SearchBrowseAboutContactDonate
Page Preview
Page 757
Loading...
Download File
Download File
Page Text
________________ [ દ્વિતીય १७८ અશ્વ-અધિકાર. સર્વાર્થસિદ્ધિ વગેરે અનુસાર બન્ધ વસપરમાણુના ગુણ (અંશે) પરમાણુના ગુણો (અંશે) ૧ જઘન્ય + જઘન્ય નથી | ૨ ,, + એકાધિક | ૩ , + દ્વાધિક ૪ , + ચાદિ અધિક ૫ જઘન્યતર + સમજાજેતર નથી નથી ૬ , + એકાધિક ૭ , + દ્વાધિક , છે | ૮ ,, + આદિ અધિક, નથી નથી સ્પશદિ પરિણામેની વ્યવસ્થા બન્ધ એ પરિણામ-વિશેષ છે. એ સ્નિગ્ધ અવયવને વિષે રક્ષરૂપ અન્ય પરિણામથી આપાઘ છે. એથી કરીને એ પ્રશ્ન ઉદ્ભવે છે કે પરમાણુઓમાં જે સ્પર્શાદિ પરિણમે છે તેમજ સ્કંધને વિષે જે શબ્દાદિ પરિણામે છે તે શું નિત્ય છે-સર્વદા વ્યવસ્થિત છે કે અવ્યવસ્થિત છે એટલે કે એનો પ્રાદુર્ભાવ થયા પછી તે નાશ પામે છે? કહેવાનું તાત્પર્ય એ છે કે પરમાણુઓ એકત્રિત થઈ ઢિપ્રદેશાદિ સ્કંધરૂપે ૨ પે પરિણમે છે. આથી જે પરમાગત સ્પર્શાદિ પરિણામ અને સ્કંધ વિષયક શબ્દાદિ પરિણામો વ્યવસ્થિત હોય તો તેની વ્યવસ્થિતતાને લઈને એ પરિણામોને સર્વદા ઉત્પાદ કે વિનાશ ન હોઈ શકે, અને એ ઉત્પાદ અને વિનાશ વિના સ્નિગ્ધ અને રૂક્ષ પરમાણુઓના પરિણામને અભાવ હોવાથી કેવી રીતે કવણુકાદિ સ્કંધ બની શકે ? અથવા કંધેને વિષે સ્પર્શાદિ કે શબ્દાદિ પરિણામોમાંથી એકની જ નિત્યતા છે એમ જ કહેવામાં આવે તે બાકીના પરિણામની નિત્યતાને અભાવ થશે. આથી કરીને જે પરિણામને અનિયત માનવામાં આવે તે તે ઈષ્ટ છે અર્થાત આપેક્ષિક દષ્ટિએ નિત્યત્વ માનવામાં આવે તે કઈ અડચણ નથી અને એથી બધી ઉપપત્તિ થઈ શકે છે. પૂર્વ પરિણામના ત્યાગ પૂર્વક ઉત્તર પરિણામ સ્વીકારાતાં અન્ય સ્પર્શાદિ તેમજ અન્ય સ્પર્શાદિ શબ્દાદિ ક્ષેત્ર, કાલ, દ્રવ્ય અને ભાવના પરિણામવિશેષ બને. આથી સમજાય છે કે વસ્તુ યથા૫રિણામી છે. તેને તે જ પરમાણુ દ્રવ્યત્વાદિ જાતિરૂપ સ્વભાવને ત્યાગ કર્યા વિના અન્ય સ્પર્શીદિરૂપ ગુણને પ્રાપ્ત કરે છે. એવી રીતે એને એ જ સ્કંધ દ્રવ્યત્વાદિ જાતિરૂપ સ્વભાવને ત્યજી દીધા વગર અન્ય શબ્દાદિ ગુણને પામે છે. સ્પર્શાદિ સામાન્યને ત્યાગ કર્યા વગર પરમાણુઓ સ્પર્શદિવિશેષને ભજે છે. આથી કરીને પરમાણુઓના સ્પર્શોમાં અવસ્થિતતા રહેલી છે. પોતાની શક્તિની પટુતાને ભજનારા પરિણામ જેવા કે મરચું, મીઠું, હીંગ વગેરે ઉકાળેલી છાશ વગેરે પરિ ૧ અન્યને પોતાના સમાન બનાવે તે “પરિણામક' કહેવાય છે. અથવા પરિણમનને યોગ્ય પદાર્થના અંશની સંખ્યાને પિતાના અંશની સંખ્યારૂપે પરિણુમાવે તે “ પરિણામક ' છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy