________________
ઉદલાસ ] આત દર્શન દીપિકા
૧૮૯ જ ને અર્થ ગળવું–ખરી પડવું-જુદા પડવું એ થાય છે. આથી તે તત્વાર્થની બૃહદવૃત્તિ (પૃ. ૩૧૬)માં સૂચવાયું છે કે
“ पूरणाद् गलनाच पुद्गलाः संहन्यमानत्वाद् विसंहतिमत्त्वाच " આથી પૂરણ અને ગલન સ્વભાવવાળાં બે ‘પાગલ’ કહેવાય છે એમ ફલિત થાય છે.
પરમાણુમાં પૂરણ અને ગલન ક્રિયાને અભાવ છે, કેમકે તે અવયવથી રહિત છે એટલે એને “પુદગલ” કેમ કહેવાય એ કઈ પ્રશ્ન ઉઠાવે તે એ પર તત્વાર્થરાજ (પૃ. ૧૯૦)માં એ ઉત્તર આપવામાં આવ્યો છે કે ગુણની અપેક્ષાએ અર્થાત્ રૂપ, રસ, ગંધ અને સ્પર્શરૂપ ગુણેની માત્રામાં વધઘટ થતી હોવાથી પૂરણ અને ગલનરૂપ ક્રિયા પરમાણુમાં બરાબર ઘટી શકે છે, એથી પરમાણુને પાગલ કહેવામાં કશો વાંધે નથી. આ ઉપરાંત ત્યાં એમ ઉમેરાયું છે કે પરમાણમાં ઉદ્દગલની સંજ્ઞાને વ્યવહાર ઔપચારિક છે.'
પાગલ શબ્દની વ્યુત્પત્તિ બીજી રીતે પણ સંભવે છે. એ દર્શાવતાં બૃહદવૃત્તિ (પૃ.૩૧૬)માં નીચે મુજબને ઉલલેખ કરાય છે
"पुरुष वा गिलन्ति पुरुषेण वा गीर्यन्ते इति पुद्गलाः, मिथ्यादर्शनादिहेतुवर्तिनं पुमांसं बध्नन्ति वेष्टयन्तीति गिरणार्थः, इतरत्रादानार्थो गिरतिः, पुरुषेणादीयन्ते कषाययोगभाजा कर्मतयेति पुद्गलाः" અર્થાત્ જે પુરુષને ગળે છે અથવા જે પુરુષથી ગળાય છે તે “પુદગલ' છે. મિથ્યાદશન વગેરે હેતુઓથી યુક્ત જીવને બાંધવા-વીંટવા એ “ગિરણ શબ્દનો અર્થ છે. અન્ય સ્થળમાં એને ગ્રહણ એ અર્થ કરવામાં આવ્યું છે. ત્યાં કષાયરૂપ યોગથી યુક્ત પુરુષ દ્વારા કમરૂપે જે ગ્રહણ કરાય છે તે “પુદગલ' છે એમ સમજવું. આ સંબંધમાં તત્ત્વાર્થરાજ (પૃ. ૧૯૦)માં નીચે મુજબ ઉલ્લેખ છે
'पुमांसो-जीवाः तैः शरीराहारविषयकरणापकरणादिभावेन गिल्यन्त દતિ પુછા.” પચલિંગીની બૂડાવત્તિના ૯૩મા પત્રમાં પુદગલની વ્યુત્પત્તિ નીચે મુજબ સૂચવાઈ છે:
" पूर्यन्ते-अपरापरपरमाण्वादिसङ्घटनेन स्थौल्यपरिणाममापाद्यन्ते तद्विघटनेन च गलन्ति-हसन्तीति निरुक्तविधिना पुद्गलाः"
૧ “કપાત જપ પૂજન માષિકાત મૂકવા રૂપે 11 परमाणुषु पुद्गलत्वोपचारः । "
૨ આ વ્યુત્પત્તિ પરમાણુને લાગુ કેમ પાડવી તે માટે ગુણની અપેક્ષા કે ઉપચારને આશ્રય
લે..
87
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org