SearchBrowseAboutContactDonate
Page Preview
Page 755
Loading...
Download File
Download File
Page Text
________________ અછવ-અધિકાર. [ દ્વિતીય પરમાણુઓમાં જે બે અથવા અધિક અંશને ફેર હોય તે તે બંનેને બંધ ઘટી શકે છે. અન્ય શબ્દમાં કહીએ તે બે ગુણી સ્નિગ્ધતાવાળા પરમાણુને ચાર ગુણ કે તેથી વધારે સ્નિગ્ધતાવાળા પરમાણુડે બંધ થઈ શકે છે. એ પ્રમાણે રૂક્ષ પરમાણુઓના સંબંધમાં વિચારી લેવું. આ સમગ્ર વિવેચન નીચે મુજબનાં તત્ત્વાર્થસૂત્ર (અ. ૫)ના સૂ. ૩૩-૩૫ સંબંધી પર ભાષ્ય અને તેની બૃહદ્ વૃત્તિને અનુસરે છે. Tumy7ના જુના સાાના દુર્થધાgિrનાં તુ” વળી બૃહદ વૃત્તિકાર ૪૨૫મા પ્રકમાં સૂચવે છે તેમ આ હકીકત આચાર્ય શ્રી આર્ય યામકૃત પ્રણાપનાના તેરમા પદગત નિમ્નલિખિત ગાથા સાથે સંગત થાય છે – "णिद्धस्स णिदेण दुयाहिएण, लुक्खस्स लुक्खेण दुयाहिएण। गिद्धस्स लुखेण उवेइ बंधो, जहण्णवजो विसमो समो वा ॥" આ ગાથાના પૂર્વાર્ધમાં ૩૪ માં અને ૩૫ મા સૂત્રને ભાવાર્થ આવી જાય છે અને ઉત્તરાર્ધમાં ૩૩ મા સૂત્રને તેમજ એની પૂર્વેનું “ નિરક્ષરવા વધ” એ ૩રમાં સૂત્રના ભાવાર્થને સમાવેશ થઈ જાય છે. અત્રે આશ્ચર્યજનક ઘટના તે એ છે કે ઉપર્યુક્ત ત્રણે સૂત્રે તેમજ ભાષા–દષ્ટિએ જરૂરી એવા સામાન્ય પરિવર્તન પૂર્વકની પ્રજ્ઞાપનાની ગાથાને દિગંબર પરંપરા સ્વીકારે છે એટલે કે સૂત્ર-પાઠમાં અક્ષરશઃ સામ્ય હોવા છતાં તાંબર અને દિગંબર સંપ્રદાયમાં અથ–ભેદ છે. ખાસ કરીને એ ત્રણ બાબતેને અંગે છે –(૧) જઘન્ય ગુણ પરમાણુ એક સંખ્યાવાળો હોય ત્યારે બંધ થાય કે નહિ, (૨) પાંત્રીસમાં સૂત્રગત “આદિ પદથી ત્રણ, ચાર ઇત્યાદિ સંખ્યા સમજવી કે નહિ, અને (૩) આ સૂત્રનું બંધ-વિધાન કેવળ સદશ અવયને લાગુ છે કે નહિ - બૃહદ વૃત્તિ પ્રમાણે બંને પરમાણુઓ જે જઘન્ય ગુણવાળા હોય તે જ તેને બંધ થતે નથી, પરંતુ એક જઘન્ય ગુણવાળો હોય અને બીજો મધ્યમ કે ઉત્કૃષ્ટ-જઘન્યતર ગુણવાળો હોય તે વિસદશ બંધ તે સંભવે જ છે, પરંતુ સદશ બંધ માટે બે અંશની અધિકતા જોઈએ. સર્વાર્થસિદ્ધિ વગેરે બધી દિગંબરીય ટીકાઓ પ્રમાણે તે બંને પરમાણુઓ જઘન્ય ગુણવાળા હોય તો તેને બંધ ન થાય એટલું જ નહિ, પણ બેમાંથી એક પણ જઘન્ય ગુણવાળે હેય તે બંધ સંભવે નહિ, પછી ભલેને બીજે બે અંશ તો શું પણ અનંત અંશ જેટલી અધિક સ્નિગ્ધતા કે રૂક્ષતાથી યુક્ત હોય. ૧ છાયા " स्निग्धस्य स्निग्धेन द्विकाधिकेन रुक्षस्य रुक्षेण द्विकाधिकेन । स्निग्धस्य रूक्षेणोपैति बन्धो जघन्यवनों विषमः समो बा ॥ २ " णिद्धस्म णिद्धेण दुराहिएण लुकखस्स लुखेण दुराहिएण ।। णिद्धस्स लुकखेण उधेदि बंधी जहण्णवजो विसमे समे वा ॥" Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy