદ્ધાના અભાવમાં પણ અવગાહના હોય છે. આથી કરીને ક્ષેત્રાદ્ધા કરતાં અવગાહનાદ્ધા અસંખ્ય ગુણ છે.
સંકેચથી અથવા વિકેચથી (વિકાસથી) અર્થાત સંકડાઈ જવાથી કે ફેલાઈ જવાથી અવગાહના ઉપરત થાય છે–તે નિવૃત્ત થાય છે, પરંતુ જેટલા પુદગલે પહેલાં હતા એટલા બધા જ પુગલનું લાંબા વખત સુધી અવસ્થાન સંભવે છે એટલે કે અવગાહનાની ભલે નિવૃત્તિ થાય, પરંતુ એથી કંઈ દ્રવ્યની નિવૃત્તિ થતી નથી, પરંતુ જ્યારે દ્રવ્યની અમુક પ્રકારની નિવૃત્તિ થાય છે ત્યારે અવગાહનાની નિવૃત્તિ અવશ્ય થાય છે. વિશેષમાં પુદ્ગલેના સંઘાત વડે કે તેના ભેદ વડે તે પુદ્ગલેને જે સ્કંધ પહેલાના જેવી અવગાહનાવાળો નહિ, પરંતુ સંક્ષિપ્ત-સ્તક-અલ્પ અવગાહનાવાળે થાય છે તે સ્કધમાં તેમ થયા બાદ દ્રવ્ય-અન્યથા ઉપસ્થિત થાય છે એટલે કે પૂર્વે જે સ્થિતિમાં તે દ્રવ્ય હતું તે સ્થિતિએ તે સ્કંધમાં દ્રવ્યનું રહેવું થતું નથી અને તેમ - થવાથી તે દ્રવ્યોની અવગાહનાને ચેકસ નાશ થાય છે. કદાચ કઈ એમ કહે કે સંઘાતથી તો પગને સ્કંધ સંક્ષિપ્ત થતું નથી તે તેમ નથી, પણ સંઘાત થયા બાદ પુદ્ગલોને સૂક્ષમતર પરિણામ થાય છે. સંઘાતથી પુદગલને સ્કંધ ટુંક થતાં અવગાહનાને નાશ થાય છે, કેમકે સંકેચ અને વિકેચ સિવાયની સ્થિતિમાં અવગાહનાદ્ધ દ્રવ્યમાં સંબદ્ધ છે એટલે જ્યારે દ્રવ્ય સંકેચથી અને વિકેચથી મુક્ત હોય ત્યારે તેમાં અવગાહના સંબદ્ધ છે, પરંતુ જ્યારે સંકેચ અને વિકેચ હોય ત્યારે દ્રવ્યમાં અવગાહના સંબદ્ધ હેતી નથી. અર્થાત વૃક્ષત્વમાં ખદિરત્વ રહે છે તેમ સંકોચ અને વિકાચના અભાવમાં દ્રવ્યમાં અવગાહના રહે છે, પરંતુ તેની વિદ્યમાન દશામાં દ્રવ્યમાં અવગાહના રહેતી નથી. આ પ્રમાણે દ્રવ્ય અને અવગાહનાની સહચરિતા અનિયત છે, પરંતુ દ્રવ્ય સંકેચ અને વિકેચ માત્રમાં સંબદ્ધ નથી એટલે સંકેચ કે વિકેચ હોય કે ન હોય તે પણ દ્રવ્ય તે કાયમ જ રહે છે. આ પ્રમાણે દ્રવ્યમાં અનિયતપણે અવગાહના સંબદ્ધ છે. દ્રવ્યના સંબંધમાં એથી ઉલટું છે. અર્થાત જેમ ખદિરપણુમાં વૃક્ષપણું સંબદ્ધ છે તેમ સંકોચ અને વિકેચ દ્વારા અવગાહનાને નાશ થયા બાદ પણ દ્રવ્યની નિવૃત્તિ થતી નથી. આથી જ દ્રવ્યસ્થાનાયુ અવગાહનાસ્થાનાયુ કરતાં અધિક છે.
દ્રભાદ્ધા સદા સંઘાત-બંધની અને ભેદ-બંધની પાછળ ચાલનારી છે અને ગુણદ્ધા કંઈ સંધાતાદ્ધા અને ભેહાદ્ધા માત્રમાં સંબદ્ધ નથી. અર્થાત્ સંઘાત અને ભેદરૂપ બે ધર્મો દ્વારા થતા સંબંધને દ્રવ્યોદ્ધા અનુસરે છે, કેમકે એ દ્રવ્યોદ્ધા સંઘાતાદિ ન હોય ત્યારે જ હોય છે અને સંઘાતાદિ હોય ત્યારે તે હેતી નથી. ગુણદ્ધિા માત્ર સંઘાત અને ભેદના કાળમાં સંબદ્ધ નથી, કારણ કે સંઘાતાદિ વિદ્યમાન હોય તે પણ ગુણનું અનુવર્તન થાય છે.
કહેવાનું તાત્પર્ય એ છે કે જેમ સાફ કરેલા પટમાં શ્વેતાદિ ગુણે છે. તેમ સંઘાતાદિ દ્વારા દ્રવ્યને ઉપરમ થાય તે પણ પર્યાયની સત્તા રહે-ગુણનું અવસ્થાન રહે અને જે સર્વ ગુણોને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org