SearchBrowseAboutContactDonate
Page Preview
Page 766
Loading...
Download File
Download File
Page Text
________________ ઉલ્લાસ ] આત દર્શન દીપિકા. ૬૮૭ વ્યકિતમાં તે સમયમાં ગતિના પરિણામને અભાવ હતો, પરંતુ એ વ્યક્તિમાં ગતિ-પરિણામ ઉદ્દભવતાં ધમતિકાયમાં એ વ્યક્તિ પરત્વેનું ઉપગ્રાહકત્વ ઉત્પન્ન થયું એટલે એ પરિણામ આદિમાન કર્યો, વળી ગતિ–પરિણામથી પરિણત થયેલી વ્યકિતના ગતિ પરિણામને અંત આવતાં ઉપગ્રાહકત્વને પણ અંત આવી જાય છે. આ પ્રમાણે આ પરિણામના ઉત્પાદ અને વિનાશ થતા હોવાથી એ આદિમાન છે. એવી રીતે અધર્મારિતકાય સ્થિતિરૂપ પરિણામને પામેલાને સ્થિતિ કરવામાં ઉપગ્રહરૂપે પરિણમે છે, એથી એને પણ આ પરિણામ આદિમાન છે. આકાશ અવગાહનાશીલને અવગાહના આપવારૂપ પરિણામને પ્રાપ્ત કરે છે એટલે એને આ પરિણામ આદિમાન છે. કાલ વૃત્ત (ભૂત), વર્તમાન ઇત્યાદિ પરિણામથી આદિમાનું છે. બે પરમાણુઓ વિસસા દ્વારા દ્વથાણુક રકંધને પ્રારંભ કરે છે ત્યારે દ્વયણુક સ્કંધરૂપ પરિણામ આદિમાનું છે. આ પ્રમાણે પ્રાયોગિક તેમજ વૈસિક પરિણામે વિષે ઘટવી લેવું. આથી બૃહદ્ વૃત્તિકાર ૪૩૯ મા પૃષ્ઠમાં સૂચવે છે તેમ જેઓ રૂપી પદાર્થોમાં જ આદિમાન પરિણામ હોય છે એમ માને છે અને અમૃત એવા ધર્માદિમાં હોતું નથી એવો આગ્રહ રાખે છે તેઓ ભીંત ભૂલે છે, કેમકે આવા કદાગ્રહીઓના પક્ષમાં અરૂપી દ્રવ્યના પર્યાયના આશ્રયના વ્યવહારના લેપને લઈને ઉત્પાદાદિ લક્ષણને અગ હેવાથી પરિણામને અભાવ છે. અને અપરિણામિતાને લીધે ધર્માદિના સ્વભાવને નિર્ધાર થઈ શકશે નહિ, કેમકે તેઓ જાતે ઉત્પાદ અને વ્યયરૂપ પરિણામથી રહિત છે. - આ વિવેચન ઉપરથી એ વાત સુજ્ઞ પાઠકને જરૂર નિઃસંદિગ્ધપણે સમજાઈ હશે કે દરેક દ્રવ્યમાં ઉભય પરિણામે રહેલા છે. આમ છતાં સૂત્રકાર આવાં સંદિગ્ધ સૂત્રો રચે અને ભાગ્ય દ્વારા તે સંદિગ્ધતાને નિરસન કરવાનો પ્રયાસ પણ ન કરે તેમજ દિગંબરીય વૃત્તિઓમાં આ ત્રણ સૂત્રને સૂત્રરૂપે સ્થાન જ ન અપાય પરંતુ એની પૂર્વેનાં સૂત્રમાં અત્ર સૂચવેલું ઉપર મુજબનું વિવેચન રજુ કરાય એ હકીકત શું અર્થસૂચક નથી કે ? સૂક્ષ્મદર્શી, સંગ્રાહક અને વિદ્યાવારિધિ શ્રીઉમાસ્વાતિ પરિણામને આશ્રય-વિભાગ દર્શાવવામાં ત્રુટિ આવવા દે એ વાત જ મનાય તેવી નથી. એથી એવી કલ્પના કરાય છે કે અનાદિ અને આદિમાનથી શ્રીઉમાસ્વાતિને આજે સર્વત્ર પ્રસિદ્ધ એવા આ શબ્દોના અર્થો જ વિવક્ષિત નહિ હોય. બનવા જોગ છે કે એમણે જે અર્થો અપેક્ષિત છે તે બૃહદુવૃત્તિકારના સમય પૂર્વે જ ભૂલાઈ ગયા હોય. પ્રત્યેક શબ્દને એકને એક અર્થ સદા રહેતો નથી. દાખલા તરીકે પાખંડના અર્થમાં પૂર્વ કાલમાં અધમતાની ગંધ પણ ન હતી, જ્યારે અત્યારે એ શબ્દ ઢોંગી, દંભી સંન્યાસીને માટે જાય છે. આવી પરિસ્થિતિમાં અનાદિ અને આદિમાનના આગમ-પ્રમાણુ-ગ્રાહા એવા અને પ્રત્યક્ષ-ગ્રાહ્ય એવા અર્થો વિવક્ષિત હશે એમ તત્વાર્થસૂત્રના વિવેચક સૂચવે છે. તેમનું કહેવું એમ છે કે “ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશસ્તિકાય અને જીવાસ્તિકાય એ અરૂપી દ્રવ્યોને પિતાને પરિણામ અનાદિ એટલે આગમપ્રમાણુ-ગ્રાહ્ય છે અને પુગલને પરિણામ આદિમાન અર્થાત્ પ્રત્યક્ષગ્રાહ્ય છે. તથા અરૂપી ૧ થીસિદ્ધસેનગણિ. ૨ જુઓ અનુગદ્વાર ( સ. ૮૫ ). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy