________________
અજીવ-અધિકાર.
[ દ્વિતીય આ પ્રમાણે આપણે પરિણામનું પ્રકરણ પૂર્ણ કરીએ તે પૂર્વે તત્ત્વાર્થ ( અ. ૫. સૂ. ૪૨-૪૪)ના ભાવને અનુસરીને આ ગ્રંથકારે કરેલા નિમ્નલિખિત
स च परिमाणो द्वधा, अनादिसादिभेदात् । तत्र रूपिषु आदिमान्; धर्मादि द्रव्येषु अनादिमान् । –ઉલ્લેખને સૂકમ દષ્ટિએ વિચાર કરવો આવશ્યક સમજાય છે. જેના કાળની પૂર્વ કોટિને અભાવ છે અને એથી કરીને તે સર્વજ્ઞ પણ જેની અમુક સમયથી શરૂઆત થઈ છે એમ ન કહી શકે તે “અનાદિ કહેવાય છે. જેના કાળની પૂર્વ કેટિ છે અર્થાત્ જેને શરૂ થયાને આજે અમુક વખત થયો એમ કહી શકાય તે “સાઢિ યાને “આદિમાન” છે. આ પ્રમાણેના અનાદિ અને આદિમાનના અર્થો અત્યારે પણ સુપ્રસિદ્ધ છે. જે આ જ અર્થે પ્રસ્તુતમાં વિવક્ષિત હોય તો તત્ત્વાર્થનું કથન સુસંગત થતું નથી, કેમકે હર કઈ પદાર્થ રૂપી કે અરૂપી–વસ્તુતઃ બધાં દ્રવ્યમાં અનાદિ અને આદિમાનું એવા બને જાતના પરિણામે રહેલા છે. પ્રવાહની અપેક્ષાએ અનાદિ અને વ્યક્તિની અપેક્ષાએ આદિમાન પરિણામ પ્રત્યેક પદાર્થમાં બરાબર ઘટાવી શકાય છે. પ્રત્યેક દ્રવ્યમાં દ્વિવિધ પરિણમેને સંભવ
પ્રત્યેક દ્રવ્યમાં કેટલાક પરિણામે અનાદિ અને કેટલાક આદિમાન છે એ વાતનું તત્વાર્થની બૃહદ વૃત્તિ (પૃ. ૪૩૮-૪૩૯) સમર્થન કરે છે. જેમકે ધર્માસ્તિકાયની અસંખ્યયપ્રદેશવત્તા, કાકાશવ્યાપિતા, અમૂર્તતા, ગતિ કરનારની ગતિના અપેક્ષાકારણરૂપે અગુરુલઘુતા ઈત્યાદિ એના અનાદિ પરિણમે છે.
અધમસ્તિકામાં પણ આ બધા પરિણામો છે પરંતુ એની અગુરુલઘુતા સ્થિતિશીલની - સ્થિતિના અપેક્ષા કારણરૂપે છે. જીવમાં પણ આ પરિણમે છે, પરંતુ તે અપેક્ષા કારણથી રહિત જાણવા. વળી એ ઉપરાંત જીવત્વ, ભવ્યત્વ, અભવ્યત્વ ઇત્યાદિ પણ અનાદિ પરિણમે છે. અનંતપ્રદેશતા, અમૂર્તતા, અગુરુલઘુતા, અવગાહનશીલને અવગાહન આપવું ઇત્યાદિ આકાશના અનાદિ પરિણામે છે. કાલના વર્તાનાદિ પરિણામે અનાદિ છે. પુદગલમાં વ્યત્વ, મૂત્વ, સર્વ વગેરે અનાદિ પરિણમે છે.
પિતાની ઈચ્છાથી ગતિ કરવાને પ્રવૃત્ત થયેલી વ્યક્તિને ગતિ કરવામાં ધર્માસ્તિકાય સહયતા કરે છે. આ ઉપગ્રાહકવરૂપ ધમને પર્યાય (પરિણામ) પૂર્વ હતો નહિ, કેમકે ઉપર્યુકત
૧ “અનાuિfari fusa દિમાન ! જો રોપુ ! ”
૨ અમુક વસ્તુની અનંતકાળથી શરૂઆત થઈ છે એમ કહેવાથી એ વસ્તુ સાદિ કરતી નથી; કેમકે આ તે રૂપાંતરથી અનાદિત્વનું જ સૂચન છે.
૩ આ સંબંધમાં આ ગ્રન્થકાર સૂચવે છે કે “ તાવાર્થનો ઉલ્લેખ વ્યાવહારિક પ્રસંગને અનુસરતે સમજવાને છે; બાકી વસ્તુતઃ દરેકમાં પારમાર્થિક દૃષ્ટિએ તે બંને પરિણામે રહેલા જ છે, માટે જરા પણ અસંગતતાની સંભાવના જ નથી. ”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org