SearchBrowseAboutContactDonate
Page Preview
Page 762
Loading...
Download File
Download File
Page Text
________________ ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા. ' ૬૮૩ કારિતાથી લક્ષિત પર્યાય તે વ્યંજન-પર્યાય ” છે, જ્યારે સૂકમ વર્તમાન કાલવત પર્યાય તે “અર્થ–પર્યાય છે. આથી નીચે મુજબનું– ___ "भूतत्वभविष्यत्त्वसंस्पर्शरहितशुद्धवर्तमानकालत्वावच्छिन्नं वस्तुस्वरूपमर्थपर्यायः" –લક્ષણ ચરિતાર્થ થાય છે. વિશેષમાં એકત્વ, પૃથકત્વ, સંખ્યા, સંસ્થાન, સંગ, વિભાગ, નવત્વ, પુરાણત્વ ઈત્યાદિ પર્યાય-વિશેષ જે જાણવા. કહ્યું પણ છે કે – " एगत्तं च पुहत्तं च, संखा संठाणमेव य । સિંકોના ઘ વિમાન ૫, વકvi તુ સત્ર | " વ્યંજન-પર્યાયના ચાર પ્રકારો વ્યંજન-પર્યાયના સ્વભાવ અને વિભાવ તેમજ દ્રવ્ય અને ગુણની દષ્ટિએ (૧) સ્વભાવ-દ્રવ્ય-વ્યંજન-પર્યાય, (૨) સ્વભાવગુણ-વ્ય જન-પર્યાય, (૩) વિભાવ-દ્રવ્ય-વ્યંજનપર્યાય અને (૪) વિભાવ-ગુણવ્યંજન-પર્યાય એમ ચાર પ્રકારો પડે છે. જીવ આશ્રીને આ ચારે પ્રકારે વિચારીશું તે ચરમ શરીરથી કિંચિત્ ન્યૂન એવા શુદ્ધ અસંખ્ય પ્રદેશાત્મક સિદ્ધ ભગવાન એ પ્રથમ પ્રકારનું દષ્ટાંત છે. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ અને અનંત વીર્યરૂપ અનંત ચતુષ્ટય એ દ્વિતીય પ્રકારનું ઉદાહરણ છે. એવી રીતે યતિ પ્રમુખ ત્રીજા પ્રકારનું અને મતિ વગેરે ચોથાનું ઉદાહરણ છે. પુદગલના સંબંધમાં અવિભાગી પુગલ-પરમાણુઓ, વર્ણ, ગંધ અને રસના પ્રકારે પૈકી એક એક તેમજ અવિરેાધી એવા બે સ્પર્શી, કચણુકાદિ અને રસ, રાતર, ગંધ, ગંધાતર વગેરે અનુકમે ચાર જાતનાં ઉદાહરણ છે. પરિણામનું સ્વરૂપ– જુદા જુદા દર્શન પ્રમાણે પરિણામની વ્યાખ્યા જુદી જુદી છે. જેમકે બૌદ્ધ દર્શન એ વસ્તુ માત્રને ક્ષણસ્થાયી-નિરવંય વિનાશી માનતું હોવાથી એના મત પ્રમાણે પરિણામને અર્થ ઉત્પન્ન થઈ સર્વાશે નાશ પામ એ છે એટલે કે નાશ થયા બાદ તત્ત્વનો એક અંશ પણ કાયમ ન રહે એ થાય છે. નૈયાયિક વગેરે ભેદવાદી દશને કે જેમાં ગુણ અને દ્રાક્ષની એકાંત ભિન્નતા સ્વીકારવામાં આવી છે તેમની માન્યતા મુજબ સર્વથા અવિકૃત દ્રવ્યમાં ગુણોનું ઉત્પન્ન થવું અને એ ગુણેને નાશ થવો એ પરિણામને અર્થ છે. જૈન દર્શન ભેદભેદવારી હોવાથી પરિણામેના ઉપર્યુક્ત અર્થથી નિરાળે જ અર્થ ૧ અહીં એકત્વથી સંખ્યાથી વ્યતિરિક્ત એવી સામાન્ય પરિણતિ સમજવી. જેમકે ભિન્ન ભિન્ન પરમાણુઓમાં આ એક ઘટ છે એવી પ્રતીતિ. ૨ જુઓ નયપ્રદીપનું ૯૯ મું પત્ર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy