SearchBrowseAboutContactDonate
Page Preview
Page 777
Loading...
Download File
Download File
Page Text
________________ અજીવ—અધિકાર. દ્વિતીય વામાં તેને ઓછામાં ઓછા એક સમય લાગે અને વધારેમાં વધારે અસંખ્ય કાળ જોઇએ. અશતું— પરિણત પુદ્ગલને પેાતાના અશબ્દ-પરિણતત્વરૂપ સ્વભાવ સૂકી પાછે તે જ સ્વભાવ પ્રાપ્ત કરતાં જધન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી આવલિકાના અસ ંખ્યેય ભાગ જેટલા કાળ લાગે. દ્રવ્યસ્થાનાયુ વગેરે— . દ્રષ્ય એટલે પુદ્ગલ–દ્રવ્ય, સ્થાન એટલે એના પરમાણુ, દ્વિપ્રદેશિક વગેરે રૂપે ભેદ, આયુર્ એટલે સ્થિતિ. પુદ્ગલ-દ્રવ્યના પરમાણુ વગેરે ભેદની સ્થિતિ તે ‘ દ્રવ્ય-સ્થાનાયુ ’ છે; અથવા દ્રવ્યનું અણુત્વાદિ ભાવે જે અવસ્થાન તે ‘ દ્રવ્ય-સ્થાનાયુ ' છે. પુદ્દગલેના અવગાહનાથી થયેલા ક્ષેત્રના એટલે આકાશના ભેદની સ્થિતિ અથવા એક પ્રદેશાદિ ક્ષેત્રમાં પુદ્દગલાનું જે અવસ્થાન તે ‘ ક્ષેત્ર—સ્થાનાયુ ’ છે. એ પ્રમાણે અવગાહના-સ્થાનાયુ અને ભાવ-સ્થાનાયુ ઘટાવી લેવા. અવગાહના અને ક્ષેત્રમાં તફાવત— અત્ર જે ક્ષેત્ર-સ્થાનાયુ અને અવગાહના-સ્થાનાયુ એમ બે ભેદો દર્શાવ્યા છે. તેનુ કારણુ એ છે કે અવગાહના અને ક્ષેત્રમાં તફાવત છે, અમુક માપવાળા સ્થાનમાં પુદ્ગલેનું જે અવગાહીપણુ –રહેવાપણું-વ્યાપવાપણું તે ‘ અવગાહના ’ કહેવાય છે. પુદ્દગલાથી જે વ્યાપ્ત ઢાય તે ૮ ક્ષેત્ર ’ કહેવાય છે. વિવક્ષિત ક્ષેત્રથી અન્ય કોઇ ક્ષેત્રમાં પણ પુદ્ગલેાનુ તે ક્ષેત્રના માપ પ્રમાણે રહેવુ તે ‘ અવગાહના ’ કહેવાય અર્થાત પુદ્ગલાના પેાતાના આધાર સ્થળ સમાન જે એક પ્રકારના આકાર છે તે અવગાહના છે અને પુદ્ગલા જેમાં રહે તે ‘ ક્ષેત્ર ’ છે, દ્રવ્યસ્થાનાણુ વગેરેનું અપહૃત્વ— ક્ષેત્રસ્થાનાયુ સ॰થી અલ્પ છે. એનાથી અવગાહનાસ્થાનાયુ, દ્રવ્યસ્થાનાયુ અને ભાવસ્થાનાચુ ઉત્તરાત્તર અસખ્ય ગુણ છે. આનુ કારણ નીચે મુજબ છેઃ—— ક્ષેત્ર અમૂત છે અને એથી જ એમાં પુદ્ગલેાના વિશિષ્ટ બંધના કારણરૂપ ચીકાશ વગેરે નથી. આથી કરીને પુદ્ગલેા એક જ ક્ષેત્રમાં લાંખા વખત સુધી રહેતા નથી. આ કારણથી ક્ષેત્ર-સ્થાનાયુ સ`થી ચાડુ' છે. એક ક્ષેત્રથી અન્ય ક્ષેત્રમાં ગયેલા પુદ્ગલનું પણ તેનું તે જ માન ચિર કાલ પર્યંત રહે છે અને વળી જો અવગાહનાના નાશ થાય તેા ક્ષેત્રની ભિન્નતા સ્પષ્ટ છે. પુદ્ગલોના ક્ષેત્રાવસ્થાન-કાલ અર્થાત્ અમુક ક્ષેત્રમાં નિયત રીતે રહેવાના કાળ અવગાહના અને નિષ્ક્રિયતાથી અવખદ્ધ છે. અન્ય શખ્ખામાં કહીએ તે પુદ્ગલની જ્યારે કાઇ પણ અમુક જાતની અવગાહના હાય અને વળી તે પુદ્ગલ પેતે નિષ્ક્રિય હાય અર્થાત્ હલન-ચલનથી રહિત હાય આવ્યા છે. ૧ પુદ્ગલેાના શ્યામતા વગેરે જે ધર્મો છે તે અત્ર ‘ ભાવ ' શબ્દથી દર્શાવવામાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy