SearchBrowseAboutContactDonate
Page Preview
Page 749
Loading...
Download File
Download File
Page Text
________________ અજીવ-અધિકાર [ દ્વિતીય સુધીના સમગ્ર સ્કધાની ઉત્પત્તિ ત્રિવિધ સંભવે છે, પરંતુ એથી ગમે તે કોઈ એક સ્કંધ ત્રણે પ્રકારે ઉત્પન્ન થયે જ છે એમ સર્વથા કહેવાય નહિ. દાખલા તરીકે ચાક્ષુષ ધ કેવળ ભેદ-સંઘાતજન્ય જ છે. પરમાણુ એ કઈ પણ દ્રવ્યનું કાર્ય નથી એટલે એની ઉત્પત્તિમાં સંઘાત માટે અવકાશ જ નથી. એથી એ તે ભેદ-જન્ય જ સંભવે છે, પરમાણુ કેઇનું કાર્ય નથી એ દષ્ટિએ જ એની નિત્યતા છે, પરંતુ જે એની ઉત્પત્તિ અત્ર દર્શાવી છે એ દષ્ટિએ-પર્યાયની દષ્ટિએ એ અનિત્ય છે. કેઈક વેળા સ્કંધના અવયરૂપ બની સામુદાયિક-સંબદ્ધ અવસ્થામાં પરમાણુઓનું રહેવું અને કેઈક વાર રકધથી જુદા પર્વ વિશકલત અવસ્થામાં રહેવું એ પરમાણુઓની અવસ્થા-વિશેષ છે–એ એના પર્યાય છે. પરમાણુની વિશકલિત જ અવસ્થા સ્કંધના ભેદથી ઉદભવે છે એટલે પરમાણુની ઉત્પત્તિ કહેવાને આશય એટલા જ પૂરતા છે કે વિશકલિત અવસ્થાવાળે પરમાણુ ભેદનું કાર્ય છે, નહિ કે શુદ્ધ પરમાણું. આ વિવેચન ઉપરથી જોઈ શકાય છે કે પરમાણુના બે પ્રકાર છે. એક સ્વાભાવિક શુદ્ધ પરમાણુ અને બીજે ભેદજન્ય પરમાણુ. તેમાં પ્રથમના તેમજ દ્વિતીય પ્રકારના પરમાણુને સામાન્યરૂપે લક્ષણોમાં અંતર્ભાવ થઈ ગયા છે. અત્ર ભેદજન્ય પરમાણુનું પૃથક લક્ષણ ગ્રંથકારના શદમાં ઉલ્લેખશું —— स्नेहसौक्षयविगमे स्थितिक्षये च सति द्रव्यान्तरेण भेदे स्वभाव. गत्या द्वयणुकस्कन्धभेदेनोपजायमानत्वं भेदजन्याणोलक्षणम् । (२५०) અર્થાત સ્નિગ્ધતા ( ચિકાસ) અને રૂક્ષતા ( લુખાસને નાશ થતાં અને સ્થિતિને ક્ષય થતાં અન્ય દ્રવ્ય વડે ભેદતાં સ્વાભાવિક ગતિ દ્વારા પ્રયાણુક કંધના ભેદ પૂર્વક ઉત્પન્ન થતું દિવ્ય “ભેદજન્ય અણુ કહેવાય છે. કંધના બે ભેદ– સ્કંધની ઉત્પત્તિનાં કારણે આશ્રીને જેમ સ્કંધના ત્રણ ભેદે પડે છે તેમ અન્ય વિવક્ષા અનુસાર–ષ્ટિગોચરતાની દષ્ટિએ તેના ચાક્ષુષ અને અચાક્ષુષ એવા બે પ્રકારો પડે છે. ચાક્ષુષ એટલે નેત્રથી ગ્રાહ્ય-જોઈ શકાય છે અને અચાક્ષુષ એટલે નેત્રથી અગ્રાહ્ય-જોઈ શકાય નહિ એ. ચાક્ષુષ સ્કંધ અને અચાક્ષુષ કંધનાં લક્ષણે જે ગ્રંથકારે સૂચવ્યાં છે તે જોઈ લઈએ એટલે એનાં સ્વરૂપે આપણા ધ્યાનમાં આવે. કોઈ મોટો સ્કંધ નથી કે જેના તૂટવાથી એ બને; પરંતુ આવો કાઈ સ્કંધ હોય એવો ઉલ્લેખ જોવામાં આવ્યો નથી. સમાન કોટિના બીજા સ્કંધે હોય એવું તે સમજાય છે. જુઓ પૃ. ૧ આના સ્વરૂપ માટે જુઓ પૃ. ૬૭૧. ૨ સરખા તવાઈ ( અ. ૫ )નું નિમ્નલિખિત ૨૮ મું સૂત્ર – મેક-શાતાજાં વાસુe: ” ૩ સરખાવો તરવાર્થની બૃહદ વૃત્તિ ( પૃ. ૩૭૧ ). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy