________________
ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા.
૬૮૧ જુ ના વં, ઘનિષr Tri
लक्षणं पजवाणं तु, उभओ अस्सिया भवे ॥ ६ ॥" –ગાથામાં એક દ્રવ્યને આશ્રિત છે તે ગુણ છે” એટલું જ કહ્યું છે. તત્વાર્થમાં આ ઉપરાંત શ્રીકણુદે સૂચવેલ ગુણના લક્ષણમાંને “નિર્ગુણ” એ એક અંશ વધારે છે, જ્યારે સૌથી વધારે ઉમેરે શ્રીકણુદે નિર્દેશેલા ગુણના લક્ષણમાં જોવાય છે, કેમકે એમણે રચેલા વૈશેષિક દર્શન (૧-૧-૫) પ્રમાણે એ લક્ષણ નીચે મુજબ છે –
" क्रियागुणवत् समवायिकारणमिति द्रव्यलक्षणम्"
અર્થાત જે ક્રિયાવાળું, ગુણવાળું અને સમાયિકારણરૂપ હોય તે દ્રવ્ય છે. આથી જોઈ શકાય છે કે શ્રીકણુદે સૂચવેલા દ્રવ્યના લક્ષમાં ગુણ ઉપરાંત કિયા અને સમવાયકારણતાને સ્થાન આપવામાં આવેલ છે. તત્ત્વાર્થ તરફ નજર કરીશું તે જણાશે કે તેમાં ઉત્તરાધ્યયનમાં સૂચિત ગુણપદને સ્થાન આપવા ઉપરાંત વૈશેષિક સૂત્રગત “ક્રિયા’ શબ્દની જગ્યાએ જૈન દર્શનને સુપ્રસિદ્ધ પર્યાય શબ્દ યોજી દ્રવ્યનું લક્ષણ “વત્ થમ્” એવું બાંધવામાં આવ્યું છે કે જેને આ ગ્રંથકાર સ્વશૈલી અનુસાર વાવી લે છે.
આ પ્રમાણે ગુણ પરત્વે ઘેડુંક વિવેચન કર્યું. હવે ગ્રન્થકાર પરિણામને ઉદ્દેશીને કથન કરે છે તે ગુણ તેમજ પરિણામ એ બંને પર્યાય-વિશેષ હોવાથી પર્યાયોને લક્ષ્મીને પપર મા વગેરે પૃષ્ઠમાં જે કંઈ કહેવામાં આવ્યું છે તેમાં નીચે મુજબ છેડેક ઉમેરે કરી આપણે આગળ વધીએ. પર્યાયની વ્યુત્પત્તિ
ન્યાયાલકની તત્ત્વપ્રભા નામની વિવૃતિના ૨૦૩ મા પત્રમાં પર્યાયનું લક્ષણ નીચે મુજબ અપાયેલું છે?—
" पर्येत्युत्पत्तिं विपत्तिं चाप्नोति पर्यवति वा व्याप्नोति समस्तमपि द्रव्यमिति पर्यायः पर्यवो वा"
૧ છાયા
TળાTurો ટૂકાયા ગુII: / लक्षणं पर्यवाणां तु उभयोगश्रिता भवेयुः ।।
૨ સરખા ન પ્રદીપના ૯૯માં પત્રગત નિખ -લિખિત પંક્તિઃ
" पर्येति उत्पादमुत्पत्ति विपत्तिं च प्राप्नोतीति पर्यायः । '
86
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org